SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કના, અપ્રમતાભિમુખ પ્રમત્તયતિ ઉદય પ્રાપ્ત યથાસંભવ થીણદ્વિત્રિકના અને અગિયારમાં ગુણસ્થાનકવાળા જીવો ઉદયપ્રાપ્ત યથાસંભવ નિદ્રાદ્ધિકના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. ક્ષયોપશમ સમ્યકત્વ પામતાં ત્રીજા ગુણસ્થાનકના ચરમ સમયવર્તી મિશ્રમોહનીયના અને ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરનાર પોતાની ઉદીરણાના ચરમ સમયવર્તી ક્ષયોપશમ સમ્યકત્વી સમ્યકત્વમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. અપ્રમત્તાભિમુખ અતિવિશુદ્ધ પ્રમત્તયતિ બે વેદનીયના, સર્વવિશુદ્ધ અપ્રમત્તયતિ પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, આહારકસપ્તક, વૈક્રિયસખક અને ઉદ્યોત આ વીસ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. | સર્વવિશુદ્ધ દેશવિરતિ તિર્યંચ તિર્યંચગતિના, પોતપોતાના ભવની વિગ્રહગતિમાં વર્તમાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિ પોતપોતાની આનુપૂર્વીના, અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવો તથા નારકો ક્રમશઃ દેવ અને નરકગતિના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. આ સ્થળે કર્મપ્રકૃતિની ટીકા તથા ચૂર્ણિમાં નરક અને તિર્યંચાનુપૂર્વીના ક્ષાયિક સમ્યત્વી અને મનુષ્ય તથા દેવાનુપૂર્વાના સામાન્ય સમ્યગ્દષ્ટિ જીવો સ્વામી કહ્યાં છે. સર્વવિરતિને પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય દોર્ભાગ્ય, અનાદેદ્ધિક અને નીચગોત્રના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. જઘન્યસ્થિતિવાળા દેવો અલ્પ પુન્ય પ્રકર્ષવાળા હોવાથી તેઓને પ્રિયના વિયોગાદિમાં ઘણાં દુઃખનો સંભવ છે. ઘણાં દુ:ખી જીવો તથાસ્વાભાવે જ આયુષ્યકર્મના ઘણાં પગલો ઉદીરણા દ્વારા ઉદયમાં લાવી ક્ષય કરે છે. તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો વધુ દુઃખી હોય છે. માટે દસ હજાર વર્ષના આયુષ્યવાળા તીવ્ર દુઃખોદયમાં વર્તતાં દેવી દેવાયુષ્યના, તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા તીવ્ર દુખોદયમાં વર્તતાં સાતમી નરકના નારકો નરકાયુષ્યના તેમજ આઠ વર્ષના આયુષ્યવાળા આઠમા વર્ષમાં વર્તતાં તિર્યંચો અને મનુષ્યો તથાસ્વાભાવે ક્રમશઃ તિર્યંચ તથા મનુષ્ય આયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. સ્વપ્રાયોગ્ય સર્વવિશુદ્ધ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવો એકેન્દ્રિય અને સ્થાવર નામકર્મના, ખર પૃથ્વીકાય આતપનામકર્મના, સૂક્ષ્મજીવો સૂક્ષ્મનામકર્મના, સાધારણ વનસ્પતિકાય જીવો સાધારણનામકર્મના, પર્યાપ્ત વિકસેન્દ્રિયો ક્રમશઃ બેઈન્દ્રિય, તેઈદ્રિય અને ચતુરિન્દ્રિયજાતિ નામકર્મના અને સર્વવિશુદ્ધ પોતાના અંત સમયે સમૂર્છાિમ અપર્યાપ્ત મનુષ્યો અપર્યાપ્ત નામકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. ચરમ સમયવર્તી સયોગી કેવલી મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, તેજસ-કામર્ણ સપ્તક, પ્રથમસંઘયણ, છ સંસ્થાન વર્ણાદિવસ, વિહાયોગતિદ્રિક, આતપ-ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદસક, અસ્થિર, અશુભ, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર....આ પાંસઠ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. પરંતુ ઉચ્છવાસ અને બે સ્વરના નિરોધ કાળે પોતપોતાની ઉદીરણાના ચરમ સમયવર્તી જાણવાં.... જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી - જેમ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણામાં તે તે પ્રકૃતિના ઉદયવાળા અતિવિશુદ્ધ પરિણામી જીવો સ્વામી છે, તેમ જઘન્ય પ્રદેશ ઉદીરણામાં તે તે પ્રકૃતિના ઉદયવાળા અતિસંક્લિષ્ટ પરિણામી જીવો સ્વામી છે. અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના અવધિ લબ્ધિવાળા ચારેગતિના અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ જીવો જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. અવધિ ઉત્પન્ન થતાં ઘણાં યુગલો સત્તામાંથી દૂર થઈ જાય છે, અને થોડા જ રહે છે, તેથી અવધિ લબ્ધિયુત જીવો ગ્રહણ કર્યા છે. અવધિઢિકના આવરણ વિના શેષ ચાર જ્ઞાનાવરણ, ત્રણ દર્શનાવરણ, બે વેદનીય, મિથ્યાત્વમોહનીય, સોળકષાય અને નવ નોકષાય, આ પાંત્રીસ પ્રકતિઓના અતિસંકિલષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ચારગતિના મિથ્યાદૃષ્ટિ જીવો જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. તત્કાયોગ્ય અતિસંક્લિષ્ટ મિથ્યાત્વાભિમુખ ચરમસમયવર્તી ક્ષયોપશમસમ્યકત્વી સમ્યકત્વમોહનીયના અને મિશ્રદૃષ્ટિ મિશ્રમોહનીયના જઘન્ય પ્રદેશ-ઉદીરણાના સ્વામી છે. ત~ાયોગ્ય સંક્લિષ્ટ ચારગતિના પર્યાપ્ત જીવો યથાસંભવ ઉદયપ્રાપ્ત પાંચ નિદ્રાના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy