________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૨૯
જ ઉદીરકો હોય છે પરંતુ તીર્થંકર - પરમાત્માઓના ચ્યવનકલ્યાણક વગેરે પ્રસંગોમાં જ હાસ્ય, રતિ અને સાતાનો ઉદય થવાથી તે સમયે આ ત્રણ પ્રકૃતિઓના ઉદીરકો હોય છે, પરંતુ અલ્પ આયુષ્યવાળા કેટલાક નારકોને ભવપર્વત તીર્થકર પરમાત્માના કલ્યાણકોનો પ્રસંગ જ પ્રાપ્ત થતો ન હોવાથી તેઓ અરતિ, શોક અને અસાતાના જ ઉદીરકો હોય છે.
(૫-૬) ઉદીરણાસ્થાન અને તેના સ્વામિત્વ :- કોઈપણ વિવક્ષિત કર્મની બે અથવા તેથી વધારે પ્રકૃતિઓની એકી સાથે ઉદીરણા થાય તે પ્રકૃતિસ્થાન ઉદીરણા કહેવાય છે. અને જે જે કર્મમાં એવા જેટલાં જેટલાં ઉદીરણાના પ્રકૃતિસ્થાનો હોય તેટલાં તેટલાં ઉદીરણા પ્રકૃતિસ્થાનો કહેવાય છે. જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિઓનું એક જ ઉદયસ્થાન હોવાથી ઉદીરણાસ્થાન પણ એક-એક છે. અને બારમા ગુણસ્થાનક સુધીના જીવો તેના સ્વામી છે. દર્શનાવરણીય કર્મમાં ચાર અને પાંચ પ્રકૃતિ સ્વરૂપ ઉદયસ્થાન બે હોવાથી ઉદીરણાસ્થાનો પણ બે છે. બારમાગુણસ્થાનક સુધીના જીવો તેના સ્વામી છે.
મોહનીયકર્મમાં ત્રણ વિના એકથી દસ સુધીના નવ ઉદયસ્થાનો હોવાથી નવ ઉદીરણાસ્થાનો છે. અને જે જીવો જે જે ઉદયસ્થાનના સ્વામી છે તેઓજ તે તે ઉદીરણાસ્થાનના સ્વામી છે. આ નવ ઉદીરણાસ્થાનોના ૯૭૬ ભાંગા થાય છે.
નામકર્મમાં નવનું અને આઠનું ઉદયસ્થાન ચૌદમાં ગુણસ્થાનકે હોવાથી યોગના અભાવે ઉદીરણાનો પણ અભાવ હોવાથી આ બે સ્થાનો છોડી શેષ જે દસ ઉદયસ્થાનો છે તે જ દસ ઉદીરણાસ્થાનો છે. અને જે જીવો જે જે ઉદયસ્થાનના સ્વામી છે તેઓ તે જ ઉદીરણાસ્થાનના સ્વામી છે. આ ૧૦ ઉદયસ્થાનોના સ્વમતે ૩૯૬૧ ભાંગા અને અન્યમતે ૭૭૮૯ ભાંગા થાય છે.
ગોત્રકર્મની એક પ્રકૃતિના તેરમા ગુણસ્થાનક સુધીના, વેદનીય અને આયુષ્યકર્મની એક પ્રકૃતિના છઠ્ઠા ગુણસ્થાનક સુધીના, અને ભોગવતા દરેક આયુષ્યની પોતપોતાના ભવની ઉપાજ્ય આવલિકા સુધીના પ્રમત્ત જીવો એક પ્રકૃતિની ઉદીરણાના સ્વામી છે.
ઇતિ ૧લી પ્રકૃતિ-ઉદીરણા સમાપ્ત
-: અથ ૨જી સ્થિતિ-ઉદીરણા :-)
આમાં લક્ષણ, ભેદ, સાદ્યાદિ અદ્ધાચ્છેદ અને સ્વામિત્વ એમ પાંચ અધિકારો છે.
(૧) લક્ષણ :- બંધ સમયે થયેલ નિષેક રચના પ્રમાણે અબાધાકાળ વ્યતીત થયા પછી સ્વાભાવિક રીતે જે કર્મ ઉદયમાં આવે છે તે સ્વાભાવિક ઉદય અથવા સંપ્રાપ્તોદય કહેવાય છે, અને ઉદયાવલિકાની ઉપરના સત્તાગત કોઈપણ સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોને જે વીર્ય વિશેષથી ખેંચીને અર્થાતુ બંધ સમયે નિયત થયેલ નિષેકના કાળને ઘટાડીને તે સંપ્રાપ્તોદય. કર્મની ઉદયાવલિકામાંના સ્થિતિસ્થાનોમાં બંધ સમયે, જે દલિકો ગોઠવાયેલ છે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ ઉદીરણા કહેવાય છે.
જો કે સ્થિતિરૂપ કાળની ઉદીરણા થતી નથી પરંતુ તે તે સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની ઉદીરણા થાય છે. તેથી નિષેક સમયે નક્કી થયેલ કાળની અપેક્ષાએ ઘણાં જ ઓછા કાળમાં ઉદયમાં લવાય છે. તેથી દલિકોની ઉદીરણા હોવા છતાં ઉપચારથી સ્થિતિ ઉદીરણા કહેવામાં આવે છે. તેનું બીજું નામ અસંપ્રાપ્તોદય છે.
(૨) ભેદ :- ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન સઘળી સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય છે. કારણ કે મતિજ્ઞાનાવરણીયાદિ ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની બંધાવલિકા વીત્યા બાદ તુરત જ ઉદયાવલકિાની ઉપર જેટલી સ્થિતિઓ સત્તામાં હોય તે દરેક સ્થિતિસ્થાનોની ઉદીરણા થાય છે. એટલે તે દરેક સ્થિતિસ્થાનોમાંના અમુક દલિકોને ઉદયાવલિકામાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે. તેથી મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, અને તેની નીચેના સ્થિતિસ્થાનોની પણ તેની અપેક્ષાએ સમયાધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉદીરણા થાય છે, તેથી પણ નીચેના સ્થિતિસ્થાનની ઉદીરણા થાય ત્યારે તેની અપેક્ષાએ બે સમયાધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ ઉદીરણા થાય છે. એમ એક એક સમય ન્યૂન કરતાં ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org