________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૪૫ આયુષ્યકર્મની ઉદીરણા જ અધ્રુવ હોવાથી તેના ચારે વિકલ્પો સાદિ-અધ્રુવ છે.
બારમાં ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મની, તેરમા ગુણસ્થાનકના ચરમ સમયે નામ તથા ગોત્રકર્મની સમયમાત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે માટે તે સાદિ અને અધ્રુવ છે. શેષ કાળે આ પાંચે કર્મની ઉદય હોય ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. બારમા તથા તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે... વેદનીયકર્મની જેમ આ પાંચે કર્મની અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિને જઘન્ય પ્રદેશ ઉદીરણા અને શેષ કાળે અજઘન્ય પ્રદેશ ઉદીરણા વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ હોય છે........
ઉત્તરપ્રકતિ આશ્રયી સાદ્યાદિ :- મિથ્યાત્વમોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદ્યાદિ બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ સુડતાલીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ ચારસો ત્રેવીસ અને બાકીની એકસોદસ અધુવોદયી પ્રકૃતિઓના ચારે વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના આઠ-આઠ કુલ આઠસો એંસી, એમ સર્વ મલીને એકહજાર ત્રણસો તેર વિકલ્પો થાય છે.
સમકાળે સમ્યકત્વ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરનાર મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને તે નિયત કાળ હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળમાં મિથ્યાદષ્ટિને મિથ્યાત્વની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને ઉપરના ગુણસ્થાનકેથી પ્રથમ ગુણઠાણે આવે ત્યારે તેની શરૂઆત થાય છે-માટે સાદિ, ઉપરના ગુણસ્થાનકે નહીં ગયેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.... સર્વ સંક્લિષ્ટ મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીયની જઘન્ય પ્રદેશ ઉદીરણા અને તે જ મિથ્યાદૃષ્ટિને અતિસંક્લિષ્ટ પરિણામ ન હોય ત્યારે અજઘન્ય પ્રદેશ ઉદીરણા-એમ વારાફરતી અનેકવાર થતી હોવાથી આ બન્ને ઉદીરણા સાદિ-અધ્રુવ છે.
બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય આ ચૌદની અને તેરમા ગુણસ્થાનકના ચરમ સમયે તૈજસ-કાશ્મણસપ્તક, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ અને વર્ણાદિવસ, નામકર્મની આ તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની એક સમયમાત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે માટે સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળે આ પ્રવૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને બારમા તથા તેરમાં ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે. તેમજ અતિસંક્લિષ્ટ પરિણામી મિાદષ્ટિને મિથ્યાત્વમોહનીયની જેમ આ સુડતાલીસ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશ ઉદીરણા અને અજઘન્ય પ્રદેશ ઉદીરણા વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ છે.
શેષ એકસો દસ અધૂવોદયી પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉદીરણા હોય છે. પણ હંમેશા હોતી નથી. તેથી તે પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ-અધ્રુવ જ હોય છે.
(૨) સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી :- સામાન્ય રીતે ઘાતિ પ્રકૃતિઓની જે જીવો જે સમયે જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે તે સમયે તે જ જીવો ઘાતિકર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા કરે છે. તેથી તે જ જીવો તેના સ્વામી છે. તે આ પ્રમાણે........
સમયાધિક આવલિકા બાકી હોય એવા બારમા ગુણસ્થાનકવાળા જીવો પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. પરંતુ અવધિજ્ઞાન પ્રાપ્ત કરતાં અવધિદ્ધિક આવરણના ઘણાં યુગલોનો ક્ષય થઇ જાય છે. તેથી અવધિજ્ઞાનયુક્ત જીવોને આ બે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થતી નથી. માટે આ બે આવરણની ઉદીરણાના સ્વામી અવધિલબ્ધિ રહિત જાણવાં.
ગુણિતકર્માશ ક્ષપક અપૂર્વકરણ ચરમ સમયવર્તી યથાસંભવ ઉદયપ્રાપ્ત હાસ્યષકના, નવમા ગુણસ્થાનકે પોતપોતાની ઉદીરણાના ચરમ સમયે સંવલનત્રિક તથા ત્રણ વેદના, અને સમયાધિક આવલિકા બાકી હોય તેવા દસમા ગુણસ્થાનકવાળા જીવો સંજ્વલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
સમકાળે સમ્યકત્વ અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી મિથ્યાષ્ટિ મિથ્યાત્વ અને અનંતાનુબંધિ ચતુષ્કના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી ચતુર્થ અને પંચમ ગુણસ્થાનકવાળા ક્રમશઃ અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કના અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org