________________
ઉપશમનાકરણ
૧૯૧
અનંતગુણ કહેવું. તેથી પણ જઘન્ય સ્થાન પછી જ્યાં અટક્યાં હતા ત્યાંથી પછી (૫) ની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ છે. તેથી બીજા સમયે (૨) ની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે. તેથી ઉપરની (૬ની) જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ છે. એ પ્રમાણે ઉપર નીચે એક એક વિશુદ્ધિસ્થાન બને જીવના અનંતગુણપણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અન્ય સમય (૧૩) ની જઘન્ય વિશુદ્ધિ થાય. તેથી જ નહીં કહેલા એવા ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનનો (૧૦ થી ૧૩) ને નિરન્તર અનંતગુણ કહેવાં. તે પ્રમાણે યથાપ્રવૃત્તકરણ સમાપ્ત થયું. અને આનું પૂર્વપ્રવૃત્ત એ બીજાં નામ છે, કારણ કે શેષ કરણોથી પૂર્વ એટલે પ્રથમ પ્રવર્તે છે માટે પૂર્વપ્રવૃત્ત એ બીજાં નામ છે. (યંત્ર નં-૭ જુઓ)
અને અહીં (યથાપ્રવૃત્તકરણમાં) સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ કે ગુણસંક્રમ પ્રવર્તતાં નથી. કારણ કે તે યોગ્ય વિશુદ્ધિનો અભાવ છે. અને અશુભ કર્મોની જે સ્થિતિ બાંધે છે તેઓનો (અશુભનો) અનુભાગ ઢિસ્થાનક બાંધે છે, અને જે શુભ બાંધે તેઓનો અનુભાગ ચતુઃસ્થાનક બાંધે છે. અને સ્થિતિબંધ પણ પૂર્ણ થયે છતે બીજો સ્થિતિબંધ પલ્યોપમનો સંખે ભાગ ન્યૂન બાંધે છે.
હવે રજા અપૂર્વકરણ :- ને કહે છે, “વિફરસ' ઇત્યાદિ બીજા અપૂર્વકરણના બીજા સમયે જઘન્ય પણ વિશુદ્ધિસ્થાન પણ અનન્તર ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનથી અર્થાત્ પ્રથમ સમયગત ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનથી અનંતગુણ છે. અહીં તાત્પર્ય એ છે કે અહીં યથાપ્રવૃત્તકરણની જેમ પ્રથમથી જ નિરન્તર જઘન્ય વિશુદ્ધિસ્થાનો અનંતગુણપણે ન કહેવાં. પરંતુ પ્રથમ સમયે પ્રથમથી જઘન્ય વિશુદ્ધિસ્થાન સર્વથી અલ્પ કહેવું. તે પણ યથાપ્રવૃત્તકરણના છેલ્લા (૧૩મા) સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનથી અનંતગુણ છે. તેથી પ્રથમ સમયે જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાન અનંતગુણ છે. તેથી પણ બીજા સમયે જઘન્ય વિશુદ્ધિસ્થાન અનંતગુણ છે. તેથી પણ તેજ બીજા સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાન અનંતગુણ છે. એ પ્રમાણે દરેક સમયે જઘન્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી અપૂર્વકરણના ઉત્કૃષ્ટ વિશુદ્ધિનો છેલ્લો સમય આવે(યંત્ર નં-૮ જુઓ)
(યથાપ્રવૃત્તકરણ વિશુદ્ધિ યંત્ર નં૦ -૭) પ્રથમ ૧ સમયે જઘન્ય વિશુદ્ધિ સર્વથી અલ્પ એ તેથી ૨ સમયે જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ
” - તેથી ૧ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ - " ૨.
olanom za w
lå &
અન્ય
સંખેય
on
૧ ૨.
''
ભાગ
” ૧૩ "
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org