________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૩૫ જઘન્ય સત્તાવાળો એ કેન્દ્રિય વિકલેન્દ્રિયમાં આવી પ્રથમ સમયથી ઉદય વિનાની શેષ ચાર જાતિઓનો વારાફરતી મોટા મોટા અંતર્મુહૂર્તકાળ સુધી બંધ કરી ઉદય પ્રાપ્ત બેઇન્દ્રિયાદિ જાતિનો બંધ શરૂ કરે ત્યારે તેની બંધાવલિકાના ચરમ સમયે ઉદયપ્રાપ્ત બેઇન્દ્રિયજાતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અને તેઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા બે આવલિકા અધિક ચાર અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ હોય છે.
જઘન્ય સત્તાવાળો એકેન્દ્રિય સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચમાં આવી પ્રથમ સમયથી ઉદયપ્રાપ્ત સિવાયની તેની પ્રતિપક્ષ જેટલી પ્રકૃતિઓ હોય તે દરેકને મોટા મોટા અંતર્મુહૂર્ણકાળ સુધી બાંધી પછી ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે તે તે ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓની બંધાવલિકાના ચરમ સમયે દુર્ભાગ્ય, અનાદેઢિક, નીચગોત્ર, તિર્યંચદ્વિક, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, મનુષ્યાનુપૂર્વી, અપર્યાપ્તનામકર્મ, હાસ્ય, રતિ, અરતિ, શોક અને બે વેદનીય આ ઓગણીસ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. માત્ર મનુષ્યાનુપૂર્વી તથા તિર્યંચાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોવાથી આ બે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયમાંથી આવેલ ક્રમશઃ મનુષ્ય અને સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચને વિગ્રહગતિમાં ત્રીજે સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.
ત્યાં દૌર્ભાગ્ય, અનાદેઢિક, તિર્યંચગતિ, નીચગોત્ર, અપર્યાપ્તનામ, હાસ્ય, રતિ, અરતિ, અને શોક આ દસની બે આવલિકા અધિક અંતર્મુહુર્ત ધૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ, બીજા વિગેરે પાંચ સંઘયણની બે આવલિકા અધિક પાંચ અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ, બે વેદનીયની બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ અને મનુષ્ય તથા તિર્યંચાનુપૂર્વીની આવલિકા ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.
દીર્ઘ આયુષ્યવાળો અસંજ્ઞિ પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાંની સાથે જ દેવદ્ધિક, નરકદ્ધિક અને વૈક્રિય અંગોપાંગ આ પાંચ પ્રકૃતિઓનો ઓછામાં ઓછો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી શકે છે, તેટલો સ્થિતિબંધ કરી પછી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા દેવ અને નરકમાં જાય તેવા જીવને વિગ્રહગતિમાં ત્રીજા સમયે ક્રમશઃ દેવ અને નરકાનુપૂર્વની તેમજ પોતાના આયુષ્યના અંત્ય સમયે ક્રમશઃ દેવ તથા નરકગતિની અને બંનેમાં વૈક્રિય અંગોપાંગનામકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે તેથી તે તે જીવો તેના સ્વામી છે.
ત્યાં દેવ તથા નરકાનુપૂર્વીની સાધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ, દેવગતિ, નરકગતિ અને વૈક્રિય અંગોપાંગની સાધિક પલ્યોપમના બે અસંખ્યાત ભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.
જ્યારે જે પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે ત્યારે તે પ્રકૃતિઓની પહેલી અને બીજી એમ બે સ્થિતિ થાય છે. માટે અંતરકરણ કર્યા પછી ત્યાં પહેલી સ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વની મિથ્યાદૃષ્ટિ, સમ્યકત્વમોહનીયની ઉપશમશ્રેણિ માટે ઉપશમ સમ્યકત્વ પામતાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ અથવા ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં સમયાધિક આવલિકા શેષ ક્ષયોપશમ સમ્યકત્વી ચોથાથી સાતમાં ગુણસ્થાનકવર્તી, સંજ્વલનત્રિક અને ત્રણ વેદની નવમા ગુણસ્થાનકવર્તી અને સંજ્વલન લોભની દસમા ગુણસ્થાનકવર્તી જીવ જધન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી હોય છે. અને સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. ટીકામાં સમ્યકત્વમોહનીય અને સંજ્વલનલોભની બંને શ્રેણિમાં અને બાકીની પ્રવૃતિઓની ક્ષપકશ્રેણિમાં જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય એમ બતાવેલ છે. પરંતુ બન્ને શ્રેણિઓમાં સંભવી શકે છે. પછી તો કેવલી ગમ્ય.
જે પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં બંધ હોય તે પ્રકૃતિઓની એકેન્દ્રિયમાં જઘન્ય સ્થિતિસત્તા પણ એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જ હોય છે, પણ તેથી ઓછી હોતી નથી, પરંતુ જે પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં બંધ નથી અને ઉદ્વલના થાય છે, તે પ્રકૃતિઓની ઉર્વલના કરતી વખતે જઘન્ય સ્થિતિસત્તા તેથી પણ ઓછી હોય છે. છતાં ઉદ્દલના કરતી વખતે એકેન્દ્રિયના જઘન્ય બંધ સમાન જઘન્ય સ્થિતિસત્તાથી ઓછી સત્તા થયા પછી તે પ્રકૃતિઓ ઉદયમાં આવવા યોગ્ય રહેતી નથી પરંતુ સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. તેથી મિશ્રમોહનીયની ઉદ્વલના કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ તેની સત્તા રહે તેવા એકેન્દ્રિયો સંજ્ઞિપંચેન્દ્રિયમાં આવી જ્યારે મિશ્ર ગુણઠાણું પામે ત્યારે તેઓ મિશ્ર ગુણસ્થાનકના ચરમ સમયે મિશ્રમોહનીયની કંઇક અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org