________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૩૩ દા.ત. સાતાવેદનીયની પ્રતિપક્ષ અસાતા વેદનીયનો ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તુરત જ સાતવેદનીયનો બંધ શરૂ કરે ત્યારે બંધાતી એવી સાતાવેદનીયમાં અસાતાની બંધાવલિકા વ્યતીત થયા બાદ તુરત જ ઉદયાવલિકા ઉપરની એટલે બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અસતાવેદનીયને સાતવેદનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી તે જ સમયે સાતાવેદનીયની આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. પરંતુ સંક્રમાવલિકામાં કોઇ કરણ લાગતું ન હોવાતી સંક્રમાવલિકા વીત્યા પછી તે સઘળી સ્થિતિ ઉદીરણાને યોગ્ય થાય છે. પરંતુ ઉદયાવલિકા પણ સકલ કરણને અયોગ્ય હોવાથી તેમાં ઉદીરણા થતી નથી. માટે સંક્રમાવલિકા અને ઉદયાવલિકા તેમજ એક આવલિકા સત્તામાં પ્રથમથી જ ઓછી છે તેથી કુલ ત્રણ આવલિકાનો અદ્ધાચ્છેદ થાય છે. અને સાતવેદનીયના ઉદયવર્તી બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાવાળા જીવોને ઉત્કૃષ્ટ-સ્થિતિ ઉદીરણા થાય છે. માટે તે જીવો તેના સ્વામી કહેવાય છે.
એજ પ્રમાણે ઉચ્ચગોત્રના પ્રતિપક્ષ નીચગોત્રનો વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તુરત જ ઉચ્ચગોત્રનો બંધ શરૂ કરે ત્યારે બંધાતા એવા ઉચ્ચગોત્રમાં નીચગોત્રની બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદયાવલિકા ઉપરના અર્થાત્ બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નીચગોત્રને ઉચ્ચગોત્રમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી તે સમયે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. અને સંક્રમાવલિકામાં કોઇપણ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદીરણા શરૂ થાય છે. પરંતુ ઉદયાવલિકા પણ સકલ કરણને અયોગ્ય હોવાથી તેના દલિકોની ઉદીરણા થતી નથી માટે ત્રણ આવલિકા અદ્ધાચ્છેદ અને બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉચ્ચગોત્રની સત્તાવાળા ઉચ્ચગોત્રના ઉદયવર્તી જીવો ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
એ જ પ્રમાણે શેષ સત્તાવીસ પ્રકૃતિઓ માટે પણ સમજવું, પરંતુ તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે, એ ખાસ યાદ રાખવું.
મનુષ્યાનુપૂર્વી વિગેરે અનુદયસક્રમોત્કૃષ્ટા અઢાર અને અનુદયબંધોસ્કૃષ્ટા નરકદ્ધિક વિગેરે વીસ મળી કુલ આડત્રીસ પ્રકૃતિઓમાં અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ અને અંતર્મુહૂર્ત ન્યૂન પોત-પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા તેમજ તે તે કર્મના ઉદયના પ્રથમ સમયે વર્તતાં જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે,
આહારકસપ્તકનો અપ્રમત્તગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે અને તે વખતે નામકર્મની અન્ય પ્રવૃતિઓની આહારકસપ્તકના બંધ કરતા ઘણી વધારે અર્થાત્ સંખ્યાતગુણી સ્થિતિસત્તા હોય છે. અને તે પ્રકૃતિઓને આહારકસપ્તકમાં સંક્રમાવી તેને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા પ્રમાણ કરી અંતર્મુહૂર્ત પછી પ્રમત્ત ગુણસ્થાનકે આવી આહારકશરીરને બનાવતાં પ્રથમ સમયે આહારકસપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થયા બાદ અંતમુહૂર્ત પછી જ આહારક શરીર બનાવે છે. તેથી અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાશ્કેદ હોય છે.
તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે વધારેમાં વધારે જેટલી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા હોઈ શકે તેટલી સ્થિતિસત્તાવાળા તીર્થંકર પરમાત્મા ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા કરે ત્યારે આવલિકા પ્રમાણ અદ્ધાચ્છેદ અને આવલિકા ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તીર્થંકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય
મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિક, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવ પ્રકતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોત-પોતાનો ઉદય ન હોય ત્યારે તેની પોત-પોતાની પ્રતિપક્ષભૂત નરકાનુપૂર્વી, નરકદ્વિક, પંચેન્દ્રિયજાતિ બાદરત્રિક અથવા નામકર્મની કોઈપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાતી એવી મનુષ્યાનુપૂર્વી વિગેરેમાં બંધાવલિકા વીતી છે જેની એવી ઉદયાવલિકા ઉપરની નરકાનુપૂર્વી વિગેરે પ્રકૃતિઓને બંધાતી એવી મનુષ્યાનુપૂર્વી વિગેરેમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવી મનુષ્યાનુપૂર્વ વિગેરે નવે પ્રકૃતિઓની આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કરે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કર્યા પછી તથાસ્વભાવે જ મધ્યમ પરિણામે અંતર્મુહૂર્ણકાળ ત્યાં જ રહી મરણ પામી મનુષ્યાનુપૂર્વી વિગેરે પ્રકૃતિઓના ઉદયને કરે છે. તે વખતે ઉદયાવલિકા ઉપરની મનુષ્યાનુપૂર્વી વિગેરે સ્થિતિઓની ઉદીરણા કરે છે. માટે આવલિકા અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાશ્કેદ હોય છે. પરંતુ અપેક્ષાએ તે આવલિકાને જુદી ન ગણતાં અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ બતાવેલ છે અને આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા વિગ્રહગતિમાં વર્તમાન મનુષ્યાનુપૂર્વીના મનુષ્યો, દેવદ્વિકના દેવો, વિકલત્રિકના વિકસેન્દ્રિયો અને સૂક્ષ્મત્રિકના ક્રમશઃ સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ જીવો પોતાના ઉદયના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org