SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉ. ગુરુ અને કર્કશસ્પર્શ, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, ઔદારિકસપ્તક, છ સંઘયણ, મધ્યમના ચાર સંસ્થાન, આતપ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વી આ ૩૬ પ્રકૃતિઓનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી તથાસ્વાભાવે ક્રિસ્થાનક જ રસ હોય છે..... પ્ર. ૨૫ એવી કેટલી અને કઇ પ્રકૃતિઓ છે કે જેઓનો ઉદીરણા આશ્રયી માત્ર દ્વિસ્થાનક જ રસ હોય ? ઉ. ચોવીસમા પ્રશ્નોત્તરમાં જણાવેલ ૩૬ પ્રકૃતિઓ અને મિશ્રમોહનીય એમ ૩૭ પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી દ્વિસ્થાનક જ રસ હોય છે.... પ્ર. ૨૬ એવી કઇ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો બંધની સમાન ઉદીરણા આશ્રયી પણ દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોય ? ઉ. કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, પાંચ નિદ્રા, બે વેદનીય, મિથ્યાત્વ, આદ્ય બારકષાય, હાસ્યષક, નરક અને દેવાયુષ્ય, બે ગોત્ર, દેવ તથા નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારકસપ્તક, વૈક્રિયસપ્તક, તૈજસસપ્તક, સમચતુરસ અને હુડકસંસ્થાન, ગુરુ તથા કર્કશસ્પર્શ વિના અઢાર વર્ણાદિ ચતુષ્કની, બે વિહાયોગતિ, આતપ વિના સાત પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદસક અને અસ્થિરષક આ એકસો એક પ્રકૃતિઓ બંધની જેમ ઉદીરણા આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોય છે. પ્ર. ૨૭ એવી કઇ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો ઉદીરણા આશ્રયી એક અને ક્રિસ્થાનક જ રસ હોય ? ઉ. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ સમ્યકત્વમોહનીય, પુરુષવેદ, સ્ત્રીવેદ અને પાંચ અંતરાય આ દસ પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી એક અને ક્રિસ્થાનક જ રસ હોય છે... પ્ર. ૨૮ દેશઘાતિ કઈ અને કેટલી પ્રકૃતિઓ એવી છે કે જેઓને ઉદીરણા આશ્રયી માત્ર દેશઘાતિ જ રસ હોય ? ઉ. અચક્ષુદર્શનાવરણ, સમ્યકત્વમોહનીય અને પાંચ અંતરાય આ દેશધતિ સાત પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી સદા દેશઘાતિ જ રસ હોય છે પરંતુ સર્વઘાતિ હોતો જ નથી. પ્ર. ૨૯ કયા કયા જીવોને અયશ-કીર્તિની ઉદીરણા હોય જ ? ઉ સુક્ષ્મ એકેન્દ્રિય, તેઉકાય, વાયુકાય, નારક, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચોને હંમેશા યશકીર્તિનો જ ઉદય હોવાથી તેની ઉદીરણા હોય જ છે. પ્ર. ૩૦ યુગલિક મનુષ્ય-તિર્યંચોને નામકર્મની પરાવર્તમાન કઇ કઇ શુભ પ્રકૃતિઓની જ ઉદીરણા હોય ? અને કઇ કઇ અશુભ પ્રવૃતિઓની પણ હોઇ શકે ? યુગલિક મનુષ્ય-તિર્યંચોને પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહયોગતિ અને સુસ્વર આ ચાર નામકર્મની પરાવર્તમાન શુભ પ્રવૃતિઓની જ ઉદીરણા હોય છે, અને દૌર્ભાગ્ય તેમજ અનાદયદ્ધિક આ ત્રણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓની પણ ઉદીરણા હોઇ શકે છે. પ્ર. ૩૧ હાસ્ય અને રતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા કોને હોય ? ૧. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સહસ્ત્રાર કલ્પવાસી દેવોને હાસ્ય-રતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. પ્ર. ૩૨ કઇ કઇ પ્રકૃતિઓની કેવા પરિણામે ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ઉદીરણા થાય ? ઉ. તત્કાયોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામે અશુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અને શુભ પ્રવૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તેમજ અતિ-વિશુદ્ધ પરિણામે અશુભ પ્રકૃતિઓની જઘન્ય અને શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે...પરંતુ તે તે પ્રકૃતિઓના ઉદયવર્તી અતિસંક્લિષ્ટ અથવા અતિ વિશુદ્ધ જીવો સમજવા... પ્ર. ૩૩ એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ હોય ? નામકર્મની ધ્રુવોદયી તેત્રીસ, મનુષ્યગતિ, પંચન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, પ્રથમ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાયોગતિ, ઉપઘાત, પરાઘાત, તીર્થકર નામકર્મ, ત્રસચતુષ્ક, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર આ બાસઠ પ્રકૃતિઓની સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે અને બે સ્વર તથા ઉચ્છવાસ આ ત્રણની પોતપોતાના નિરોધના ચરમ સમયે અંતર્મુહૂર્ત પ્રમાણ જધન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.... પ્ર. ૩૪ અપર્યાપ્તનામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા શેષ લબ્ધિ અપર્યાપ્ત જીવોને ન બતાવતાં સંમૂર્છાિમ મનુષ્યોને ચરમ સમયે કેમ બતાવી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy