________________
૧૦૪
ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય :હવે જે પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ગુણ-અગુણ પરિણામ કરાયેલ નથી, ભવપ્રત્યય પણ નથી તે બતાવવાની ઇચ્છાવાળા કહે છે. સમચતુરસસંસ્થાન, મૃદુ-લઘુસ્પર્શ, પરાઘાત, ઉદ્યોત, શુભવિહાયોગતિ, સુસ્વર, પ્રત્યેકનામની ૮ પ્રકૃતિઓ ‘નૂ” ત્તિ- અનુભાગ ઉદીરણાને આશ્રયીને તનુ પરિણામપ્રત્યય છે. ‘ઉત્તરતજૂનુ યોતુ વિ’ ત્તિ- ઉત્તર તનુ = વૈક્રિય-આહરકશરીર બન્ને પણ ક૨ણ પરિણામ થયે છતે એ પ્રમાણે અર્થ છે. ઉત્તર વૈક્રિય અથવા આહક કરાતે છતે તે બલથી જ સમચતુરસાદિની અનુભાગ ઉદીરણા પ્રવર્તે છે. તે ગુણાગુણ પરિણામથી કરાયેલી કે ભવકૃત પણ નથી. પરંતુ ઉત્તર વૈક્રિયાદિ શરીર પરિણામથી કરાયેલી છે. એ પ્રમાણે અર્થ છે. કેવલ ગુણ પરિણામને આશ્રયીને કહે છે. ‘તનૂ તડ્યા’ વગેરે તૃતીય શ૨ી૨ =આહા૨કશરીર ઉપલક્ષણથી આહારકસપ્તક લેવું, અનુભાગ ઉદીરણાને આશ્રયીને ગુણપરિણામપ્રત્યય છે. આ ગુણપરિણામથી જ થાય છે. તેથી આની ઉદીરણા પણ ગુણપરિણામપ્રત્યય જ છે.
देसविरयविरयाणं, सुभगाएज्जजसकित्तिउच्चाणं । પુત્રાળુનાણ, અસલમાનો શિયાળ ।। ૧૨ ।।
देशविरतविरतानां, सुभगादेययशः कीर्त्यच्चैर्गोत्राणाम् । पुर्वानुपूर्विकयाऽसंख्यभागः स्त्र्यादीनाम् ।। ५२ ।।
ટીકાની જેમ.
ગાથાર્થ ઃટીકાર્ય :- દેશિવરિત અને સર્વવિરતિવાળા જીવોને સુભગ, આદેય, યશઃકીર્તિ અને ઉચ્ચગોત્ર એ ૪ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ગુણ પરિણામકૃત છે. તે આ પ્રમાણે કહે છે. -સુભગ આદિની પ્રતિપક્ષ દુર્ભગાદિ પ્રકૃતિ ઉદય યુકત હોય પણ જે જીવ દેશવિરતિ કે સર્વવિરતિનો સ્વીકાર કરે, તે જીવને પણ દેશવિરતિ આદિ ગુણના પ્રભાવથી સુભગાદિ પ્રકૃતિઓની જ ઉદય પૂર્વક ઉદીરણા પ્રવર્તે છે. તેથી ગુણપરિણામકૃત છે.
તથા ‘થિયાર્ડ્ઝ' તિ સ્ત્રીવેદ આદિ ૯ નોકષાયનો પૂર્વાનુપૂર્વીના ક્રમથી જઘન્ય અનુભાગ સ્પર્ધકથી શરૂ કરીને અસંખ્યાતમો ભાગ દેશવિરતિ અને સર્વવિરતિવાળા જીવને ઉદીરણા યોગ્ય ગુણપરિણામકૃત જાણવો, આગળનો અનુભાગ ઉદીરણા યોગ્ય થતો નથી. પંચસંગ્રહમાં તો આ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સ્પર્ધકથી શરૂ કરીને અનંતમો ભાગ ઉદીરણા યોગ્ય ગુણપરિણામકૃત કહ્યો છે. તે આ પ્રમાણે પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા - ૫૧માં કહ્યું છે.
""
સુમાનત્ત્વનોય મુળપરનામા ૩ વેસમાનું । ગઠ્ઠોળપખ્તુનો વંતસો નોસાયાનં'' || અર્થ:
કર્મપ્રકૃતિ ભાગ-૨
દેશવિરતિ આદિ જીવોને સાભાગ્યાદિ અને ઉચ્ચગોત્ર કર્મની ઉદીરણા ગુણપરિણામથી થાય છે. દેશવિરતિ આદિ જીવોને ૯ નોકષાયનો અતિહીન સ્પર્ધકથી આરંભી૬પ અનંતમો ભાગ ગુણપરિણામકૃત ઉદીરણા યોગ્ય સમજવો.
૬૫
तित्थयरं घाईणि य, परिणामपच्चयाणि सेसाओ । भवपच्चइया पुबुत्ता वि य पुबुत्तसेसाणं ।। ५३ ।।
Jain Education International
तीर्थंकरं घातीनी च, परिणामप्रत्ययानि शेषा: । મવપ્રયિા: પૂર્વાવત્તા પ ચ પૂર્વોક્તશેષાનામ્ ।। ૧૩ ।।
ગાથાર્થ :- જિનનામ અને ધાતિકર્મની અનુભાગોદીરણા પરિણામપ્રત્યયિક છે. શેષ પ્રકૃતિઓની તથા પૂર્વોક્ત પ્રકૃતિઓની પૂર્વોક્તથી શેષ જીવોને અનુભાગોદીરણા ભવપ્રત્યયિક જાણવી.
જઘન્ય સ્પધર્કથી આરંભી કુલ સ્પર્ધકોનો અનંતમો ભાગ વેદાદિ પ્રકૃતિઓનો દેશવિરત આદિ આત્માઓને ઉદીરણા યોગ્ય અહીં કહ્યો છે. એટલે જઘન્ય રસસ્પર્ધકથી આરંભી અનંત સ્પર્ધક દ્વારા જેવા પરિણામ થાય તેવો વેદાદિનો ઉદય દેશવિરતાદિને સમજવો. કેમ કે ગુણના પ્રભાવથી તે તે પાપપ્રકૃતિઓનો ઉદય મંદમંદ હોય છે, એટલે એ સંભવે છે. તત્ત્વ કેવલિ ગમ્ય.
For Personal & Private Use Only
www.jainelibrary.org