SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૦૧ (મિથ્યાત્વના) દલિકનો અભાવ થવાથી, તેથી મિથ્યાત્વનો ઉદય નિવૃત્ત થતાં ઉપશમ અદ્ધામાં પ્રવેશ કરે છે. અને તે ઉપશમ અદ્ધામાં પ્રવેશ થયે છતે પ્રથમ સમયે જ મોક્ષના બીજરૂપ ઔપશમિક સમ્યકત્વ ઉત્પન્ન કરે છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૨૧માં કહ્યું છે. ““માવતિનેd ૩૯ણા રે હવસન દ્વારા હવસમયે તત્ય સત્ત મોવવવ વ ' (અર્થ :-આવલિકા માત્ર દલિકને ઉદયથી ભોગવીને ઉપશમ અદ્ધામાં સ્થિર થાય છે. ત્યાં મોક્ષનું બીજ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે.) અને આ ઉપશાંત અદ્ધા પૂર્ણ થાય તે જ અંતરકરણ અદ્ધા જ છે. તે આ પ્રમાણે કહે છે-અંતરકરણના પ્રથમ સમયે જ ઔપથમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. કારણ કે મિથ્યાત્વના દલિકના વેદનનો અભાવ છે. मिच्छत्तुदए खीणे, लहए सम्मत्तमोवसमियं सो । लंभेण जस्स लब्भइ, आयहियमलद्धपुलं जं ।। १८ ।। मिथ्यात्वोदये क्षीणे, लभते सम्यक्त्वमौपशमिकं सः। लाभेन यस्य लभ्यत, आत्महितमलब्धपूर्वं यत् ।। १८ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય :- તે જ અર્થને સત્રથી કહે છે - મિથ્યાત્વના ઉદયનો ક્ષય થયે છતે તે જીવ કહેલ પ્રકારથી પથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આ સમ્યકત્વના લાભથી અરિહંત દેવાદિક તત્ત્વના શ્રદ્ધારૂપ આત્મહિતને પ્રાપ્ત કરે છે.'' तं कालं बीयठिइं, तिहाणुभागेण देसाघाइ स्थ । સન્મત્ત સમ્બિર્સ, મિચ્છત્તે સબંધો ૧૧ | तस्मिन् काले द्वितीयस्थिति, विधाऽनुभागेन देशघात्यत्र । સચવર્વ સમર્થ, મિથ્યાત્વ સર્વથતિ ૧૨ / ગાથાર્થ - ટીકાની જેમ. ટીકાર્થ :- કાળે એટલે જે સમયથી અનન્તર સમયે ઔપથમિક સમ્યગુદૃષ્ટિ થશે તે સમયે અર્થાત્ પ્રથમસ્થિતિના અન્ય સમયે મિથ્યાદૃષ્ટિમાં રહે છતે દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકને અનુભાગ ભેદ વડે શુદ્ધ, અર્ધશુદ્ધ, અને અવિશુદ્ધ એમ ૩ પ્રકારના પુંજ કરે છે. ત્યાં શુદ્ધ દલિક તે સમ્યકત્વ અને તે દેશઘાતિ રસયુક્ત હોવાથી દેશઘાતિ પ્રકૃતિ છે. અર્ધશુદ્ધ દલિક તે મિશ્રમોહનીય છે, અને અશુદ્ધ દલિક તે મિથ્યાત્વમોહનીય, આ બન્ને પણ સર્વઘાતિ રસયુક્ત હોવાથી સર્વાતિ પ્રકૃતિ છે. “ma” મિશ્ર સહિત મિથ્યાત્વ સર્વઘાતિ એ પ્રમાણે અક્ષરાર્થ છે. पढमे समए थोवो, सम्मत्ते मीसए असंखगुणो । अणुसमयमवि य कमसो, भिन्नमुहुत्ता हि विज्झाओ ।। २० ।। प्रथमे समये स्तोकः, सम्यक्त्वे मिश्रेऽसङ्ख्येयगुणः। अनुसमयमपि च क्रमशो, भिन्नमुहूर्ताद्धि विध्यातः ॥ २० ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ૧૪ અંતરકરણમાં મિથ્યાત્વના દલિકો નહી હોવાથી તેના પહેલા સમયે જ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જેટલાં સમયમાં ભોગવવા યોગ્ય દલિકો દૂર કરી ભૂમિકા સાફ કરી તેટલાં સમયને ઉપશમાદ્ધા અથવા અંતરકરણ કહેવામાં આવે છે. કારણ કે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થવામાં મિથ્યાત્વ પ્રતિબંધક છે. અંતરકરણમાં તે નહીં હોવાથી જ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી કરેલી શુદ્ધભૂમિ શુદ્ધભૂમિરૂપે રહે છે ત્યાં સુધી જ સમ્યક્ત્વ પણ રહે છે. પૂજ્ય મલયગિરિ મ. સાવ ની ટીકામાં કહ્યું છે કે “ગાયંધત્વ કથા jaarifમ-શુમો રે. સદર તર્યવાહ્ય સીવ સર વાલે | ૧ | મનનો ગાતે ચત્ત તાત્તિએડચ મહાત્મા : | સાપ્યપણે યથત સતીષાત્ II ૨ ” અર્થ :- સમ્યક્તનો લાભ થયે છતે જેમ જાયબ્ધ પુરુષને ચક્ષની પ્રાપ્તિ થાય તેમ યથાવસ્થિત વસ્તુ તત્ત્વનો બોધ થાય છે અને મહાવ્યાધિવાળા ને ઉત્તમ ઔષધથી વ્યાધિ દૂર થયે જેવો આનંદ થાય છે તેવો અત્યન્ત તાત્વિક આનંદ એ મહાત્માને થાય છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy