________________
ઉદીરણાકરણ
૧૦૩
ગાથાર્થ :- ગુરુ-લઘુ દ્રવ્યોના અનંત પ્રાદેશિક સ્કંધોમાં ચક્ષુદર્શનાવરણીયનો, રૂપિ દ્રવ્યોમાં યોગ્ય પુદ્ગલોમાં શેષ અંતરાયનો, અને ગ્રહણ -ધારણમાં અવધિજ્ઞાન - દર્શનાવરણીયનો વિપાક છે.
ટીકાર્થ :- ચક્ષુષઃ- જે અનંત પ્રદેશવાળા ‘ૐગુરુલઘુ પરિણામી સ્કંધો છે તેમાં ચક્ષુદર્શનાવરણનો વિષય વિપાક છે. અવધિદર્શનાવરણનો વિષય રૂપિ દ્રવ્યોમાં છે. બાકીના અંતરાયનો - વીર્યંતરાય સિવાયના દાન, લાભ, ભોગ અને ઉપભોગ તેનો ગ્રહણ-ધારણ યોગ્ય પુદ્ગલ દ્રવ્યોમાં છે, પરંતુ બાકીના પુદ્ગલોમાં વિપાક વિષય નથી. જેટલાં ક્ષેત્રાદિમાં ચક્ષુદર્શન આદિનો વિષય હોય તેટલો જ વિષય તે ચક્ષુદર્શનાવરણ આદિનો છે. તેથી ઉપઘાત કર્મના (ગુરુલઘુ અનંતપ્રદેશ સ્કંધરૂપ) વિષયના નિયમમાં કંઈ વિરોધ સંભવતો નથી. બાકીની પ્રકૃતિઓનો પુદ્ગલ વિપાકાદિ જે પ્રમાણે પહેલા કહ્યો છે તે પ્રમાણે જાણવો. (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર-૪ જુઓ)
ઇતિ ૩જી વિપાક પ્રરૂપણા સમાપ્ત
૬૩
૬૪
-: અથ ૪થી પ્રત્યય પ્રરૂપણા :वेउब्वियतेयगकम्मवन्नरसगंधनिद्धलुक्खाओ । उहाथरसुभेयर, अगुरुलघुगो य नरतिरिए ।। ५० ।।
ગાથાર્થ ઃ
ટીકાની જેમ.
ટીકાર્થ :- હવે પ્રત્યય પ્રરૂપણા કરે છે. અને તે પ્રત્યય ઉદીરણા કષાય સહિત કે કષાય રહિત યોગસંજ્ઞાવાળું ૬૪વીર્ય તેનું મુખ્ય કારણ છે. અને તે પરિણામપ્રત્યય અને ભવપ્રત્યય એમ બે પ્રકારે છે. ત્યાં પરિણામપ્રત્યય પણ બે પ્રકારે છે. સગુણ અને નિર્ગુણ પરિણતિથી તે સગુણ પરિણામકૃત અને નિર્ગુણ પરિણામકૃત. આ ઉભયભેદ સંલુલિત પરિણામ પ્રત્યય આશ્રયીને કહે છે. - વૈક્રિયસપ્તક, ‘તેયામ્મ' ત્તિ કાર્યણ ‘સમિવ્યાહત’ નજીક રહેલા તૈજસ શબ્દથી તૈજસસપ્તક ગ્રહણ કરાય છે. તથા વર્ણ-૫, ગંધ-૨, ૨સ-૫, સ્નિગ્ધ-રુક્ષ-શીત-ઉષ્ણ એ ૪ સ્પર્શ, સ્થિર-શુભ, અસ્થિર-અશુભ અને અગુરુલઘુ એ ૩૫ પ્રકૃતિઓ અનુભાગ ઉદીરણા ને આશ્રયીને મનુષ્ય તિર્યંચને વિષે પરિણામપ્રત્યયરૂપ છે. કારણ કે વૈક્રિયસપ્તક મનુષ્ય તિર્યંચને વિષે ગુણ વિશેષથી ઉત્પન્ન થતી લબ્ધિરૂપ છે, તેથી તેની ઉદીરણા પણ તેઓને ગુણ પરિણામપ્રત્યયની છે. તૈજસસપ્તક આદિ પ્રકૃતિઓ પણ તિર્યંચ મનુષ્યો અન્ય અન્ય પ્રકારે પરિણમાવીને ઉદીરે છે, તેથી તે પ્રકૃતિઓની પણ અનુભાગ ઉદીરણા તિર્યંચ મનુષ્યને પરિણામ પ્રત્યયની હોય છે.
. वैक्रियतैजसकार्मणवर्णरसगन्धस्निग्धरुक्षाः ।
स्थिरत- गुरुलघुनि च नरतिर्यक्षु ।। ५० ।।
Jain Education International
चउरंसमउयलहुगा, परघाउज्जोयइट्टखगइसरा ।
पत्तणू उत्तर-तणू दोसु वि य तणू तइया ।। ५१ ।। चतुरस्रमृदुलघुका :, परघातोद्योतेष्टखगतिस्वराः ।
प्रत्येकतनुरुत्तर- तन्वोर्द्वयोरपि च तनुस्तृतीया ।। ५१ ॥
અહીં ‘‘ગુરુ લઘુ પરિણામી'' એ સામાન્ય શબ્દ હોવાથી પથ્થર વગેરે ગુરુ નામની ધૂમ વગેરે સયુ રિગામી અને વાયુ જ્યોતિષના વિમાન વગેરે ગુરુતયુ રળામી એ ત્રણે સ્કંધોમાં (ચક્ષુનો વિષય હોવાથી) ચક્ષુદર્શનાવરણો, અને એજ કંર્ધામાંથી ઉત્પન્ન થતા ગંધાદિ ગુરુ લઘુ પરિણામી હોવાથી અચક્ષુદર્શનાવરણનો વિષય ગણી શકાય. કારણ કે ધર્મ આકાશ વગેરે અગુરુલઘુ સ્કર્ધા અતીન્દ્રિય છે.
કોઇપણ કરણની પ્રવૃત્તિ વીર્ય વ્યાપાર વિના થઈ શકતી નથી. એટલે કષાય સહિત કે કપાય વિનાની જે વીર્ય પ્રવૃત્તિ તે જ ઉદીરણામાં પણ કારણ છે, અમુક અમુક પ્રકારનો વીર્યવ્યાપાર થવામાં પણ અનેક કારણો હોય છે. જેમકે દેવભવમાં અમુક પ્રકારનો અને નાક, તિર્યંચ, મનુષ્યભવમાં અમુક પ્રકારનાં વીર્ય વ્યાપર હોય છે. દેશ કે સર્વવિરતિ આદિ ગુણવાળાઓનો અમુક પ્રકારનો અને ગુણ વિનાના આત્માઓનો અમુક પ્રકારનો વીર્ય વ્યાપાર હોય છે. વૈક્રિય, આહારકશરીરનો પરિણામ પણ અમુક અમુક પ્રકૃતિઓની ઉદીરણામાં કારણ છે. એટલે પરિણામનો અર્થ જેમ અધ્યવસાય થાય છે, તેમ અહીં શરીર આદિનો પરિણામ એ અર્થ પણ થાય છે. વળી જેવો અને જેટલો રસ બંધાય છે તેવો અને તેટલો જ રસ ઉદીરાય છે, એમ કંઇ નથી, કેમ કે કેટલીએ પ્રકૃતિઓનો સર્વઘાતિ અને ચઉઠાણીયો રસ બંધાય છે છતાં તે સર્વઘાતિ રસેજ કે ચઉઠાણીયા ૨સેજ ઉદયમાં આવે છે એમ નથી. બંધમાં ગમે તેવો રસ હોય છતાં ઉદય-ઉદીરણામાં અમુક પ્રકારનો જ રસ હોય છે. એટલે બાંધેલા રસનો વિપરિણામ કરી = ફેરફાર કરી = હાનિ વૃદ્ધિ કરી ઉદયમાં લાવે છે. એટલે પરિણામનાં અર્થ 'અન્યથાભાવ કરવો' એવો પણ થાય છે. આ પ્રમાણે વીર્ય વ્યાપાર થવામાં ભવાદિ અનેક કારણ હોવાથી ઉદીરણા પણ અનેક રીતે પ્રવર્તે છે. વીર્ય વ્યાપાર એ સીધું મુખ્ય કારણ છે. બાકી બધા અવાંતર કારણો છે. એમ સમજાય છે.
For Personal & Private Use Only
www.airtelitary.org