SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ ૧૧૯ વિશુદ્ધિથી ઉઅનુઉદી અને અશુભ પ્રવૃતિઓથી સંક્લેશથી ઉઅનુ0ઉદી હોય છે.) પુદ્ગલાદી વિપાકનો પુદ્ગલાદિ પ્રત્યયના ઉત્કર્ષમાં ઉત્કૃષ્ટ, પ્રથમ સમયે તો જઘન્ય ઈત્યાદિ વિચારીને તે તે પ્રકૃતિ ઉદયવતિમાં જઘન્ય -ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામિપણાને નિર્ધારવું અર્થાત્ નક્કી કરવું. (પરિશિષ્ટ - ૧ માં યંત્ર નં - ૪ જુઓ) ઈતિ જઘન્ય અનુભાગ ઉદીરણા સ્વામિત્વ સહીત છઠ્ઠી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત. ઈતિ ૩જી અનુભાગ ઉદીરણા સમાપ્ત. -: અથ ૪થી પ્રદેશ ઉદીરણા : -: અથ ૧લી સાધાદિ પ્રરૂપણા - पंचण्हमणुक्कोसा, तिहा पएसे चउबिहा दोण्हं । सेसविगप्पा दुविहा, सबविगप्पा य आउस्स ।। ८० ।। पञ्चानामनुत्कृष्टा, त्रिधा प्रदेशे चतुर्विधा द्वयोः । शेषविकल्पा द्विविधाः, सर्वविकल्पाञ्चायुषः ।। ८० ।। ગાથાર્થ :- ૫ કર્મની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા ૩ પ્રકારે, તથા ૨ કર્મની અનુષ્ટ ઉદી-૪ પ્રકારે, અને એ ૭ કર્મના શેષ વિકલ્પો, તથા આયુષ્યના સર્વ વિકલ્પો ૨ પ્રકારે છે. ટીકાર્થ :- પ્રમાણે અનુભાગ ઉદીરણા કહીં, હવે પ્રદેશ ઉદીરણા કહેવાનો પ્રસંગ છે. ત્યાં સાદ્યાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા એ બે અર્થાધિકાર છે. તેમાં પણ સાદ્યાદિ પ્રરૂપણા મૂલપ્રકૃતિ વિષયની અને ઉત્તરપ્રકૃતિ વિષયની એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ મૂલપ્રકૃતિ વિષયની સાદ્યાદિ પ્રરૂપણા કહેવાય છે. મોહનીય, આયુષ્ય, વેદનીય સિવાયની “પાંચે મૂલપ્રકૃતિઓની પ્રદેશ સંબંધી અનુત્કૃષ્ટ ઉદીરણા-અનાદિ–ધ્રુવ -અધવ એમં ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ગુણિતકર્માશ જીવ પોત-પોતાની ઉદીરણાને અન્ને પામે છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વે પણ અનુત્કૃષ્ટ, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ છે. ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ જાણવી. તથા વેદનીય અને મોહનીય એ બે કર્મની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. - વેદનીયકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અપ્રમત્તભાવને સન્મુખ થયેલા એવા સર્વ વિશુદ્ધ પ્રમત્તયતિને હોય છે. અને મોહનીયની ઉ040 ઉદીરણા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સ્વ ઉદીરણાને અન્ને હોય છે. તેથી એ બન્ને કર્મની પણ ઉ050 ઉદીરણા સાદિ-અધ્રુવ છે. તેથી બીજે સર્વ પણ અનુષ્ટ પ્રીઉદીરણા, તે પણ અપ્રમત્તથી પડતાં મુનિને વેદનીયની, અને ઉપશાંતમોહથી પડતાં મુનિને મોહનીયની અનુત્કૃષ્ટ ઉદી - સાદિ હોય છે, અને તે સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. આ સાતે પણ મૂલપ્રકૃતિઓનો બાકીના જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. આ સાતે પણ કર્મની જઘન્ય-અજઘન્ય પ્રદેશ ઉદીરણા મિથ્યાદૃષ્ટિ જીવને અતિસંક્લેશ પરિણામના ભાવ અને અભાવથી પરાવર્તનમાં પ્રાપ્ત થાય છે, તેથી સાદિ-અધ્રુવ છે. અને ઉત્કૃષ્ટ પૂર્વ કહીં છે. તથા આયુષ્યના સર્વે પણ વિકલ્પો અધવપણું હોવાથી સાદિ-અધ્રુવ છે. मिच्छत्तस्स चउद्धा, सगयालाए तिहा अणुक्कोसा । सेसविगप्पा दुविहा, सबविगप्पा य सेसाणं ।। ८१ ॥ मिथ्यात्वस्य चतुर्द्धा, सप्तचत्वारिंशतस्त्रिधाऽनुत्कृष्टा । शेषविकल्पा द्विविधाः, सर्वविकल्पाश्च शेषाणाम् ।। ८१ ॥ ૮૪ ઉપર કહેલ કર્મમાંથી ૩ ઘાતિકર્મની છેલ્લી ઉદીરણા ૧૨માં ગુણસ્થાનકે અને અઘાતિ-૨ કર્મની ૧૩માં ગુણસ્થાનકે પ્રવત્ત હોવાથી. અને તે બન્ને સ્થળેથી પડવાનો અભાવ હોવાથી સાદિ ભંગ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy