________________
ઉપશમનાકરણ
૧૯૭
અને ગુણશ્રેણિ રચનામાં પ્રથમ સમયથી શરૂ કરીને ગુણશ્રેણિના અન્ય સમય સુધી ગ્રહણ કરેલ દલિકોને યથાક્રમે અસંખ્યયગુણ જાણવું અને કહ્યું છે કે “તી ગિનાને, પદને સમનિ વોવર શિરે હરિત્નટ્વિીતો, વિનિ સંહાર ૩ . ૧ | શિve૬ સમg રવિ, તફઇ સમg ગસિંહgવતુ કે સા સમા ના ઘરો અનાસનો રિ | ૨ '' (અર્થ:ગ્રહણ કરતાં દલિક પ્રથમ સમયે અલ્પ ગ્રહણ કરે છે, ઉપરની સ્થિતિમાંથી બીજા સમયે અસંખ્યયગુણ દલિક લે છે, ત્રીજે સમયે અસંખ્ય ગુણ દલિક લે છે. એ પ્રમાણે સમયે સમયે જ્યાં સુધી છેલ્લો અંત સમય આવે ત્યાં સુધી ગ્રહણ કરે છે.) અહીં અંતર્મુહૂર્ત પ્રમાણ નિક્ષેપકાલ અને દલિકરચનારૂપ ગુણશ્રેણિકાલ અપૂર્વકરણ અનિવૃત્તિકરણના કાલથી કાંઇક અધિક જાણવો. તેટલાં કાલમાં નીચે નીચેની ઉદયક્ષણ વેદનથી ક્ષીણ થયે છતે ક્ષય થયા સિવાયની ક્ષણોમાં બાકીના દલિકની રચના કરે છે. પણ ઉપર ગુણશ્રેણિ વધે નહીં. અને કહ્યું છે કે “સેઢી વતમાળ, વરણાગ સહવે વાળ , વિશ્વ સા ઉલાળ સેસ તન વિવે” | ત્તિ અર્થ :- શ્રેણિનો સમય બે કરણ અપૂર્વ તથા અનિવૃત્તિકરણથી કંઇક અધિક જાણવો, ઉદય વડે તે ક્ષય પામે છે, અને જે બાકી રહે છે તેમાં નિક્ષેપ થાય છે.
ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે-ગુણશ્રેણિમાં નિક્ષેપ સમયે સમયે અસંખ્યયગુણપણે પૂર્વ પૂર્વ સમય અપેક્ષાએ ઉત્તર ઉત્તરના સમયે વધે છે. અને તે નિક્ષેપકાલ પણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ કાલથી કાંઇક અધિક હોય છે. તથા અપૂર્વકરણ અનિવૃત્તિકરણના સમયોને વિષે અનુભવતો અનુભવતો ક્ષય થયે છતે ગુણશ્રેણિ દલિકનો નિક્ષેપ બાકી રહેલા સમયમાં થતો જાય છે. પણ (નિક્ષેપ વિષયના) સમયો ઉપરથી વધતા જતા નથી. (ચિત્ર નંબર-૩-૪-૫-૬ જુઓ)
अनियट्टिम्मि वि एवं, तुल्ले काले समा तओ नाम । संखिज्जइमे सेसे, भिन्नमुहत्तं अहो मुच्चा ॥ १६ ॥ किंचूणमुहत्तसम, ठिइबन्धद्धाएँ अंतरं किच्चा । आवेलिदुर्गक्कसेसे, आगाल उदीरणा समिया ॥ १७ ॥ अनिवृत्तावऽप्येवं, तुल्ये काले समा ततो नाम । સંધ્યે તમે શેરે, પિનમુહૂર્તનો અવત્તા . ૧૬ || किञ्चिदूनमुहुर्तसम, स्थितिबन्धद्धायाऽन्तरं कृत्वा ।
आवलिकाद्विकैकशेषे, आगाल उदीरणा शान्ता ॥ १७ ॥ ગાથાર્થ :- એ પ્રમાણે (સ્થિતિધાતાદિની પ્રવૃત્તિ) અનિવૃત્તિકરણમાં પણ જાણવી, એના સમાન કાળમાં સમવિશુદ્ધિ હોય છે માટે અનિવૃત્તિકરણ એવું નામ છે. એનો સંખ્યાતમો ભાગ શેષ રહે એક અંતર્મુહુર્તને નીચે મુકીને / ૧૬ .
અને દેશોણમુહૂર્ત (અંત) સ્થિતિબંધાદ્ધા જેટલું (અભિનવ સ્થિતિબંધ જેટલું) અંતર કરીને બે આવલિકા શેષ રહેતાં આગાલનો અને એક આવલિકા શેષ રહેતાં ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તે ૧૭ી.
- હવે અનિવૃત્તિકરણનું સ્વરૂપ કહે છે. જે પ્રમાણે અપૂર્વકરણના પ્રથમ સમયથી શરૂ કરીને સ્થિતિઘાતાદિ એકી સાથે પ્રવર્તે છે તે કહ્યું એ પ્રમાણે અનિવૃત્તિકરણમાં પણ કહેવું. તથા સમાનકાલે અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરેલ સર્વ જીવોની વિશુદ્ધિ સમાન જ હોય છે, પણ વિષમ ન હોય, તેથી અનિવૃત્તિકરણ નામ સાર્થક છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે-અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જે જીવો વર્તે છે, વર્યા છે, અને વર્તશે, તે સર્વ જીવોની પણ વિશુદ્ધિ ઓછી નહી, અને અધિક નહીં તેમ સરખી જ રહે છે. બીજા સમયે પણ જે જીવો વર્તે છે, વર્યા છે, અને વર્તશે તેઓની સરખી વિશુદ્ધિ હોય છે. પરંતુ પ્રથમ સમયગત વિશુદ્ધિથી આ દ્વિતીય સમયગત વિશુદ્ધિ અનંતગુણ હોય છે. એ પ્રમાણે અનિવૃત્તિકરણના અન્ય સમય સુધી કહેવું. તેથી જ આ કરણમાં પ્રવેશ કરેલા જીવોનો તુલ્યકાળવાળા જીવોના અધ્યવસાયોની જે પરસ્પર નિવૃત્તિ = વ્યાવૃત્તિ તિર્થગુ સ્થાન પતિત વૈષમ્ય લક્ષણ નથી. અર્થાતુ તિર્યગુ ની જેમ છઠ્ઠાણાવડિયા નથી તેથી અનિવૃત્તિકરણ એ નામ છે. અહીં ઊર્ધ્વમુખે અધ્યવસાયસ્થાનોની અનંતગુણવૃદ્ધિ સર્વ સમયોને વિષે રહે છે. અર્થાતુ અહીં જેટલાં સમયો છે તેટલાં જ અધ્યવસાયસ્થાનો છે. (યંત્ર નં૦ ૧૦ જુઓ) (અનુસંધાણ પે.નં-૨૦૦).
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org