________________
ઉદીરણાકરણ - પ્રશ્નોત્તરી
૧૫૩
અન્ય લબ્ધિ અપર્યાપ્ત જીવો કરતાં સંમૂર્ચ્છિમ મનુષ્યોને ચરમ-સમયે વિશુદ્ધિ વધારે હોય છે....અને તત્પ્રાયોગ્ય અતિ વિશુદ્ધ જીવોને જ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે...માટે અન્ય જીવોને નહીં પરંતુ સંમૂર્ચ્છિમ મનુષ્યોને જ ચરમ સમયે અપર્યાપ્ત નામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા બતાવેલ છે....
ઉ.
પ્ર. ૩૫ તૈજસસપ્તક, શુભવર્ણાદિ નવ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ, સ્થિરત્રિક, આદેયદ્ધિક અને ઉચ્ચગોત્ર આ પચ્ચીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે બતાવેલ છે પરંતુ પંચસંગ્રહના પ્રથમ ભાગ-પ્રથમ દ્વારની પંદરમી ગાથાની પૂ. મલયગિરિજીકૃત ટીકામાં કેવલી સમુદ્દાતના પ્રસંગે મનુષ્યગતિ-આદિ ઓગણચાલીસ શુભપ્રકૃતિઓના અનુભાગને અપ્રશસ્ત-પ્રકૃતિઓના અનુભાગમાં પ્રવેશ કરી હણી-હણીને અનંતમા ભાગ જેટલો જ રાખે છે..એમ બતાવેલ છે અને તે ઓગણચાલીસ પ્રકૃતિઓમાં તૈજસસપ્તક વિગેરે આ પચ્ચીસ પ્રકૃતિઓ પણ આવી જાય છે માટે સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે આ પચ્ચીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા શી રીતે હોઇ શકે ?
ઉ.
પ્ર. ૩૬ આજ ક૨ણની ગાથા ૨૧ની ટીકામાં જણાવેલ છે કે દેવતાઓને ઉત્પત્તિના પહેલા અંતર્મુહૂર્ત પછી માત્સર્ય વિગેરે દોષો તેમજ પ્રિયના વિયોગ આદિ અને ચ્યવનકાલ વિગેરે પ્રસંગોમાં અસાતા તેમજ અતિ-શોકનો ઉદય હોય છે તો તે સિવાયના સર્વકાલમાં દેવોને સતત સાતા અને હાસ્ય-રતિનો જ ઉદય હોય ?
ઉ.
પંચસંગ્રહ પ્રથમદ્વાર ગાથા ૧૫ની ટીકામાં સમુદ્ધાતનું સ્વરૂપ આવશ્યકચૂર્ણી આદિ સિદ્ધાંત ગ્રંથોના આધારે બતાવેલ છે પરંતુ કર્મગ્રંથ કે કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોના આધારે બતાવેલ નથી. કારણ કે કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહ સંક્રમણ કરણમાં દેવગતિ વગેરે કેટલીક શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી પોતપોતાના બંધવિચ્છેદથી એક આલિકા બાદ સર્યાગી ગુણસ્થાનકના ચરમ સમય સુધીના જીવો બતાવેલ છે અને ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા હોય તો જ ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પણ ઘટે. પરંતુ કેવલી સમુદ્દાતમાં શુભ પ્રકૃતિઓના અનુભાગનો નાશ કરે તો કેવલી સમુદ્દાત પછી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પણ ન ઘટે. માટે કેવલી સમુદ્ધાતમાં સિદ્ધાંતના મતે શુભપ્રકૃતિઓના અનુભાગનો ઘાત કરે. પરંતુ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોના મતે ઘાત ન કરે. અને તેથી જ સયોગી ગુણસ્થાનકના ચરમ સમય સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ અને ઉદીરણા ઘટી શકે છે.....પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ.
3.
દેવોને સતત સાતા વગેરેનો ઉદય ઉત્કૃષ્ટથી પણ છ માસ સુધી જ હોય છે. એ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ સૂત્ર-ચતુર્થ અધ્યાય ૨૨માં સૂત્રની ટીકા પૃષ્ટાંક ૩૦૪માં જણાવેલ છે. તેથી છ માસ પછી માત્સર્યાદિ દોષ વગેરેના પ્રસંગો ન આવે તો પણ અલ્પ-સમય માટે અસાતા વેદનીય વગેરેના ઉદય અવશ્ય થાય છે એમ લાગે છે. માટે દેવોને સાતાવેદનીય વગેરે ત્રણે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટથી પણ સતત છ માસ સુધી ઉદીરણા હોય છે....પછી અલ્પકાળ માટે પણ અવશ્ય અસાતાવેદનીય વગેરે ત્રણે અશુભ-પ્રકૃતિઓનો ઉદય થવાથી અસાતાવેદનીય વગેરેની જ ઉદીરણા થાય છે....
પ્ર. ૩૭ જીવાભિગમસૂત્ર ૪થી પ્રતિપત્તિ, ૩ ઉદ્દેશ ના૨ક અધિકાર સૂત્ર ૯૫ ગાથા ૬ ‘૩વવાળ વ સાથે ' ઇત્યાદિ ગાથાઓમાં ઉત્પત્તિ સમયે પણ કોઇક નારક સાતાવેદનીયને જ અનુભવે છે તથાસ્વભાવે જ તેને ક્ષેત્રકૃત, પરમાધાર્મિકકૃત તેમજ પરસ્પરકૃત એમ કોઇપણ પ્રકારની વેદના હોતી નથી તેથી સાતાનો ઉદય હોવાથી ઉદીરણા પણ સાતાની જ થાય, છતાં આ ક૨ણની ગાથા ૨૧ તથા તેની ટીકામાં પ્રથમ અંતર્મુહૂર્ત નારકોને અસાતા
વેદનીયની ઉદીરણા હોય એમ કેમ બતાવેલ છે ?
જીવાભિગમ સૂત્રમાં જે કહેલ છે તે બરાબર છે પરંતુ બહુલતાએ મોટાભાગના નારકોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં અસાતા વિગેરેનો જ ઉદય અને ઉદીરણા હોય છે માટે જ પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિમાં બહુલતાની અપેક્ષાએ એમ કહેલ છે....
વિશેષ પ્રશ્નોત્તરી માટે પ.પૂ.મુનિ અભયશેખર વિજય મ૰ સાઇ ની કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩માં પેઇઝ નંબર ૧૩૦ થી ૧૫૧ સુધીના જુઓ.
-: ઇતિ ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org