SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કર્મપ્રકૃતિ ભાગ -૨ ટીકા - ઔપશમિક સમ્યકત્વ લાભના પ્રથમ સમયથી શરૂ કરીને મિથ્યાત્વના દલિકને સમ્યકત્વમાં અને મિશ્રમાં સંક્રમે છે. તે વિધિ આ પ્રમાણે છે - પ્રથમ સમયે અલ્પ દલિક નિક્ષેપ સમ્યકત્વમાં કરે, તેથી મિશ્રમાં અસંખ્યયગુણ, તેથી પણ બીજા સમયે સમ્યકત્વમાં અસંખ્યયગુણ, તેથી પણ તે જ બીજા સમયે મિશ્રમાં અસંખ્ય ગુણ. એ પ્રમાણે દરેક સમયે ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અંતર્મુહૂર્ત પૂર્ણ થાય. અને આ સંક્રમ અંતરકરણમાં રહેલ ઔપશમિક સમ્યકત્વ લક્ષણવાળો પ્રશસ્ત ગુણ યુક્ત કરે છે તેથી ગુણસંક્રમ કહેવાય છે. તથા પંચસંગ્રહ ભાગ-૨ માં ઉપશમનાકરણની ગાથા ૨૪ માં કહ્યું છે.“માનસંવરનેપ ણો સંવનો ર્ડ સખી સેતુ અંતરવરાત્રિ દિવ્યો ૩૬ ગો સખસત્યયુગો' (અર્થ – સમ્યકત્વ તથા મિશ્રમોહનીયમાં ઉપર કહ્યો તે પ્રમાણે સંક્રમ ગુણસંક્રમકવડે થાય છે. અને તે અંતરકરણમાં રહ્યો છતો કરે છે. કારણ કે આત્મા અહીં પ્રશસ્તગુણ યુક્ત છે.) ગુણસંક્રમ સંબંધી અંતર્મુહૂર્તથી આગળ વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. (યંત્ર નં ૧૧ જુઓ) (ગુણસંક્રમ યંત્ર નંબર - ૧૧) અબધ્યમાન અશુભપ્રકૃતિઓના દલિકનો સંખ્યાક્રમ સમયો બધ્યમાન પરપ્રકૃતિને વિષે સંક્રખ્યમાન દલિંક સંખ્યા બાકી રહેલ દલિકની સંખ્યા (અબષ્યમાન અશુભ પ્રકૃતિઓની) ૧ લે | અનંત સર્વથી અલ્પ અનંતગુણ ૨ જે | તેથી અસંખ્યયગુણ તેથી અસંખ્યયભાગહીન. ૫ મે |" ૮ મે ठिइरसघाओ गुणसेढी विय तावं पि आउवज्जाणं । પઢા પહુ-જાતિજો મિત્તે | ૨૦ || स्थितिरसघातो गुणश्रेणिरपि च तावदप्यायुर्वनाम् । प्रथमस्थितावेकद्विकावलिकाशेषे मिथ्यात्वे ॥ २१ ॥ ગાથાર્થ - જ્યાં સુધી ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી જ આયુષ્ય વર્જિત બાકીના કર્મમાં ત્રણે સ્થિતિઘાત -રસઘાત-ગુણશ્રેણિ થાય છે. મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિની એક અને બે આવલિકા રહે ત્યારે અનુક્રમે સ્થિતિઘાત -રસઘાત અને ગુણશ્રેણિ નિવર્તે છે. ટીકાર્ય :- જ્યાં સુધી ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી આયુષ્ય સિવાયના સાતે કર્મોનો સ્થિતિઘાત રસઘાત અને ગુણશ્રેણિ પણ પ્રવર્તે છે. અને ગુણસંક્રમ નિવૃત થયે છતે સ્થિતિઘાત-રસઘાત અને ગુણશ્રેણિ પણ નિવૃત થાય(અટક) છે. ૧૬ ગુણસંક્રમ આ પ્રમાણે થાય છે- અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબધ્ધમાન અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ થાય છે. તે સિવાય નીચે પોત પોતાના અપૂર્વકરણથી પોત પોતનો ગુણસંક્રમ થાય છે. અને મિથ્યાત્વનો અપૂર્વકરણ વખતે મિથ્યાત્વ બંધાતું હોવાથી મિથ્યાત્વનો ગુણસંક્રમ થતો નથી. પરંતુ જ્યારે બંધવિચ્છેદ થાય ત્યારે ઉપશમ સમ્યક્ત્વના પ્રથમ સમયથી ગુણસંક્રમ પ્રવર્તે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy