________________
ઉદીરણપ્રકરણ - સારસંગ્રહ - પ્રશ્નોત્તરી
ચારગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક તેજસ-કાર્પણસપ્તક, સંઘયણષટ્ક, સંસ્થાનષટ્ક, વર્ણાદિવીસ, વિહાયોગતિદ્વિક, આતપ અને તીર્થંકરનામ વિના પ્રત્યેક છ પ્રકૃતિ, ત્રસદસક, અસ્થિરષટ્ક, ગોત્રદ્વિક અને પાંચ અંતરાય આ નેવ્યાસી પ્રકૃતિઓના સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત યથાસંભવ ચારેગતિના અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિય જીવો સ્વામી છે.
ચાર આનુપૂર્વીના તત્કાયોગ્ય સંક્લિષ્ટ પોતપોતાના ભવમાં વિગ્રહગતિમાં વર્તતાં જીવો જધન્ય પ્રદેશ ઉદીરણાના
સ્વામી છે.
અતિસંક્લિષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયો એકેન્દ્રિયજાતિ અને સ્થાવરનામકર્મના, બાદર નિગોદના જીવો સાધારણના, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સૂક્ષ્મ જીવો સૂક્ષ્મનામકર્મના અને અપર્યાપ્તના ચ૨મ સમયે ગર્ભજ. અપર્યાપ્ત મનુષ્યો અપર્યાપ્તનામકર્મના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
૧૪૭
સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિસંક્લિષ્ટ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચતુરિન્દ્રિય જીવો અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિના અને અતિસંક્લિષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ખર બાદર પૃથ્વીકાય જીવો આતપનામકર્મના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી આહા૨ક શરીરધારી ૧૪પૂર્વી પ્રમત્તયતિ આહારકસપ્તકના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
આયોજિકાકરણ કર્યા બાદ ઉદીરણા દ્વારા ઉદયમાં ઘણાં પુદ્ગલોનો ક્ષય થતો હોવાથી આયોજિકાકરણ પહેલાના કાળમાં તીર્થંકર પરમાત્માઓ તીર્થંકરનામકર્મના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
સુખી જીવોને તથાસ્વભાવે જ આયુષ્યકર્મના ઉદીરણા દ્વારા થોડા પુદ્ગલો ઉદયમાં આવે છે અને જઘન્ય સ્થિતિવાળા ના૨કો અન્ય નારકોની અપેક્ષાએ વધારે સુખી હોય છે, તેથી દસહજાર વર્ષના આયુષ્યવાળા સ્વભૂમિકાને અનુસાર સુખી ના૨કો નરક આયુષ્યના, તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવો દેવાયુષ્યના, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો મનુષ્ય આયુષ્યના અને તિર્યંચો તિર્યંચ આયુષ્યના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
ઈતિ ૪થી પ્રદેશ ઉદીરણા સમાપ્ત
ઈતિ ઉદીરણાકરણ સારસંગ્રહ સમાપ્ત
-: અથ ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી :
પ્ર. ૧ સંઘયણ તથા સંસ્થાનના ઉદય અને ઉદીરણામાં મતાન્તર હોય તો જણાવો ?
ઉ.
બૃહત્સંગ્રહણી વગેરે કેટલાક ગ્રંથોમાં પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચોને માત્ર સેવાર્ત સંહનન અને હુંડક સંસ્થાનનો જ ઉદય માનેલ હોવાથી તે ગ્રંથકારોના મતે તે બેની જ ઉદીરણા હોય, અન્ય સંહનન-સંસ્થાનોની ઉદીરણા ન હોય. પરંતુ પંચસંગ્રહ વગેરે કેટલાક આચાર્ય-ભગવંતો યથાસંભવ છે એ સંઘયણ અને સંસ્થાનોનો ઉદય માને છે. તેથી પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચોને છ એ સંહનન અને સંસ્થાનની ઉદીરણા હોય છે.
તેમજ કર્મસ્તવ વગેરે કેટલાક ગ્રંથકારો બીજા અને ત્રીજા સંઘયણનો ઉદય અગિયારમા ગુણસ્થાનક સુધી માને છે માટે તેઓના મતે તે બે સંઘયણની ઉદીરણા પણ અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે. પરંતુ પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિ વગેરે ગ્રન્થકારોએ આ બે સંઘયણનો ઉદય પણ સાતમા ગુણસ્થાનક સુધી જ માનેલ છે. માટે છેલ્લા ત્રણ સંઘયણની જેમ આ બે સંઘયણની પણ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અપ્રમત્ત મુનિને જ બતાવેલ છે.
પ્ર. ૨ શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત જીવોને નિદ્રાઓનો ઉદય અને ઉદીરણા હોય કે નહીં. ?
ઉ.
Jain Education International
પંચસંગ્રહ, કર્મપ્રકૃતિની પૂ. મલયગિરિજી મ. કૃત અને પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકાઓ વગેરેમાં શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત જીવોને નિદ્રાઓનો ઉદય તેમજ ઉદીરણા બતાવેલ નથી. પરંતુ શરી૨-૫ર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદીરણા વિના કેવલ ઉદય બતાવેલ છે. પરંતુ પંચસંગ્રહના પ્રથમ
For Personal & Private Use Only
www.jainsitivity.org