________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૩૯
તીર્થંકરનામકર્મ તેમજ નવ નોકષાય વિના ચાર ધાતિ કર્મની આડત્રીસ પ્રકૃતિઓ તથા 7 શબ્દથી વૈક્રિયસપ્તક અને ધ્રુવોદયી પ્રકૃતિઓ યથાસંભવ તિર્યંચો અને મનુષ્યોને બંધાયેલ રસ કરતાં ઓછા કે વધારે રસવાળી થઈને જ ઉદીરણામાં આવતી હોવાથી આ પ્રકૃતિઓ ગુણપરિણામ પ્રત્યયકૃત છે. અથવા તો સર્વ પ્રકૃતિઓની દેવાદિ ચારમાંના કોઈને કોઈ ભવમાં જ ઉદીરણા થતી હોવાથી સર્વ પ્રકૃતિઓ ભવપ્રત્યયિક ઉદીરણાવાળી અથવા જેટલો અને જેવો રસ બંધાયો હોય તેવો જ ૨સ સર્વ જીવોને ઉદયમાં આવતો નથી પરંતુ પરિણામ એટલે ફે૨ફા૨ થઈને પણ ઉદીરણામાં આવે છે. તેથી અપેક્ષાએ સર્વ પ્રકૃતિઓની ઉદીરણા પરિણામ પ્રત્યયકૃત પણ કહી શકાય છે.
(૫) સાદ્યાદિ :- (૧) મૂળપ્રકૃતિ આશ્રયી :- મોહનીયકર્મની અજઘન્ય અનુભાગોદીરણા સાધાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ ત્રણ ઘાતિકર્મની અજઘન્ય અનુભાગોદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક એકના નવ-નવ કુલ સત્તાવીસ, વેદનીયકર્મની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે-બે પ્રકારે હોવાથી કુલ દસ, નામ તથા ગોત્રકર્મની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ અઢાર. અને આયુષ્યના ચારે વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી કુલ આઠ, સર્વ મળીને મૂળકર્મ આશ્રયી અનુભાગ ઉદીરણાના તોત્તેર (૭૩) ભાંગા થાય છે.
મોહનીયકર્મની જઘન્ય અનુભાગોદીરણા ક્ષેપકશ્રેણિમાં દસમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે થાય છે અને તે એક જ સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાય જ્યારે મોહનીયકર્મની ઉદીરણા હોય છે ત્યારે અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે અને તે અગિયારમા ગુણસ્થાનકે સર્વથા હોતી નથી, ત્યાંથી પડે ત્યારે સાદિ, અગિયારમા ગુણસ્થાનકને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
જ્ઞાનાવરણ વગેરે ત્રણ ઘાતિકર્મની જઘન્ય અનુભાગ ઉદીરણા બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે એક સમય માત્ર જ થતી હોવાથી સાદિ-અને અધ્રુવ છે, શેષ સર્વકાળમાં આ ત્રણે કર્મની અજધન્ય અનુભાગ ઉદીરણા હોય છે અને બારમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
આ ચારે ઘાતિકર્મની પ્રથમ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ અને પછી અનુત્કૃષ્ટ એમ બંને પ્રકારની ઉદીરણા વારાફરતી અનેકવાર થતી હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
વેદનીયકર્મનો સાતાવેદનીય આશ્રયી ઉપશમશ્રેણિમાં ઘણો રસ બાંધી ત્યાંથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે વેદનીયકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. અને તે નિયતકાળ થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળે પ્રમત્ત ગુણસ્થાનક સુધી આ કર્મની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. પરંતુ અપ્રમત્તાદિ ગુણસ્થાનકોમાં થતી નથી, ત્યાંથી પડે ત્યારે પુનઃ શરૂ થાય ત્યારે સાદિ, અપ્રમત્ત ભાવને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
નામ તથા ગોત્રકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તેરમા ગુણસ્થાનકે જ થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે, તે સિવાયના કાળમાં આ કર્મોની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે અને તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ થતી નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે હોય છે.
નામ, ગોત્ર અને વેદનીયકર્મની ઘણી અનુભાગ સત્તાનો નાશ કરેલ એકેન્દ્રિયાદિ જીવોને જઘન્ય અને ધણી અનુભાગ સત્તાનો નાશ ન કરેલ જીવોને અજઘન્ય અનુભાગ ઉદીરણા એમ વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે.
દરેક ભવની ચરમ આવલિકામાં આયુષ્યની ઉદીરણા જ થતી ન હોવાથી તેના ઉત્કૃષ્ટાદિ ચારે વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે.
....
ઉત્તરપ્રકૃતિ આશ્રયી :- મિથ્યાત્વ, ગુરુ અને કર્કશ સ્પર્શની અજઘન્ય અનુભાગ-ઉદીરણા સાઘાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દસ કુલ ત્રીસ, મૃદુ અને લઘુસ્પર્શની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ચારપ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે બે પ્રકારે હોવાથી એક એકના દસ-દસ કુલ વીસ. તેજસ-કાર્પણસપ્તક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org