________________
૧૨૦
કર્મપ્રકૃતિ ભાગ-૨ ગાથાર્થ :- મિથ્યાત્વની અનુકૃષ્ટ પ્રઉદીઠ ૪ પ્રકાર તથા શેષ ધ્રુવોદયિ ૪૭ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદી, ૩ પ્રકારે છે. એ ૪૮ પ્રકૃતિઓના શેષ વિકલ્પો અને શેષ પ્રકૃતિના સર્વે વિકલ્પો ૨ પ્રકારે છે.
ટીકાર્થ :- ઉત્તર પ્રવૃતિઓની સાદ્યાદિ પ્રરૂપણા:- કહે છે. મિથ્યાત્વની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. = જે અનંતર સમયે સંયમ સહિત સમ્યકત્વને પ્રાપ્ત કરશે તે મિથ્યાદૃષ્ટિ જીવને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે, તે એક સમયમાત્ર હોવાથી સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુષ્ટ, તે પણ સમ્યકત્વથી પડતાને સાદિ, તે સ્થાનને નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ.
તથા શેષ ધ્રુવોદય ૪૭ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અનાદિ - ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. :- જ્ઞાનાવરણ -૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, = એ ૧૪ પ્રકૃતિની ગુણિતકર્માશ ક્ષીણકષાય જીવને પોત-પોતાની ઉદીરણાના અન્ને ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે, અને તે સાદિ - અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુષ્ટ, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ,
તથા તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ, નિર્માણ = એ ૩૩ પ્રકૃતિઓની ગુણિતકર્માશવાળા સયોગી કેવલીને અન્ય સમયે ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ.
તથા આ ૪૮ પ્રકૃતિઓના બાકીના જઘન્ય-અજઘન્ય અને ઉત્કૃષ્ટ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. :- સર્વ પણ પૂર્વ કહેલ ૪૮ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશોદીરણા અતિસંફિલષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે, અને તેના પરિણામથી ઉતરતાં જીવને અજઘન્ય હોય છે, તે પરાવૃત્તિથી પામે છે તેથી સાદિ-અધ્રુવ છે. અને ઉત્કૃષ્ટ તો પૂર્વ જ કહેલ છે.
અને બાકીની અધૂવોદયિ ૧૧૦ પ્રકૃતિઓના જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ એ સર્વ પણ વિકલ્પો અધ્રુવ ઉદીરણાપણું હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. (યંત્ર નં - ૧૧ જુઓ, પરિશિષ્ટ - ૧માં યત્ર નં - ૫ જુઓ)
ઈતિ સાધાદિ પ્રરૂપણા સમાપ્ત. - અથ રજી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ પ્રદેશદીરણા સ્વામિત્વ :-)
अणुभागुदीरणाए, जहण्णसामी पएसजिट्टाए । વાળ મનો, મોદી વિનોદિમેળ / ૮૨ . अनुभागोदीरणाया, जधन्यास्वामी प्रदेशज्येष्ठः ।
ઘાતનામ તર:, કવચ્યોર્વિનાથતબ્બા (વ્યિહીન ) | ૮૨ //. ગાથાર્થ :- સર્વે ઘાતકર્મની અનુભાગ ઉદીરણામાં જે જે જઘન્ય ઉદીરણાના સ્વામી પૂર્વે કહ્યાં છે, તે તે સ્વામી અહીં ઉમ0ઉદીd માં ગુણિતકમશ જાણવાં. વિશેષ એ છે કે શ્રુતકેવલી વા અન્ય કોઈ મત્યાવરણાદિકના ઉમઉદીવ સ્વામી છે. અને અવધિઢિકાવરણના ઉ00ઉદી, સ્વામી અવધિ લબ્ધિ રહિત જીવ છે.
ટીકાર્થ :- સાદ્યાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વને કહે છે. અને તે ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી અને જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામી એમ બે પ્રકારે છે. ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી કહે છે. :- સર્વ પણ ઘાતકર્મની અનુભાગ ઉદીરણામાં જે જે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી પૂર્વે કહ્યાં છે તે જ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી ગુણિતકર્માશ જાણવાં વિશેષ એ છે કે શ્રુતકેવલી અથવા બીજા કોઈ (મત્યાવરણાદિકના) ઉમઉદી ના સ્વામી છે. અવધિજ્ઞાન - અવધિદર્શનાવરણ એ બે પ્રકૃતિનો અવધિ લબ્ધિહીન 30પ્રદી, કહેવાં. આ અતિ સંક્ષેપથી કહ્યું, હવે વિશેષ વ્યાખ્યા કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org