SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ ૧૦૫ ટીકાર્થ :- તીર્થકર નામકર્મ અને ઘાતિકર્મો તે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, નોકષાય સિવાયની મોહનીયની૧૯, અંતરાય-૫ = એ ૩૯ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણાને આશ્રયીને તિર્યંચ-મનુષ્યોને પરિણામપ્રત્યય છે. અહીં અન્યથા ભાવની પ્રાપ્તિ તે પરિણામ કહેવાય છે. ત્યાં તિર્યંચ અથવા મનુષ્યો એ પ્રકૃતિઓના અનુભાગને ગુણપ્રત્યયથી અન્યથા-બીજી રીતે બાંધેલા પણ અન્યથારૂપે પરિણાવી ઉદીરે. તેથી આ ૩૯ પ્રકૃતિઓ ગુણપરિણામપ્રત્યય છે. એ પ્રમાણે ભાવ છે. ભવપ્રત્યય :- કહે છે-“સેસ ૩' ઇત્યાદિ બાકીની પ્રકૃતિઓ-સાતા-અસતાવેદનીય, આયુષ્ય-૪, ગતિ-૪ જાતિ-૫, ઔદારિકસપ્તક, સંઘયણ-૬, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, કર્કશ-ગુરુસ્પર્શ, આનુપૂર્વી-૪, ઉપઘાત, આતપ, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ત્ર-સ્થાવર, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, સાધારણ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, નિર્માણ, નીચગોત્ર એ પ૬ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણાને આશ્રયીને ભવપ્રત્યયથી જાણવી. કારણ કે આ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ગુણપ્રત્યયપણાનો અભાવ હોવાથી ભવપ્રત્યયપણું છે. તથા પૂર્વે કહેલી તિર્યંચ - મનુષ્યથી વ્યતિરિક પ્રવૃતિઓની (પૂર્વોક્ત શેષ જીવોને) અનુભાગ ઉદીરણા ભવપ્રત્યયિક જાણવી. તે આ પ્રમાણે કહે છે. - દેવ - નારકો અને વ્રતરહિત તિર્યંચ- મનુષ્યો ૯ નોકષાયની પશ્ચાનુપૂર્વીએ એટલે ઉત્કૃષ્ટ અનુભાગ સ્પર્ધકથી શરૂ કરીને અસંખ્ય અનુભાગ સ્પર્ધકો ભવપ્રત્યયથી જ ઉદેરે છે. તથા વૈક્રિયસપ્તક, તૈજસસપ્તક, વર્ણ-૫, ગંધ-૨, રસ-૫, સ્નિગ્ધ-રુક્ષ-શીત-ઉષ્ણસ્પર્શ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ એ ૩૫ પ્રકૃતિઓની દેવ-નારકો ભવપ્રત્યયથી જ અનુભાગ ઉદીરણા કરે છે. તથા ભવધારણીય દેહમાં વર્તતાં દેવો સમચતુરસ્ત્રસંસ્થાનની અનુભાગ ઉદીરણા ભવ પ્રત્યયથી જ કરે છે. તથા ઉત્તર વૈક્રિય સિવાયના શેષ જીવો મૃદુ-લઘુસ્પર્શ, પરાઘાત, ઉદ્યોત, શુભવિહાયોગતિ, સુસ્વર, અને પ્રત્યેક એ ૭ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ભવપ્રત્યયથી પ્રવર્તે છે. તથા સુભગ, આદેય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર એ ૪ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ગુણહીન (લબ્ધિહીન) જીવને ભવપ્રત્યયથી અને ગુણવંતને ગુણપ્રત્યયથી પ્રવર્તે છે તથા સર્વઘાતિકર્મની અનુભાગ ઉદીરણા દેવ-નરકોને ભવપ્રત્યયથી પ્રવર્તે છે. બાકીની ભાવના તો સરલ છે. પંચસંગ્રહ 'ઉદીરણાકરણ ગાથા-પરમાં કહ્યું છે. ‘‘ગા મરે નિયમ ૩રારજી તારો મ ત્તા | પરિણામપત્રયો સેસાણો સક્સવૃત્યિ ||'' અર્થ :- જે પ્રકૃતિઓને જે ભવમાં અવશ્ય ઉદીરે છે, તે ભવનિમિત્તક કહેવાય છે. અને શેષ પરિણામ પ્રત્યયિક કહેવાય છે. કારણ કે તે પ્રકૃતિઓની ઉદીરણા સર્વત્ર પ્રવર્તે છે. તાત્પર્ય એ છે કે-જે પ્રકૃતિઓ આ ભવમાં નિશ્ચયથી ઉદીરણા થાય તે ભવપ્રત્યય ઉદીરણા કહેવાય છે. ત્યાં નરકત્રિકની ઉદીરણા નરકને ભવપ્રત્યયથી છે, દેવત્રિકની ઉદીરણા દેવને ભવપ્રત્યયથી છે, તિર્યંચત્રિક, પ્રથમ જાતિ-૪, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપનામકર્મની તિર્યંચને ભવપ્રત્યયથી છે. મનુષ્યત્રિકની મનુષ્યને ભવપ્રત્યયથી છે. આ ૨૦ પ્રકૃતિઓ સિવાયની પ્રવૃતિઓની ઉદીરણા પરિણામપ્રત્યય છે. અને તે ધ્રુવોદય છે, કારણ કે સર્વ ભવને વિષે તે ઉદીરણા વિદ્યમાન હોય છે. અને તે આ પ્રવૃતિઓની તે ઉદીરણા નિર્ગુણપરિણામ જાણવી. અને આ પણ વિરુદ્ધ નથી, કારણ કે વિવક્ષા ભેદથી આ પ્રમાણેની પણ યુક્તિ યોગ્ય છે તેથી, અને બીજું સર્વ પણ પ્રકૃતિઓ યથાયોગ્ય ભવમાં જ ઉદીરાય છે. તિર્યંચગતિ યોગ્ય તિર્યંચભવમાં, મનુષ્યગતિ યોગ્ય મનુષ્યભવમાં નરકગતિ યોગ્ય નરકભવમાં, અને દેવગતિ યોગ્ય દેવભવમાં તેથી આ સર્વ પણ ભવપ્રત્યયથી ઉદીરણા છે. અથવા તેવા તેવા પ્રકારના પરિણામના વશથી દરેક પ્રકૃતિઓને ઘણાં રસવાળી પ્રકૃતિઓને અલ્પ રસવાળી કરીને, અને અલ્પ રસવાળી પ્રકૃતિઓ હોય તેને ઘણાં રસવાળી કરીને સર્વ પણ જીવો સર્વ પણ પ્રકૃતિઓ પરિણામ પ્રત્યયથી ઉદીરે છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા-પ૩માં કહ્યું છે. “મવUવ્યા સવા તદેવ પરમપફવા'' - સઘળી પ્રવૃતિઓ ભવપ્રત્યયિક તેમજ પરિણામપ્રત્યયિક પણ કહેવાય છે. તેથી અહીં વિચિત્ર વિવક્ષા ભેદ જ શરણ છે. એ પ્રમાણે વિચારવું. (યંત્ર નં-૮,૯ જુઓ) ઇતિ ૪થી પ્રત્યય પ્રરૂપણા સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy