________________
ઉપશમનાકરણ
૧૮૫ ठिइबंधद्धापुण्णे, नवबंध पल्लसंखभागूणं । असुभसुभाणणुभागं, अणंतगुणहाणितुष्टीहिं ॥ ७ ॥ करणं अहापवत्तं, अपुवकरणमनियट्टिकरणं च । अंतोमुहुत्तियाई, उवर्सतद्धं च लहइ कमा ॥ ८ ॥ सर्वोपशमना मोहस्यैव तु, तस्योपशमक्रियायोग्यः । પદ્રિયસ્ત સંસી, તો સ્થિયુિવતઃ | ૩ | पूर्वमपि विशुद्ध्यमान : ग्रन्थिकसत्त्वानामतिक्रम्य शुद्धिम् । अन्यतरस्मिन् साकारे, योगे च विशुद्धलेश्यासु ॥ ४ ॥ स्थितिं सत्कर्माऽन्तःकोटीकोटीं कृत्वा सप्तानाम् । द्विस्थानकचतुःस्थाने, अशुभशुभानां चाऽनुभागम् ।। ५ ।। बध्नन् ध्रुवप्रकृती:, भवप्रायोग्याः शुभा अनायुश्च । योगवशाच्च प्रदेशम्, उत्कृष्टं मध्यमं जघन्यम् ।। ६ ॥ स्थितिबन्धाद्धापूर्णे, नवबन्धं पल्यसव्येयभागोनाम् । अशुभशुभानामनुभागम्, अनन्तगुणहानिवृद्धिभिः ॥ ७ ॥ करणं यथाप्रवृत्तमपूर्वकरणमनिवृत्तिकरणं च ।।
आन्तमॊहूर्तिकान्युपशान्ताद्धाच लभते क्रमात् ॥ ८ ॥ ગાથાર્થ :- સર્વ ઉપશમના મોહનીયકર્મની જ થાય છે. તે સર્વોપશમનાની ક્રિયા યોગ્ય પંચેન્દ્રિય સંજ્ઞિ પર્યાપ્ત ત્રણ લબ્ધિ યુક્ત જીવ છે. / ૩ /
(કરણકાળથી) પૂર્વ પણ વિશુદ્ધિ પામતો, ગ્રંથિ સુધી આવેલ અભવ્યથી અધિક વિશુદ્ધિવાળો, કોઇપણ એક સાકારોપયોગ, કોઇપણ એક યોગમાં, અને કોઇપણ એક વિશુદ્ધ લશ્યામાં વર્તતો. | ૪ ||
(આયુષ્ય સિવાયના) સાત કર્મની અંતઃકોડાકોડી સ્થિતિ કરીને, અશુભ પ્રવૃતિઓના અનુભાગને ૨ સ્થાનિક અને શુભપ્રકૃતિઓના અનુભાગને ૪ સ્થાનિક અનુભાગસરા કરીને. // ૫ |
ધ્રુવપ્રકૃતિ-૪૭ બાંધતો અને ભવ પ્રાયોગ્ય આયુષ્ય સિવાય શુભનો જ બંધ કરે અને યોગને અનુસાર પ્રદેશબંધ પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય કરે છે. / ૬ /.
સ્થિતિબંધનો કાળ પૂર્ણ થયે છતે અન્ય નવો સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યયભાગ ન્યૂન કરે છે, તથા અશુભ અનુભાગને અનંતગુણહીન અને શુભ અનુભાગને અનંતગુણાધિક બાંધે છે. || ૭ | | (ઉપર કહેલ વિશેષણવાળો વિશિષ્ટ જીવ ક્રમસર) યથાપ્રવૃત્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે. તે પ્રત્યેકનો અંતર્મુહૂર્ત અને સર્વનો એકત્ર કાળ પણ અંતર્મુહુર્ત પ્રમાણ છે. અને પછી ઉપશાન્ત અદ્ધાને પામે છે. તે ૮ ||.
ટીકાર્થ :- અહીં સર્વ ઉપશમના મોહનીયકર્મની જ હોય છે, અને બાકીના ૭ કર્મોની તો દેશ ઉપશમના થાય છે. ત્યાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, સંજ્ઞિ અને પંચેન્દ્રિય એ ત્રણ લબ્ધિ યુક્ત અર્થાત્ પંચેન્દ્રિયત્વ - સંજ્ઞિત્વ અને પર્યાપ્તત્વરૂપ ત્રણ લબ્ધિ સહિત જીવ તે મોહનીયકર્મની સર્વોપશમના રૂપ ક્રિયાની યોગ્યતાવાળો હોય છે. અથવા ઉપશમલબ્ધિ ઉપદેશ શ્રવણલબ્ધિ અને ત્રણ કરણમાં હેતુભૂત એવી ઉત્કૃષ્ટયોગ લબ્ધિ, એ ત્રણ લબ્ધિ યુક્ત જીવ મોહનીયની સર્વોપશમના કરવાને યોગ્ય ગણાય છે. ૩ ||
તથા કરણકાળથી પૂર્વે પણ અંતર્મુહૂર્ણકાળ સુધી દરેક સમયે અનંતગણ વિશદ્ધિએ વધતો તથા ગ્રંથી સુધી આવેલા અભવ્ય જીવોને જે વિશુદ્ધિ હોય છે. તેથી પણ અધિક વિશુદ્ધિમાં વર્તતો અર્થાત્ તેથી અનંતગુણ વિશુદ્ધિમાં વર્તતો. તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org