SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ કોઈપણ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંફિલષ્ટ પરિણામે જ થાય છે તેથી અતિસંલિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરી તથાસ્વભાવે જ મધ્યમ પરિણામવાળો થઈ અંતર્મુહૂર્ત પ્રમાણ ત્યાં જ રહી પછી મારીને આત્મા અન્ય ગતિમાં જાય છે. તેથી અતિસંલિષ્ટ પરિણામે મનુષ્યો અથવા તિર્યંચો કૃષ્ણ લેશ્યામાં વર્તતા નરકટ્રિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પ્રમાણ મધ્યમ પરિણામમાં રહી મરણ પામી કૃષ્ણ વેશ્યાવાળી નીચેની ત્રણ નરકમૃથ્વીમાં ઉત્પન્ન થનારા નારકો ઉદયાવલિકા ઉપરની નરકદ્વિકની સઘળી સ્થિતિઓની ઉદીરણા કરે છે. તેથી ધૂમપ્રભા વિગેરે ત્રણ પૃથ્વીના નારકો નરકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે અને આવલિકાની વિવક્ષા ન કરતાં અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાશ્કેદ હોય એજ પ્રમાણે અતિસંફિલષ્ટ પરિણામે ઇશાન સુધીના દેવો એકેન્દ્રિય, સ્થાવર અને આતપનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ પ્રથમ સમયે ઉદયાવલિકા ઉપરની સ્થિતિ ઉદીરણા કરે ત્યારે એકેન્દ્રિય જીવો એકેન્દ્રિય તથા સ્થાવરનામકર્મના અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત એવા ખપૃથ્વીકાય જીવો આતપનામકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને યથાસંભવ નાના મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ હોય છે. ' એજ રીતે નારકો અથવા સહસાર સુધીના દેવો અતિસંલિષ્ટ પરિણામે ઔદારિકસપ્તક તિર્યંચદ્ધિક અને સેવા સંઘયણ આ દસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત ત્યાં જ રહી મરણ પામી યથાસંભવ તિર્યંચ કે મનુષ્યભવમાં ઉદય પ્રાપ્ત આ દસે પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિઓની ઉદીરણા કરે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાશ્કેદ હોય છે. અતિસંફિલષ્ટ પરિણામે નિદ્રાપંચકનો ઉદય જ ન હોવાથી નિદ્રાના અનુદયવાળા જીવો તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પ્રમાણ મધ્યમ પરિણામમાં રહ્યા પછી જ નિદ્રાના ઉદયવાળા થાય છે. તેથી ઉદયપ્રાપ્ત તે તે નિદ્રાની ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા કરે ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ અને તે તે નિદ્રાના ઉદયવાળા તે તે નિદ્રાના ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે. જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી :- એકેન્દ્રિયમાં ઓછામાં ઓછી જેટલી સ્થિતિસત્તા હોઈ શકે તે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા કહેવાય અને તે એ કેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક હોય છે. તેટલી જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય અનંતાનુબંધિ આદિ બાર કષાય, ભય, જુગુપ્સા, નિદ્રાદિ-૫ આતપ અને ઉદ્યોત આ એકવીસ પ્રકૃતિઓનો પોતાની જઘન્ય સ્થિતિસત્તાની સમાન અગર તેનાથી કંઇક અધિક નવીન બંધ કરતો બંધાવલિકાના ચરમ સમયે પોતપોતાના ઉદયવાળો જઘન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. કારણ કે બેઇન્દ્રિયાદિ અન્ય જીવોને સ્થિતિસત્તા વધારે હોય છે. તેથી એકેન્દ્રિયોને જઘન્ય સ્થિતિ ઉદીરણા ઘટે છે. ત્યાં અનંતાનુબંધિ આદિ બાર કષાયની બે આવલિકા ચૂન ચાર સપ્તમાંશ સાગરોપમ, ભય, જુગુપ્સા, આતપ અને ઉદ્યોતની બે આવલિકા ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ અને નિદ્રાપંચકની બે આવલિકા ન્યૂન ત્રણ સપ્તમાંશ સાગરોપમ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. પરંતુ આ ગ્રંથના મતે જઘન્ય સ્થિતિબંધ પૂર્ણ ૪/૭ સાગરોપમ વગેરે હોવાથી ઉદીરણામાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક સમજવો. એજ રીતે હવે પછી પણ જઘન્ય સ્થિતિ ઉદીરણાના પ્રમાણમાં સર્વત્ર એ પ્રમાણે સમજવું. જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિ ચાર જાતિ, ત્રસ, બાદર અને પ્રત્યેકનામકર્મને મોટા અંતર્મુહુકાળ સુધી બાંધી પછી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણનામકર્મનો બંધ શરૂ કરે ત્યારે પોતપોતાની બંધાવલિકાના ચરમ સમયે ઉદયપ્રાપ્ત આ ચારે પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. જ્યાં પ્રતિપક્ષ પ્રકૃતિઓ બંધ યોગ્ય હોય ત્યાં તે તે પ્રકૃતિઓ અંતર્મુહૂર્ણકાળથી વધારે બંધાતી નથી અને વિવક્ષિત એકેન્દ્રિય જાતિ વગેરેનો બંધ શરૂ થયા પછી પૂર્વે બંધાયેલી બેઇન્દ્રિયાદિ જાતિઓનો તેમાં સંક્રમ શરૂ થાય છે. તેથી એકેન્દ્રિયાદિ જાતિઓની બંધાવલિકા પૂર્ણ થતાંની સાથે જ સંક્રમ્સમાણ બેઇન્દ્રિયાદિ જાતિઓની સંક્રમાવલિકા પણ પૂર્ણ થાય છે. માટે બંધાવલિકા પછીના પ્રથમ સમયે બંધાયેલી એકેન્દ્રિયાદિ જાતિઓની બંધાવલિકા અને પ્રથમ સમયે સંક્રમેલ બેઇન્દ્રિયાદિ જાતિઓની સંક્રમાવલિકા પૂર્ણ થવાથી તેની પણ ઉદીરણા થાય છે. તેથી બંધાવલિકાના ચરમ સમયે પૂર્વગત સત્તામાંથી અન્ય પ્રવૃતિઓના બંધકાળ પ્રમાણ અંતર્મુહૂર્ત અને બધ્યમાન પ્રકૃતિની આવલિકા પ્રમાણ સ્થિતિઓ સત્તામાંથી ઓછી થઈ જાય છે. માટે આવલિકાના ચરમ સમયે આ ચારે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. ત્યાં એકેન્દ્રિય જાતિની બે આવલિકા અધિક ચાર અંતર્મુહૂર્ત ન્યૂન અને શેષ ત્રણ પ્રકૃતિઓની બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy