________________
૧૩)
કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉદીરણા થાય ત્યારે એક સમય પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે. તેથી બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના તેટલાં સ્થિતિ ઉદીરણાના ભેદો હોય છે.
એમ જે જે ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. તેમાંથી બે આવલિકા ન્યૂન કરી જેટલાં સમયો રહે તેટલાં તે તે પ્રકૃતિઓના સ્થિતિ ઉદીરણાના ભેદો થાય છે. તેથી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય અને અસતાવેદનીય આ પંદરના બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ સમયપ્રમાણ, મિથ્યાત્વમોહનીયના બે આવલિકા ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમના સમયપ્રમાણ, સોળ કષાયના બે આવલિકા ન્યૂન ચાલીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, અને પંચન્દ્રિયજાતિ, વૈક્રિયસપ્તક, તૈજસ-કાશ્મણસપ્તક, હુડકસંસ્થાન, વર્ણાદિ-૨૦, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ અગુરુલઘુ, નિર્માણ, ઉદ્યોત, ઉપઘાત, ત્રસચતુષ્ક અસ્થિરષર્ક અને નીચગોત્ર આ ચોપ્પન પ્રકૃતિઓના બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ સ્થિતિ ઉદીરણાના ભેદો છે.
ઉદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. તેમાંથી સંક્રમ આવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન સઘળી સ્થિતિઓની ઉદીરણા થતી હોવાથી પોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી ત્રણ આવલિકા ન્યૂન સઘળા સ્થિતિસ્થાનોની ઉદીરણા થાય છે. તેથી સાતાવેદનીયના ત્રણ આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, મનુષ્યગતિ, સ્થિરષદ્ધ, શુભવિહાયોગતિ, પ્રથમના પાંચ સંધયણ તથા પાંચ સંસ્થાન, અને ઉચ્ચગોત્ર આ ઓગણીસ પ્રવૃતિઓના ત્રણ આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ અને નવ નોકષાયના ત્રણ આવલિકા ચૂન ચાલીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના ભેદો છે.
જો કે સમ્યકત્વમોહનીય પણ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે, પરંતુ તેની ઉદીરણા ચોથાથી સાતમા ગુણઠાણા સુધી જ થાય છે. અને મિથ્યાત્વનો બંધ પ્રથમ ગુણઠાણે જ હોય છે. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંલિષ્ટ પરિણામે થતો હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી જ સમ્યકત્વ પામી શકે છે. માટે પ્રથમ ગુણઠાણે મિથ્યાત્વનો સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વ પામે તે જ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વની સ્થિતિમાંથી ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાં રહેલ દલિકોને સમ્યકત્વ મોહનીયની ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે. માટે સમ્યકત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. અને તેમાંથી પણ સંક્રમાવલિકા અને ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમના સમયપ્રમાણ સમ્યકત્વમોહનીયના સ્થિતિ ઉદીરણના ભેદો છે....
આયુષ્યચતુષ્ક ઉદયબંધોસ્કૃષ્ટાદિ ચાર સંજ્ઞાઓથી રહિત છે. પણ દેવાયુ અને નરકાયુના ઉદયાવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમના સમય પ્રમાણ અને મનુષ્યાય તથા તિર્યંચ આયુષ્યના ઉદયાવલિકા ન્યૂન ત્રણ પલ્યોપમના સમય પ્રમાણ સ્થિતિ ઉદીરણાના ભેદો છે.
મિશ્રમોહનીય, આહારકસપ્તક અને જિનનામ વિના શેષ અનુદયસંક્રમોત્કૃષ્ટા મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિક, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવ પ્રકૃતિઓના તેમજ અનુદય બંધોસ્કૃષ્ટા નરકદ્ધિકાદિ વીસ પ્રકૃતિઓના અંતર્મુહૂર્ત ધૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સમય પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય હોવાથી અનુદયસંક્રમોત્કૃષ્ટા નવ અને નરકદ્ધિક, તિર્યચકિક, ઔદારિકસપ્તક, સેવાર્તસંહનન, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ આ પંદર અનુદ બંધુત્કૃષ્ટા મળી કુલ ચોવીસ પ્રકતિઓના અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ અને નિદ્રાચિકના અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ સ્થિતિ ઉદીરણાના ભેદો છે.
પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વ પામી અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વને મિશ્ર તથા સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે છે. ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત કાળ સુધી ચોથા ગુણઠાણે રહી જીવ પછી મિશ્ર ગુણઠાણે જાય ત્યારે એક અંતર્મુહૂર્ત મિથ્યાત્વ ગુણસ્થાનકનો અને એક અંતર્મુહૂર્ત ચોથા ગુણઠાણનો વ્યતીત થઈ જાય છે. માટે મિશ્ર ગુણસ્થાનકે બે અંતર્મુહૂર્ણ ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. અને તેમાં પણ ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી તેની પણ ઉદીરણા થતી નથી માટે આવલિકા અધિક બે અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ મિશ્રમોહનીયના સ્થિતિ-ઉદીરણાના ભેદો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org