________________
૧૦૦
કર્મપ્રકૃતિ ભાગ -૨
આવેલ ગ્રહણ કર્યું છે. અને પૂર્વે જે કહ્યું તે ઘાતિ સંજ્ઞા નિયમને અર્થે છે, અહીં તો રસસ્થાન નિયમને અર્થે છે. એ પ્રમાણે પૂજ્યપાદ મલયગિરિ મહારાજ કહે છે.
જે જીવને એક પણ અક્ષર સર્વ પર્યાય સહિત જ્ઞાનમાં વર્તે છે તેવા સંપૂર્ણ શ્રુતાક્ષરવાળા શ્રુતકેવલીને મતિ-શ્રુત-અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ એ ૪ પ્રકૃતિઓનો અનુભાગ ઉદીરણા યોગ્ય એક સ્થાનક રસ પ્રાપ્ત થાય છે. સંજ્વલન-૪ કષાયનો તો બંધ અને અનુભાગ ઉદીરણામાં ૧-૨-૩ અને ૪ સ્થાનક એમ ચારે પણ પ્રકારનો સ પ્રાપ્ત થાય છે.
मणनाणं सेससमं, मीसगसम्मत्तमवि य पावेसु । छट्टाणवडियहीणा, संतुक्कस्सा उदीरणया ।। ४७ ।।
ગાથાર્થ :- મન:પર્યવજ્ઞાનને શેષ કર્મ સમાન જાણવું. સમ્યક્ત્વ અને મિશ્રનો ઉદીરણા યોગ્ય રસ પાપ પ્રકૃતિવત્ જાણવો, તથા અનુભાગસત્તાની છસ્થાનપતિત હાનિથી પણ ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રવર્તે છે.
मनोज्ञानं शेषसमं, मिश्रकसम्यक्त्वमपि च पापेषु । षट्स्थानपतितहीनात्, सत्कर्मोत्कृष्टोदीरणा ।। ४७ ।।
ટીકાર્થ :- મનઃપર્યવજ્ઞાનનો ઉદીરણા ૨સ બાકીના કર્મની સમાન જાણવો. અર્થાત્ જે પ્રમાણે બાકીના કર્મની અનુભાગ ઉદીરણા ૪-૩ અને ૨ સ્થાનક સંબંધી હોય છે તે પ્રમાણે મનઃપર્યવજ્ઞાનાવરણની પણ જાણવી. ત્યાં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાને આશ્રયીને ૪ સ્થાનક રસ, અને અનુભૃષ્ટને આશ્રયીને તો ૪-૩-અને ૨ સ્થાનક હોય છે. બંધમાં તો મન:પર્યાયજ્ઞાનાવરણનો ચારે પ્રકારનો પણ રસ હોય છે. અને બાકીના કર્મોનો તો એક સ્થાનક સિવાય ત્રણે પ્રકા૨નો પણ રસ હોય છે. અને તે શેષ કર્મો આ છે. - કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રાપંચક, સાતા-અસાતાવેદનીય, મિથ્યાત્વ, ૧૨ કષાય, ૬ નોકષાય, નરકગતિ - આયુષ્ય, દેવગતિ-આયુષ્ય, પંચેન્દ્રિયજાતિ, તૈજસસપ્તક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, પ્રથમ-અન્ય સંસ્થાન, વર્ણ-૫, ગંધ-૨, રસ-પ, સ્નિગ્ધ-રૂક્ષ-મૃદુ-લઘુ-શીત-ઉષ્ણરૂપ સ્પર્શ-૬, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, વિહાયોગતિશ્ર્વિક, ત્રસચતુષ્ક, સ્થિરાદિ-૬, અસ્થિરાદિ-૬, નિર્માણ, તીર્થંકર અને ગોત્રક્રિક. એ ૧૦૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા આશ્રયીને ચતુઃસ્થાનક ૨સ અને અનુષ્કૃષ્ટ આશ્રયીને ૪-૩ અને ૨ સ્થાનક ૨સ હોય છે.
તથા મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનાવ૨ણ, સંજ્વલન-૪, નોકષાય-૯ = એ ૨૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાને આશ્રયીને ૨સ સર્વધાતિ, અનુત્કૃષ્ટને આશ્રયીને દેશઘાતિ અને સર્વધાતિ છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા ૪૨માં કહ્યું છે. -‘વૈસોવયાડ્યાનું પ્રત્યે વેસો ન હોર્ સનો વા | ઢેસોવધાઓ વિય ઞપવવુ સમ્મત્તવિધાનં ।।'' અર્થ :- દેશઘાતિ પ્રકૃતિઓની ઉદય-ઉદીરણામાં દેશઘાતિ અથવા સર્વઘાતિ ૨સ હોય છે. તથા અચક્ષુદર્શનાવરણીય, સમ્યક્ત્વમોહનીય અને અંતરાયનો દેશઘાતિ જ ૨સ ઉદય-ઉદીરણામાં હોય છે. અહીં ઉદય ઉદીરણા તે અસંપ્રાપ્તિ ઉદયમાં એ પ્રમાણે અર્થ છે.
તથા કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રાપંચક, મિથ્યાત્વ અને ૧૨ કષાય = એ ૨૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ અનુભાગ આશ્રયીને સર્વધાતિ જ રસ છે. તથા સાતા - અસાતાવેદનીય, ચાર આયુષ્ય, સકલ નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ, ગોત્રદ્ધિક ઉત્કૃષ્ટ કે અનુષ્ટ ઉદીરણાને આશ્રયીને ૨સ સર્વધાતિના પ્રતિભાગ (અંશ) જેટલો છે. (યંત્ર નંબર-૭ જુઓ) (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર-૪ જુઓ)
ઇતિ ૧લી સંજ્ઞા પ્રરૂપણા સમાપ્ત
६०
-ઃ અથ ૨જી શુભાશુભ પ્રરૂપણા ઃ
શુભ અશુભપણામાં જે વિશેષ છે તે કહે છે. - મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય પણ અનુભાગ ઉદીરણાને આશ્રયીને પાપકર્મને વિષે જાણવી. કારણ કે આ બન્નેનું ઘાતિકર્મપણું હોવાથી અશુભ રસવાળી છે. બાકીની પ્રકૃતિઓનું જે પ્રમાણે શતક કર્મગ્રંથમાં અનુભાગબંધમાં શુભ-અશુભપણું કહ્યું છે તે પ્રમાણે અહીં પણ કહેવાં.
Jain Education International
મત્યાદિ-૪ છાહ્મસ્થિક જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યમાં અને અસર્વ પર્યાયમાં છે એમ તત્ત્વાર્થાદિ સૂત્રમાં પ્રસિદ્ધ છે. તથા ચાલુ પ્રકરણની ૪૮મી ગાથામાં પણ એવો જ ભાવાર્થ છે, છતાં અહીં શ્રુતકેવલીને એક અક્ષરના સર્વ પર્યાર્થના જ્ઞાતા કહ્યાં તેથી સંભવ છે કે આ સ્થાને સર્વ પર્યાયો તે શ્રુતજ્ઞાન સંબંધી જ ગ્રહણ કરવા પરંતુ બીજા કેવલજ્ઞાન વિષયિક નહીં.
For Personal & Private Use Only
www.jainelibrary.org