________________
ઉપશમનાકરણ
૧૮૭
अणुसमयं वडूढंतो, अज्झवसाणाण गंतवगणणाए । પરિણામદા, હોનું વિ તો સવMા | ૧ | अनुसमयं वर्धमानो- ऽध्यवसायानामनन्तगुणनया ।
રિણામસ્થાનાનાં, તો સંધ્યેયઃ |૬ ગાથાર્થ :- દરેક સમયે અધ્યવસાયોની અનંતગુણ વિશદ્ધિમાં (કરણ સમાપ્તિ સુધી) વર્તે છે. અને યથાપ્રવૃત્ત તથા અપૂર્વ એ બે કરણમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો છે.
ટીકાર્ય - હવે કરણોનું જ સ્વરૂપ વિસ્તારથી કહે છે-દરેક સમયે સમયે અધ્યવસાયોની અનંતગુણપણે વિશુદ્ધિથી વધતો જ્યાં સુધી કરણની સમાપ્તિ થાય છે ત્યાં સુધી નિરન્તર વધે છે. વળી દરેક કરણોને વિષે કેટલાં અધ્યવસાયસ્થાનો પ્રાપ્ત થાય છે, તો કહે છે યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ એ બન્ને પણ કરણના પરિણામ સ્થાનો દરેક સમયે અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ થાય છે, તે આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે વિશોધિસ્થાનો અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી બીજા સમયે વિશેષાધિક, તેથી ત્રીજા સમયે પણ વિશેષાધિક, એ પ્રમાણે અપૂર્વકરણને વિષે પણ જાણવું.' ' અને આ યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ સંબંધી અધ્યવસાયસ્થાનોની સ્થાપના વિષમ ચોરસ ક્ષેત્ર થાય છે. અને ઉપર ઉપર વિચારતાં અનંતગુણવૃદ્ધિ થી વધતાં જાણવું. અને તિર્જી રીતે વિચારતાં ષસ્થાનપતિત થાય છે. અને તે બન્નેની ઉપર અનિવૃત્તિકરણના અધ્યવસાયસ્થાનો મુક્તાવલી મોતીના હારને આકારે સ્થાપના છે. (યંત્ર નંબર ૧ થી ૬ જુઓ)
मन्दविसोही पढ़मस्स संखभागाहि पढमसमयम्मि । उक्करसं उप्पिमहो एक्केक्कं दोण्ह जीवाणं ।। १० । आ चरमाओ सेसुक्कोसं पुब्बप्पवत्तमिइनाम । बिइयस्स बिइयसमए, जहण्णमवि अणंतरुक्कस्सा ।। ११ ।। मन्दविशोधि ः प्रथमस्य संख्येयभागैः प्रथमसमये । उत्कृष्टमुपर्यधश्चैकैकं द्वयोर्जीवयो : ॥ १० ॥ 'आचरमाच्छेषोत्कृष्टानि, पूर्वप्रवृत्तमिति नाम ।
द्वितीयस्य द्वितीयसमये, जघन्यमप्यनन्तरोत्कृष्टात् ॥ ११ ॥ ગાથાર્થ - કરણ પ્રતિપન્ન બે જીવોમાં પ્રથમ જીવને પ્રથમ સમયે મંદ વિશુદ્ધિ અલ્પ છે. તેથી દ્વિતીયાદિક સમયમાં થાવત્ સંખ્યાતમા ભાગ સુધી અનંતગુણ વિશુદ્ધિ છે. તેથી બીજા જીવને પ્રથમ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે. એ પ્રમાણે ઉપરના દ્વિતીયાદિક સમયની જઘન્ય અને નીચેના દ્વિતીયાદિક સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ કહેવી. | ૧૦ ||
શેષ અંતિમ સંખ્યામાં ભાગમાં અંતિમ સમય સુધી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ નિરંતરપણે અનંતગુણ કહેવી. એનું “પૂર્વવૃત્ત'' એવું બીજાં પણ નામ છે. હવે બીજા અપૂર્વકરણના બીજા સમયમાં જે જઘન્ય વિશુદ્ધિ છે તે પણ પૂર્વાનંતર (પ્રથમ) સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી અનંતગુણ છે. || ૧૧ ||
૧૦.
એક કાલે યથાપ્રવૃત્ત વિગેરે કરણોમાં જીવો વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યયભાગ જેટલાં હોય છે. તેથી અધ્યવસાયમાં વર્તતાં જીવો વધારેમાં વધારે એટલા જ મળી શકે. બાકીના અધ્યવસાયો શુન્ય (ખાલી) હોય છે. પરંતુ ભૂતકાળની અપેક્ષાએ અનંતા જીવો તે તે કરણ પામેલા હોવાથી અનંત જીવો અધ્યવસાય પામ્યા છે. છતાં અસંખ્ય લોક જેટલાં જ અધ્યવસાય હોવાથી અનંત જીવોને એક સરખા અધ્યવસાયો પ્રાપ્ત થાય છે. તે એમ સમજવું.. એક જીવની અપેક્ષાએ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં ઉર્ધ્વમુખી વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તિર્યમુખી વિશુદ્ધિ હોતી નથી. તિર્યમુખી વિશુદ્ધિ સમાન સમયમાં રહેલા અનેક જીવોની અપેક્ષાએ વિચારાય, ઊર્ધ્વમુખી વિશુદ્ધિ એક જીવની અપેક્ષાએ અને અનેક જીવની અપેક્ષાએ વિચારાય. તિર્યમુખી વિશુદ્ધિ પ્રથમ કરણ અને બીજા કરણમાં પસ્થાન પતિત છે. અનેક જીવોની અપેક્ષાએ ઉર્ધ્વમુખી વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણમાં જસ્થાન પતિત હોય છે. અને અપૂર્વકરણમાં અનંતગુણવૃદ્ધ જ વિશુદ્ધિ હોય છે. આ વિગતને વિસ્તારથી સમજવા માટે ત્રણે કરણમાં અધ્યવસાય અને વિશુદ્ધિના સ્થાપના યંત્રો બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org