________________
ઉદીરણાકરણ
૧૨૩
ગાથાર્થ :- દેવ નરકાયુની ઉ040ઉદીનો સ્વામી ઉત્કૃષ્ટ દુ:ખોદયી અનુક્રમે જઘન્ય - ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ - નારકી જાણવાં, ઈતર મનુષ્ય - તિર્યગાયુની ઉ0,0ઉદીના સ્વામી ૮ વર્ષના આયુષ્યવાળા આઠમે વર્ષે વર્તમાન મનુષ્ય-તિર્યંચ જાણવાં.
ટીકાર્થ :- દેવ-નારક આયુષ્યના યથાક્રમે દેવ - જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા, અને નારક ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ઘણાં દુ:ખના ઉદયમાં વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશના ઉદીરક છે. ઘણાં દુઃખના અનુભવમાં ઘણાં આયુષ્યના પુદ્ગલો દૂર (નિર્જરા) કરે છે. તેથી તેનું ગ્રહણ કર્યું છે. તત્ = ઘણાં આયુ: પુદ્ગલના ક્ષયનું મૂળ અતિસંક્લેશ છે તે જણાવવા માટે સ્થિતિના અત્યાર = ફેરફારનું ગ્રહણ કર્યું છે. અર્થાત્ દેવની જઘન્ય ૧૦ હજાર વર્ષની સ્થિતિ લીધી છે, જ્યારે નારકીની ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ લીધી છે.
ઈતર જે તિર્યંચ - મનુષ્ય આયુષ્ય યથાસંખ્ય પ્રમાણે તિર્યંચ મનુષ્ય ૮ વર્ષના આયુષ્યવાળા અર્થાત્ ૮મા વર્ષમાં વર્તતાં ઘણાં દુઃખના ઉદયયુક્ત જીવ ઉત્કૃષ્ટ પ્રદેશના ઉદીરક છે.
एगंततिरियजोग्गा, नियगविसिट्रेस तह अपज्जत्ता । संमुच्छिममणुयंते, तिरियगई देसविरयस्स ।। ८५ ।। एकान्ततिर्यग्योग्या, निजकविशिष्टेषु तथाऽपर्याप्ताः ।
संमूर्छिममनुजान्ते, तिर्यग्गतर्देशविरतस्य ।। ८५ ।। ગાથાર્થ :- એકાન્ત તિર્યંચગતિમાં જ જે ઉદય યોગ્ય પ્રવૃતિઓ છે તેઓની ઉ0 પ્ર0 ઉદી ના સ્વામી તે તે વિશિષ્ટ નામવાળા તિર્યંચો જ છે. તથા અપર્યાપ્ત નામની ઉ0 પ્ર0 ઉદી ના સ્વામી સંમૂર્શિમ અપર્યાપ્ત મનુષ્યને અન્ત, અને તિર્યંચગતિની ઉ0 પ્ર0 ઉદી દેશવિરત છે.
ટીકાર્થ:- એકાન્ત તિર્યંચને જ જે પ્રકૃતિ ઉદય યોગ્ય હોય તે એકાન્ત તિર્યંચ યોગ્ય પ્રકૃતિઓઃ- પ્રથમ જાતિ ચતુષ્ક, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ એ ૮ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ના સ્વામી પોત-પોતાના પ્રકૃતિ વિશિષ્ટ જીવો પામે છે. તે આ પ્રમાણે કહે છે- એકેન્દ્રિયજાતિ અને સ્થાવરનામની ઉ૦ પ્રવ્ર ઉદીરણા સર્વ વિશુદ્ધ બાદર પૃથ્વીકાય જીવને હોય છે. આતપનામની ઉ૦ પ્ર0 ઉદીરણા ખર બાદર પૃથ્વીકાય ને હોય છે. સૂમનામની ઉ0 પ્ર ઉદીરણા પર્યાપ્ત સૂક્ષ્મ જીવને હોય છે. સાધારણ-વિકલેન્દ્રિયજાતિની ઉ0 , ઉદીરણા તે તે નામના ઉદયવાળા સર્વ વિશુદ્ધ પર્યાપ્ત જીવને હોય છે. તથા અપર્યાપ્ત નામની ઉ0 પ્ર0 ઉદીરણા અપર્યાપ્ત સંમુસ્ડિમ મનુષ્યને અન્ય સમયે વર્તતાં હોય છે. તથા તિર્યંચગતિની ઉ0 પ્ર0 ઉદીરણા અતિ વિશુદ્ધ દેશવિરતિવાળા તિર્યંચ જીવને હોય છે.
अणुपुबिगइझुगाणं, सम्मदिट्टी उ दुभगमाईणं । नीयस्स य से काले, गहिहिइ विरइ त्ति सो चेव ।। ८६ ।। आनुपूर्विगतिद्विकयोः, सम्यग्दृष्टिस्तु दुर्भगादीनाम् ।
नीचैर्गोत्रस्य च तस्मिन् काले, ग्रहीष्यति विरतिरिति स चैव ।। ८६ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- તે તે ગતિમાં વર્તતાં સર્વ વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ જીવને ત્રીજા સમયે આનુપૂર્વી-૪ની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. ફક્ત મનુષ્ય-તિર્યંચાનુપૂર્વાની ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ કહેવો. દેવ-નરકગતિનો પણ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરક તે જ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા ૮૫માં તો કહ્યું છે. “મણુપુત્રિાના લાફો સમો '' ત્તિ અર્થ:- આનુપૂર્વી અને દેવ-નરકગતિનો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરક છે. અવિશેષથી કહ્યું છે અને તેની વ્યાખ્યા પણ અવિશેષથી જ કરાય છે. તથા અનંતર સમયે જે સર્વવિરતિ ગ્રહણ કરશે તે જ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ દુર્ભગ-અનાદેય-અયશકીર્તિ અને નીચગોત્ર = એ ૪ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા કરે છે.
जोगंतुदीरगाणं, जोगते सरदुगाणुपाणूणं । नियगते केवलिणो, सबविसुद्धो य सव्वासिं ।।८७ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org