SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૧૯૩ ગાથાર્થ - ઉત્કૃષ્ટથી ઘણાં સાગરોપમ અને ઇતર જઘન્યથી પલ્યોપમનો સંખ્યાતમા ભાગના સ્થિતિખંડનો અને અનુભાગને અંતર્મુહૂર્ણ કાલથી ઉવેલ છે. ૧૩ ઘણાં હજારો અનુભાગ કંડકોવડે એક સ્થિતિઘાત પૂર્ણ થાય છે. તેવા હજારો સ્થિતિ કંડકોવડે બીજો થાય છે. ટીકાર્ય - ત્યાં (૧) સ્થિતિઘાત :-1 નું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા કહે છે. સ્થિતિસત્તાના અગ્રિમભાગથી ઉત્કૃષ્ટથી ઘણાં સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્ય પલ્યોપમના સંખ્યયભાગ માત્ર સ્થિતિખંડને ઉવેલ છે. અને ઉવેલીને જે સ્થિતિ નીચે ખંડિત થવાની નથી તે સ્થિતિમાં દલિકને નાંખે છે. અને સ્થિતિખંડ અંતર્મુહૂર્ત કાલથી સંપૂર્ણ ઉવેલાય છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૧૨માં કહ્યું છે. “કોસેન હતા જ ફન પત્તસંહસા િિરગાગો સાફ સન ફિ ” અર્થ - સ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણાં સાગરોપમ પ્રમાણ અને ઇતર જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાલમાં ઘાત કરે છે. તે પછી ફરી પણ નીચેથી પલ્યોપમના સંખ્યયભાગ માત્ર સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાલથી ઉવેલ છે. અને પૂર્વે કહેલ રીતે જ દલિકો નાંખે છે. એ પ્રમાણે અપૂર્વકરણમાં ઘણાં હજારો સ્થિતિખંડને ઉવેલ છે. અને તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હોય છે તેથી તેના અપૂર્વકરણના અન્ય સમયે સંવેયગુણ હીન સ્થિતિસત્તા હોય છે. હવે રજા રસઘાત :-* ને કહે છે. “અનુમાન' ઇત્યાદિ અશુભ પ્રવૃતિઓનો જે અનુભાગ સત્તા છે તેનો અનંતમો ભાગ મૂકીને બાકીના અનંત અનુભાગ ખંડોને અંતર્મુહૂર્ત કાલથી વિનાશ કરે છે. પછી ફરી પણ તે મૂકેલા અનંત ભાગમાંથી અનંતમો ભાગ મૂકીને બાકીના અનુભાગને અંતર્મુહૂર્ત કાલથી નાશ કરે છે. એ પ્રમાણે એક સ્થિતિખંડનો ઘાત થતા ઘણાં હજારો અનુભાગ ખંડોનો ઘાત થાય છે. અને તેવા હજારો સ્થિતિખંડોના ઘાત વડે બીજુ અપૂર્વકરણ સમાપ્ત થાય છે. ' હવે ત્રીજે સ્થિતિબંધાદ્ધા (અન્ય સ્થિતિબંધ) -કહે છે અપૂર્વકરણના પ્રથમ સમયે પૂર્વે નહી થયેલો એવો પલ્યોપમનો સંખ્ય ભાગ હીનરૂ૫ અન્ય સ્થિતિબંધ શરૂ કરે છે. સ્થિતિઘાત અને અન્ય સ્થિતિબંધ એકી સાથે શરૂ થાય છે. અને એકી સાથે પૂર્ણ થાય છે. અને તેથી અન્ય સ્થિતિબંધની અને સ્થિતિઘાતની કાલથી સંખ્યા તુલ્ય થાય છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૧૫ માં કહ્યું છે. “શરણાઇ ગાત્રો વન્યો સો રોફ ગળો ચાગા સા તત્તિ ૩ ફિડા ૧૧ સ્થિતિઘાત એટલે જેટલી સ્થિતિનો ઘાત કરવાનો છે તેટલી સ્થિતિમાં કાળમાં ભોગવવા યોગ્ય દલિકોને ત્યાંથી ખસેડી ભૂમિકા સાફ કરવી તે -એટલે નિષેક રચના વખતે જે દલિકો તે સ્થાનકોમાં ભોગવવા યોગ્ય થયા હતા તે દલિકોને અન્ય સ્થાનકના દલિકો સાથે એટલે કે જે સ્થાનકોમાં તે લિકો નાંખે છે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા તે. ઘણાં સાગરોપમ પ્રમાણ કે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત કરે છે. એટલે કે તેટલી સ્થિતિમાં ભોગવાય તેટલાં દલિકોને ત્યાંથી ખસેડી તેટલી ભમિકા સાફ કરે છે, એટલે કે તેટલી સ્થિતિના લિકો અન્ય સ્થિતિઓ સાથે ભોગવાય તેવા કરે છે. નિષેક રચના વખતે તે સ્થાનકોમાં દલિકો ગોઠવાયા હતા. સ્થિતિઘાત વખતે માત્ર અંતર્મુહૂર્તમાં જ ઉપર કહી તેટલી સ્થિતિમાં રચાયેલા દલિકો અન્ય સ્થિતિઓ કે જેનો સ્થિતિઘાત નથી થવાનો તેની સાથે ભોગવાય તેવા કરે છે. તેથી તેટલી સ્થિતિમાં ભોગવવા યોગ્ય દલિકો રહેતાં નથી, માટે સ્થિતિ ઓછી થઇ એમ કહેવાય છે. ૧૨ રસઘાત એટલે બંધ વખતે આત્માએ કાષાયિક અધ્યવસાયો દ્વારા કર્મપુદગલોમાં જે શક્તિ ઉત્પન્ન કરી હતી તે શક્તિ ઓછી કરવી તે. અહીં - વિશુદ્ધ પરિણામના યોગે આત્માના ગુણોની બંધ વખતે ઉત્પન્ન થયેલી આવારક શક્તિને વિશુદ્ધિના પ્રમાણમાં ઓછી કરે છે, સત્તામાં રહેલા અશુભપ્રકૃતિના રસના અનંતમા ભાગને છોડી અનંતા ભાગરૂપે એક ખંડને અંતમહૂર્ત કાળે ઘાત કરે છે, અર્થાત્ તે ખંડમાંના અમુક પ્રમાણ રસને પહેલા સમયે, અમુક પ્રમાણ રસને બીજા સમયે, એમ ક્ષય કરતાં ચરમ સમયે, તે રસખંડનો સંપૂર્ણપણે નાશ થાય છે. ત્યારબાદ પહેલાં જે અનંતમો ભાગ મૂક્યો હતો તેનો અનંતમો ભાગ મૂકી અનંતા ભાગને ઉપરોક્ત રીતે અંતર્મુહૂર્ત કાળે ઘાત કરે છે. આ પ્રમાણે રસનો ઘાત થવાથી ઉત્તરોત્તર અલ્પ અપ રસવાળા દલિતો નીચે ઉતરે છે. એટલે અધ્યવસાયની નિર્મળતા પણ વધતી જાય છે. સ્થિતિખંડ જેમ સ્થિતિના અગ્ર ભાગથી થાય છે તેવી રીતે રસખંડ રસની ક્રમસર જુદી સ્થાપના કરીએ તો તેના અગ્રભાગથી એનો નાશ થાય છે. પરંતુ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો પણ ધાત્યમાન સ્થિતિ વિના નીચેની સ્થિતિઓમાં પણ હોય છે. તેથી રસધાત ઘાયમાન સ્થિતિ સિવાયની નીચેની સ્થિતિઓમાં પણ થાય છે. ૧૩ એક સ્થિતિઘાતના કાલમાં દરેક સમયે સ્થિતિઘાતથી સ્થિતિ ઘટતી નથી, પણ અંતર્મુહૂર્ત સુધી સ્થિતિના દલિકો ઓછા થતા હોવાથી સ્થિતિ પાતલી થાય છે. અને અંતર્મુહર્તના ચરમ સમયે સ્થિતિ ખાલી થાય છે. તે રીતે રસધાતમાં પણ ઘાયમાન રસસ્પર્ધકો પ્રથમ સમયથી માંડીને રસઘાતના દ્વિચરમ સમય સુધી લિકની અપેક્ષાએ પતલા થાય છે. અને રસધાતના ચરમ સમયે તે સ્પર્ધકો સંપૂર્ણ ખાલી થાય છે. એક સ્થિતિખંડના કાલમાં હજારો રસઘાત થાય છે. અપૂર્વ સ્થિતિબંધ અંતર્મહત્ત કાલ સુધી એક સરખો પ્રવર્તે છે. એટલે કે દરેક સમયે થોડું થોડુ ઘટીને અંતર્મુહૂર્તના છેલ્લા સમય સુધીમાં પલ્યોપમનો સંખ્યાતમો જેટલો ભાગ ઘટતો નથી પરંતુ એક સરખો પ્રવર્તી અંતર્મુહૂર્ત પછી બીજો નવો ચિતિબંધ એક સાથે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઘટે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy