________________
૧૨૮
કર્મપ્રકૃતિ ભાગ-૨ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા વિકસેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને યથાસંભવ બન્ને સ્વરોનો ઉદય હોવાથી તેઓ યથાસંભવ બન્ને સ્વરોના, દેવો તથા યુગલિકો સુસ્વરના જ ઉદયવાળા હોવાથી સુસ્વરના અને નારકો દુઃસ્વરના ઉદીરકો છે. તેમજ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યોને યથાસંભવ બન્ને વિહાયોગતિઓનો ઉદય હોવાથી તેઓ યથાસંભવ બને વિહાયોગતિના, સર્વે દેવો તથા યુગલિકો શુભવિહાયોગતિના જ ઉદયવાળા હોવાથી શુભ વિહાયોગતિના અને વિકલેન્દ્રિયો તથા નારકો અશુભવિહાયોગતિના જ ઉદયવાળા હોવાથી અશુભવિહાયોગતિના ઉદીર કો હોય છે. લબ્ધિ અપર્યાપ્ત જીવોને નામકર્મના માત્ર પ્રથમના બે જ ઉદયસ્થાનો હોવાથી તેઓને સ્વર તથા વિહાયોગતિઓનો ઉદય ન હોવાથી આ ચારમાંથી કોઇપણ પ્રકૃતિની ઉદીરણા થતી નથી. સયોગી ગુણસ્થાનકે જ્યાં સુધી સ્વરનો રોધ ન કરે ત્યાં સુધી જ બન્ને સ્વરોની ઉદીરણા થાય છે. તેમાં ગુણસ્થાનકે શ્વાસોશ્વાસનો નિરોધ ન કરે ત્યાં સુધીના શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા સંસારી જીવો શ્વાસોશ્વાસ નામકર્મના ઉદીરક છે. લબ્ધિપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપૂકાય, પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિકાય તેમજ લબ્ધિ પર્યાપ્ત વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય તથા દેવોને યશકીર્તિ અને અયશકીર્તિ એ બન્નેના ઉદયનો સંભવ હોવાથી યથાસંભવ તે જીવો બન્નેના ઉદીરકો છે. અને સૂક્ષ્મ એકેન્દ્રિયો તેઉકાય, વાયુકાય, લબ્ધિ અપર્યાપ્તા એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને નારકોને અયશકીર્તિનો જ ઉદય હોવાથી આ સઘળા જીવો અયશકીર્તિના જ ઉદીરકો છે. લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને દેવોને આ ચારેય પ્રકૃતિઓના ઉદયનો સંભવ હોવાથી આ જીવો યથાસંભવ ચારે પ્રકૃતિઓના ઉદીરકો છે. અને એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, નારકો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો દર્ભાગ્ય અને અનાદેયના જ ઉદયવાળા હોવાથી આ બે પ્રકૃતિઓના જ ઉદીરકો છે.
દેશવિરતિ અને સર્વવિરતિધર મનુષ્યો, ઉચ્ચકુલમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો અને સઘળા દેવો ઉચ્ચગોત્રના જ ઉદયવાળા હોવાથી ઉચ્ચગોત્રના ઉદીરકો છે. અને શેષ નીચકુલમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો, નારકો અને સઘળા.તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોવાથી તેઓ નીચગોત્રની જ ઉદીરણા કરે છે. તેમાં ગુણસ્થાનકવર્તી તીર્થકર ભગવંતો તીર્થંકરનામકર્મના ઉદીરક છે. ચૌદમાં ગુણસ્થાનકે ઉદય હોવા છતાં યોગના અભાવે તેઓશ્રી કોઇપણ કર્મની ઉદીરણા કરતા નથી.
શરીર પર્યાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી - ઉદય હોવા છતાં ઉદીરણા ન હોવાથી ઇન્દ્રિય પર્યાપ્તિ સમાપ્ત થાય તે પછીના સમયથી બારમાં ગુણસ્થાનકની એક આવલિકા શેષ હોય ત્યાં સુધીના જીવો પંચસંગ્રહ, કર્મસ્તવ આદિ ગ્રંથના મતે નિદ્રા અને પ્રચલાના યથાસંભવ ઉદીરકો છે. પરંતુ કર્મપ્રતિકાર વગેરે કેટલાક આચાર્ય મહારાજ સાહેબના મતે ક્ષપક અને ક્ષીણમોહ ગુણસ્થાનકે નિદ્રા અને પ્રચલાનો ઉદય ન હોવાથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિની પછીના સમયથી યથાસંભવ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધીના જીવો ઉદીરક છે. દેવો, નારકો, યુગલિકો, વૈક્રિયશરીરી અને આહારકશરીરીને છોડી પ્રમત્તગુણસ્થાનક સુધીના ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા જીવોને થીણદ્વિત્રિકના ઉદયનો સંભવ હોવાથી આ સઘળા જીવો યથાસંભવ ઉદયપ્રાપ્ત થીણદ્વિત્રિકના ઉદીરકો છે. .
સાતા-અસાતા વેદનીયના ઉદયવાળા છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવો અનુક્રમે સાતા અને અસાતાના ઉદીરકો હોય છે. અપ્રમત્તાદિ ગુણસ્થાનકોમાં યથાસંભવ બન્ને વેદનીયનો ઉદય હોવા છતાં આ બે પ્રકૃતિઓની ઉદીરણાને યોગ્ય સંલિસ્ટ અધ્યવસાયોનો અભાવ હોવાથી ઉદીરણા થતી નથી.
અનંતાનુબંધિ કષાયના પ્રથમના બે ગુણસ્થાનક સુધીના, અપ્રત્યાખ્યાનીય કષાયના ચોથા ગુણસ્થાનક સુધીના, પ્રત્યાખ્યાનીય કષાયના પાંચમા ગુણસ્થાનક સુધીના, સંજવલનત્રિકના નવમાં ગુણસ્થાનકના ક્રમશ: બીજા, ત્રીજા અને ચોથાભાગ સુધીના જીવો ઉદીરણાના સ્વામી છે. પરંતુ આ બધી પ્રવૃતિઓ અધ્રુવોદયી હોવાથી જ્યારે જે જે પ્રકૃતિનો ઉદય હોય ત્યારે જ તે તે પ્રકૃતિની ઉદીરણા થાય છે એમ સમજવું. હાસ્યષર્કના પણ આઠમા ગુણસ્થાનક સુધીના જીવો જ્યારે જે જે પ્રકૃતિના ઉદયવાળા હોય ત્યારે તે તે પ્રકૃતિના ઉદીરક હોય છે. દેવોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી હાસ્ય, રતિ અને સાતવેદનીયનો જ ઉદય હોવાથી તેઓ ત્રણ પ્રકૃતિઓના જ અને નારકોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી અરતિ, શોક અને અસાતાનો જ ઉદય હોવાથી તેઓ આ ત્રણ પ્રકૃતિઓના જ ઉદીરકો હોય છે. અને પ્રથમ અંતર્મુહૂર્ત પછી પરાવર્તનનો સંભવ હોવાથી દેવો અને નારકો યથાસંભવ ઉદય પ્રાપ્ત છે તે પ્રકૃતિઓના ઉદીરકો હોય છે. દેવો સામાન્યથી મોટાભાગે ભવપર્યત હાસ્ય, રતિ અને સાતાના ઉદીરકો હોય છે. પરંતુ માત્સર્યાદિ દોષોની પ્રાપ્તિ, પ્રિયનો વિયોગ અને ચ્યવન વગેરે કેટલાક પ્રસંગોમાં કેટલીકવાર વચ્ચે વચ્ચે અરતિ, શોક અને અસાતાનો ઉદય થવાથી તે સમયે આ ત્રણ પ્રકૃતિઓના ઉદીરકો હોય છે, એ જ પ્રમાણે નારકો સામાન્યથી મોટાભાગે ભવપર્યત અરતિ, શોક અને અસાતાના
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org