SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ ૧૨૫ સૂક્ષ્મ એકેન્દ્રિય છે. અપર્યાપ્તનામનો જઘન્ય પ્રદેશોદી૨ક સર્વ સંક્લિષ્ટ અપર્યાપ્ત મનુષ્ય છેલ્લા સમયમાં વર્તતો હોય ત્યારે હોય છે. તથા બે તે ચઉરિન્દ્રિયજાતિના જઘન્ય પ્રદેશોદીરક સર્વ સંલિષ્ટ બે તે ચઉરિન્દ્રિય જીવ છે. તીર્થંકરનામકર્મના જે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી કહ્યાં તે જ જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી જાણવાં. અર્થાત્ તીર્થંકર કેવલી જ્યાં સુધી આયોજિકાકરણ શરૂ કર્યુ નથી તે પૂર્વના સમયે વર્તતાં એવા તીર્થંકર કેવલી જિનનામકર્મના જઘન્ય પ્રદેશના ઉદી૨ક હોય છે. ગાથાર્થ : ટીકાની જેમ. ટીકાર્થ :- સર્વ સંક્લિષ્ટ એવા અવધિલબ્ધિ યુકત જીવ અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. કારણ કે અધિદ્ધિકને ઉત્પન્ન કરવામાં ઘણાં પુદ્ગલો પરિક્ષીણ = ક્ષય પામેલા હોય છે. તેથી અવધિલબ્ધિ યુકતનું ગ્રહણ કર્યુ છે. તથા ચારે પણ આયુષ્યના જઘન્ય પ્રદેશના ઉદીરક પોત-પોતાની ભૂમિકાને યોગ્ય અત્યંત સુખને અનુભવતાં જીવને હોય છે. ત્યાં પ્રથમ ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણની જધ સ્થિતિમાં વર્તતાં નારક તે શેષ નારકોની અપેક્ષાએ અતિ સુખી હોય છે, માટે નરકાયુષ્યનો જઘન્ય પ્રદેશોદીરક છે. બાકીના તિર્યંચ-મનુષ્ય-દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતાં અને પોત-પોતાના સ્થાને યોગ્યતા મુજબ અત્યંત સુખી એવા તિર્યંચ-મનુષ્ય અને દેવો અનુક્રમે તિર્યંચાયુ-મનુષ્યાયુ અને દેવાયુના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી જાણવાં. (પરિશિષ્ટ-૧ માં યંત્ર નંબર-૫ જુઓ) ઇતિ જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામિત્વ સહિત ૨જી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૪થી પ્રદેશ ઉદીરણા સમાપ્ત ૮૭ ओहीणं ओहिजुए, अइसुहवेई य आउगाणं तु । पढमस्स जहण्णटिई, सेसाणुक्कोसगटिईसु ।। ८९ ।। अवध्योरवधियुतो - ऽतिसुखवेदी चायुष्काणान्तु । प्रथमस्य जघन्यस्थितिः, शेषाणामुत्कृष्ट स्थितिषु ।। ८९ ।। Jain Education International ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિવર્ય મસા૰ વિરચિત કર્મપ્રકૃતિ ટીકામાં ઉદીરણાકરણનું ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ સમાપ્ત ગાથા ૮૨ થી ૮૯ સુધીમાં કહેલ અર્થનો સંગ્રહ કર્યો છે, એવી અન્ય બનાવેલી ગાથા કહે છે. उक्कोसुदीरणाए सामी सुद्धो उ गुणियकम्मंसो । इयराअ खवियकम्मो तज्जोगुदीरणा किलि ।। અર્થ :- શુદ્ધ પરિણામવાળો ગુણિતકર્માંશ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી છે. અને તત્ પ્રાર્યાગ્ય ક્લિષ્ટ પરિણામવાળો ક્ષપિતકર્માંશ આત્મા જઘન્ય પ્રદેશોદીરણાનો સ્વામી છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy