________________
૧૪૦
કર્મપ્રકૃતિ ભાગ-૨
સ્થિર, શુભ નિર્માણ, અગુરુલઘુ અને મૃદુ-લઘુસ્પર્શ વિના શેષ નવ શુભ વર્ણાદિકની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે પ્રકારે હોવાથી એક એકના નવ-નવ કુલ એકસો એંસી, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, અસ્થિર, અશુભ, કર્કશ અને ગુરુ-સ્પર્શ વિના શેષ અશુભ વર્ણાદિ સાતની અજઘન્ય અનુભાગ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને બાકીના ત્રણ વિકલ્પો સાદિ અને અધ્રુવ હોવાથી એક એકના નવ-નવ કુલ બસો સાત અને શેષ એકસો દસ પ્રકૃતિઓ અધૂવોદયી હોવાથી તેની ઉદીરણા પણ અધ્રુવ હોય છે. માટે તે પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ અને અધવ એમ બબ્બે પ્રકારે હોવાથી એક એકના આઠ-આઠ કુલ આઠસો-એસી, એમ એકસો અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી સર્વમલીને એકહજાર ત્રણસો સત્તર વિકલ્પો થાય છે.
- મિથ્યાત્વની જઘન્ય અનુભાગ ઉદીરણા એકી સાથે સમ્યકત્વ અને સર્વવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરનાર અતિ વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિને પોતાના ચરમ સમયે એક સમયે માત્ર જ થતી હોવાથી સાદિ-અધ્રુવ છે અને શેષ સર્વકાળમાં પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અને સમ્યકત્વથી પડતા જીવને તેની શરૂઆત થતી હોવાથી સાદિ, સમ્યકત્વને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
ગુરુ અને કર્કશ-સ્પર્શની જઘન્ય અનુભાગ ઉદીરણા તથાસ્વભાવે જ કેવલીસમુદ્ધાતમાં છઠ્ઠા સમયે સમયમાત્ર જ થતી હોવાથી સાદિ-અધ્રુવ અને સાતમા સમયે પુનઃ અજઘન્ય થાય છે માટે સાદિ, જઘન્યના સ્થાનને નહીં પામેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરનાર મિથ્યાષ્ટિઓને બંધાવલિકા પછી ઉત્કૃષ્ટ રસ સત્તામાં હોય ત્યાં સુધી ઉત્કૃષ્ટ અને પછી અનુષ્ટ એમ વારાફરતી અનેકવાર થતી હોવાથી બન્ને સાદિ અને અધ્રુવ છે.
મૃદુ અને લધુસ્પર્શની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા આહારકશરીરીને બે સમયમાત્ર થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. અને શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે અને તે આહારકશરીરીની સમાપ્તિ પછી પુનઃ શરૂ થતી હોવાથી સાદિ, આહારકશરીર નહીં બનાવેલ જીવોને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યોને અદ્રવ હોય છે.
આ બે પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા ઘણી અનુભાગ સત્તાનો નાશ કરેલ એકેન્દ્રિયાદિ જીવોને અમુક ટાઇમ સુધી હોય છે અને ઘણી અનુભાગ સત્તાનો નાશ નહીં કરેલ જીવોને અજઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે માટે તે બન્ને સાદિ-અધ્રુવ છે.
તૈજસ-કાશ્મણસપ્તક સ્થિર શુભ, અગુરુલઘુ, નિર્માણ, મૃદુ-લઘુ સ્પર્શ વિના શેષ નવ શુભવર્ણાદિ આ વીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સયોગી કેવલીને ચરમ સમયે થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે, પરંતુ સયોગી ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
આ વીસ શુભપ્રકૃતિઓની જઘન્ય અને અજઘન્ય અનુભાગ ઉદીરણા મૃદુ-લઘુસ્પર્શની જેમ અનેકવાર થતી હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયની જઘન્ય અનુભાગ ઉદીરણા બારમાં ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે અને અસ્થિર, અશુભ તેમજ કર્કશ અને ગુરુસ્પર્શ વિના શેષ અશુભવર્ણાદિ સાતની જઘન્ય અનુભાગ ઉદીરણા તેરમા ગુણસ્થાનકના ચરમ સમયે થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળમાં આ ત્રેવીસ પ્રવૃતિઓની અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અને બારમા તેમજ તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની જેમ વારાફરતી અનેકવાર થતી હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
શેષ એકસોદસ પ્રકૃતિઓની ઉદીરણા જ અધ્રુવ હોવાથી તેના ચારે વિકલ્પો સાદિ અને અધવ એમ બબ્બે પ્રકારે જ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org