________________
ઉદીરણાકરણ - પ્રશ્નોત્તરી
૧૪૯
આતપનામકર્મની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે....પરંતુ ઉત્પન્ન થતાંની સાથે જ સ્થાવર તથા એકેન્દ્રિયજાતિનો ઉદય થાય છે. તેથી આ બન્ને પ્રકૃતિઓની તેજ વખતે જેની બંધાવલિકા પૂર્ણ થઇ છે એવી ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા થાય છે....માટે સ્થાવર તથા એકેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા આ મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઘટી શકે છે. એ પ્રમાણે આ મતે શેષ
અનુદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓ માટે પણ સમજવું. પ્ર. ૬ ટીકાકાર મહર્ષિઓએ દેવો અથવા નારકો ઔદારિકસપ્તક, તિર્યંચદ્ધિક અને સેવાર્ત સંઘયણનો અતિસંક્લિષ્ટ
પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી પછી મધ્યમ પરિણામે ત્યાં જ અંતર્મુહૂર્ત રહી મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે ઉદયના પ્રથમ સમયે યથાસંભવ આ દસ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બતાવેલ છે. પરંતુ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિ સંક્લિષ્ટ પરિણામી મનુષ્ય-તિર્યંચ પણ નરકગતિ આદિ નામકર્મની કેટલીક પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે....તેથી તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી દારિકસપ્તક આદિ આ ૧૦ પ્રકૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે બંધાવલિકા જેની પૂર્ણ થઇ છે એવી ઉદયાવલિકા ઉપરની અર્થાત્ બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નરકગતિ વગેરે અન્ય પ્રકૃતિઓને બંધાતી ઔદારિકસપ્તક વગેરે પ્રકૃતિઓમાં પોતાની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે ત્યારે દારિકસપ્તક વગેરે આ ૧૦ પ્રકૃતિઓની આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. અને સંક્રમાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની અર્થાત્ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ આ દસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરી શકે છે. છતાં પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને યથાસંભવ આ દસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ત્રણ આવલિકા ન્યૂન ન બતાવતાં ઉદયના પ્રથમ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન કેમ બતાવેલ છે ? ટીકાકાર મહર્ષિઓના મતે પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન હોવાથી તેમના મતે આ વિરોધ આવે છે. પરંતુ મૂલકાર તેમજ ચૂર્ણિકારના મતે ચરમ અંતર્મુહૂર્તમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વીકારેલ હોવાથી ઉદયના પ્રથમ સમયે યથાસંભવ મનુષ્ય અને તિર્યંચોને આ દસે પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઘટે છે પરંતુ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને આ દસ પ્રકૃતિઓની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રાપ્ત થતી હોવાથી ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની જેમ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. માટે જ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચો ન બતાવતાં ઉદયના પ્રથમ સમયવર્તી મનુષ્ય-તિર્યંચો જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી બતાવેલ
છે. અને તે જ બરાબર લાગે છે. પછી તો બહુશ્રતો કહે તે પ્રમાણ. પ્ર. ૭ વૈક્રિયસપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી ઉત્તર-વૈક્રિય શરીરી મિથ્યાદૃષ્ટિ મનુષ્ય-તિર્યંચોની જેમ ઉદય
પ્રથમ-સમયવર્તી નારકો હોય કે નહીં ? પૂર્વ ભવના ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માનનાર ચૂર્ણિકાર આદિ મહર્ષિઓના મતે ઉદય પ્રથમ સમયવર્તી નારકો પણ વૈક્રિયસપ્તકના ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોઇ શકે છે. પરંતુ ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં માનનાર ટીકાકાર-મહર્ષિઓના મતે ઉદયના પ્રથમ સમયે નારકોને અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. માટે નારકો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી સંભવતા નથી. પરંતુ ઉત્તર શરીરી મિથ્યાદૃષ્ટિ મનુષ્ય-તિર્યંચો આ સાતે પ્રકૃતિઓનેં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે માટે
તેઓ જ એના સ્વામી છે. પ્ર. ૮ અનુદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કેટલી હોય ?
. આતપની આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ, પાંચ નિદ્રાની આવલિકા અધિક અંતર્મુહૂર્ત
ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ, નરકદ્વિક, એકેન્દ્રિયજાતિ અને સ્થાવર આ ચારની ચૂર્ણિકાર વગેરે મહર્ષિઓના મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ટીકાકાર મહર્ષિઓના મતે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ઔદારિકસપ્તક, તિર્યંચદ્ધિક તથા સેવાર્ત સંઘયણ આ દસની ચૂર્ણિકાર મહર્ષિઓના મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ટીકાકાર મહર્ષિઓના મતે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ, પરંતુ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને છઠ્ઠા પ્રશ્ના ઉત્તરમાં બતાવ્યા પ્રમાણે ત્રણ આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે....
For Personal & Private Use Only
ઉ.
S સ્થિતિ ઉદીરણાના સમયે નારકોને અંતર્મ પણ વૈક્રિયસતકાર્ષિઓના મતે ઉધના સ્થિતિ ઉદીરણાના
સંભવતા નથી. પરંતુ ધવલિકા વ્યતીત થ માટે
Jain Education International
www.jainelibrary.org