________________
૧૦૨
૬૨
-: અથ ૩જી વિપાક પ્રરૂપણા :
-
विरियंतरायकेवल दंसणमोहणिवणाणवरणाणं । ગસમાપણુ ચ, સબવેસુ ૩ વિવાનો ! ૪૮ ||
वीर्यान्तरायकेवल - दर्शनमोहनीयज्ञानावरणाम् । અસમસ્તપવિપુ હૈં, સર્પબેપુ નુ વિપાશેઃ ॥ ૪૮ ॥
ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય : હવે વિપાક પ્રરૂપણામાં વિશેષ કહે છે. વીર્યંતરાય, કેવલદર્શનાવરણ, ૨૮ મોહનીય, જ્ઞાનાવરણ-૫ = ૩૫ પ્રકૃતિઓનો વિપાક વિષય અસર્વ પર્યાયોમાં અને સર્વ જીવદ્રવ્યોમાં હોય છે. તે આ પ્રમાણે કહે છે. - વીતરાયાદિ - ૩૫ પ્રકૃતિઓના સલ પણ જીવદ્રવ્યને ઉપપાત કરે છે, પણ જીવદ્રવ્યના સર્વ પર્યાયને હણતાં નથી. જેમ અતિ ઘનવાદળાંઓ વડે સૂર્ય ચંદ્ર સર્વથા આવૃત્ત થયે છતે પણ સૂર્યચંદ્રની પ્રભા સર્વથા આવૃત્ત થતી નથી. એ પ્રમાણે આ પ્રકૃતિઓ વડે સર્વાત્મના જીવદ્રવ્ય આવૃત્ત થવા છતાં પણ તેના પર્યાયર્યા સર્વયા દૂર કરવા શક્ય નથી.
गुरुलघुगाऽणंतपएसिएस चक्रस रूविदब्बेसु । બારિસ શળધારના - ખોળે સેસંતાવાળ ॥ ૪૨ ।।
गुरुलघुकाऽनन्तप्रादेशिकेषु चक्षुषो रूपिद्रव्येषु । વેપારન - યોગ્યેષુ શેષાન્તરાયાનામ્ ॥ ૪૧ ||
Jain Education International
કર્મપ્રકૃતિ ભાગ -૨
અર્થ :- અહીં શુભ અને અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ ઉદીરણાને વિષે જ્યારે વિચાર કરાય ત્યારે કહી શકાય કે ખરેખર કોઈ વ્યક્તિ વડે કોઈક પ્રકૃતિના જે ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો બનાવ્યા હોય તેની અસતુકલ્પનાથી ૧૦,૦૦૦ સંખ્યા ધારીએ તો તે ૧૦,૦૦૦ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો બનાવ્યા પછી તે કર્મપ્રકૃતિને ભોગવવાનું શરૂ કરે અને ત્યારે તેવા પ્રકારના અધ્યવસાયના કારણે ઉત્કૃષ્ટ રસને હણવા માટે શરૂ કરે. દા.ત. અસકલ્પનાથી ૧૦,૦૦૦ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકોને ક્રમશઃ ૯૯૦૦, ૯૮૦૦, ૯૦૦૦ વગેરે પ્રમાણવાળા અનંતભાગહીન, અસંખ્યભાગહીન, સંધ્યેયભાગહીન બનાવે. તે જ રીતે ઉત્કૃષ્ટ રસસ્પર્ધકોમાંથી કોઈકને સંખ્યાતગુણહીન કરે. દા.ત. ૧૦૦૦ રસવાળા, કોઈકને અસંખ્યાતગુણહીન બનાવે. દા.ત. ૨૦૦ પાવરવાળા અને કોઈકને અનંતગુણહીન કરે જેમ કે ૧૦૦ પાવરવાળા. આ રીતે રસ હણાતાં વિવક્ષિત કુલ ૧૦,૦૦૦ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકોમાંથી કોઇક રસસ્પર્ધકો હણાયેલ રસવાળા સ્પર્ધકો કરતાં બાકી રહી જાય.છે. તે પણ ઉત્કૃષ્ટ રસ સજાતીય હોવાના કારણે ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો જ કહેવાય છે. અને તે ઉત્કૃષ્ટ રસવાળા સ્પર્ધકના રસની ઉદીરણા વખતે અને પરિપૂર્ણ રસસ્પર્ધકની ઉદીરણા વખતે ઉત્કૃષ્ટ રસોદી૨ણા મલે છે.
તાત્પર્ય એ છે - ઉદીરણા કરાતો ઉત્કૃષ્ટ રસ તો હંમેશા માટે જ સત્તામાં રહેલ ઉત્કૃષ્ટ રસની અપેક્ષાએ અનંતગુણહીન જ હોય છે. કારણ કે કષાય પ્રાકૃત ચૂર્ણિમાં કહેલું છે કે મિથ્યાત્વ, ૧૬ કષાય અને ૯ નોકપાયની ઉત્કૃષ્ટ રસની ઉદીરણા અને ઉદય અલ્પ હોય છે. તેના કરતાં ઉત્કૃષ્ટ રસબંધ અનંતગુણ હોય છે. તેના કરતાં ઉત્કૃષ્ટ રસસંક્રમ અનંતગુણ હોય છે. તેના કરતાં ઉત્કૃષ્ટ રસસત્તા અનંતગુણ હોય છે. આ ઉદીરણા કરાતો ઉત્કૃષ્ટ રસ પણ અનંતભાગહીન રસસત્તાની અપેક્ષાએ, એ રીતે અસંખ્યભાગહીન રસસત્તાની અપેક્ષાએ. આ વચનથી પમ્યાનપતિતહીન રસમાં રહેલ અનંતહીન ઉત્કૃષ્ટ રસની અપેક્ષાએ પણ અનંતહીન જ જાવાં. તેમજ અનંતઃગુણહીન રસ નામનું જે ષસ્થાન છે તેમાં રહેલ રસગત સ્વામીઓનું પણ ઉત્કૃષ્ટ રસ ઉદીરણા સ્વામિત્વપણું ઘટી શકે છે. તો બાકી રહેલ અનંતભાગહીન વગેરે અને ઉત્કૃષ્ટ રસસત્તાવાળા સ્વામીઓનું ઉત્કૃષ્ટ ૨સ ઉદીરણા સ્વામીપણું તો સુતરાં ઘટી જ શકે છે.
સારાંશ :-સર્વ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ રસબંધ જેટલો થાય છે તેટલી ઉત્કૃષ્ટ રસસત્તા હોય છે. અને એ રસનું અપવર્તન થતું હોવાથી ઉત્કૃષ્ટ રસસંક્રમણ પણ એટલો જ હોય છે. ફક્ત મિશ્રમોહનીય - સમ્યક્ત્વમોહનીય બંધાતી નથી, પરંતુ તેનો ઉત્કૃષ્ટ રસસંક્રમ અને રસસત્તા મિથ્યાત્વના જઘન્ય રસસત્તા કરતાં પણ અનંતગુણહીન છે. તેથી બે પ્રકૃતિઓ સિવાયની સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ રસસત્તા અને રસસંક્રમ ત્રણે તુલ્ય છે.
સમ્યક્ત્વ અને મિશ્ર સિવાય બધી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસોદય અને ઉત્કૃષ્ટ રસ ઉદીરણા તુલ્ય છે. અને પોતાની ઉત્કૃષ્ટ રસસત્તા કરતાં અનંતગુણ હીન જ ઉદીરણામાં પ્રવર્તે છે. એટલે ઉત્કૃષ્ટ ઉદીરણા કરતાં વધારે રસવાળા સ્પર્ધકો સત્તામાં હોય તો પણ તથા સ્વભાવે ઉદયમાં આવી શકતા નથી, અને એ ક્ષય થઈ ગયા હોય તો પણ ઉત્કૃષ્ટ ઉદીરણા થાય છે. તેથી જેટલી ઉત્કૃષ્ટ ઉદીરણા થાય તેનાથી વધારે રસ સત્તામાં ન હોય તો પણ ઉત્કૃષ્ટ ઉદીરણા થાય છે.
ન
તેથી કહ્યું છે કે -‘‘સુક્કુ વિ મેઢસમુદ્રણ દોષ પત્ના ચંવતૂરાનં'' તિ - તે પ્રમાણે અહીં પણ વિચારવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org