________________
ઉદીરણાકરણ સંભવે નહીં, તેથી એ બે ને વર્જીને જ ત્યાં અશુભપ્રકૃતિઓ બતાવી છે, અને અહીં ઉદીરણા તો એ બન્નેની થાય છે, માટે અહીં તે બેનું વિશેષપણે ગ્રહણ કર્યું છે.
તથા પાંચ પ્રકારે અંતરાયકર્મ અને અચક્ષુદર્શનનો ઉત્કૃષ્ટ અનુનાગ ઉદીરણાને આશ્રયીને સર્વ ઉત્કૃષ્ટ બે સ્થાનકરસ, જઘન્યને આશ્રયીને એક સ્થાનકરસ અને કોઇને બે સ્થાનકરસ હોય છે. ઘાતિસંજ્ઞાને આશ્રયીને દેશઘાતિ જાણવો. બંધને આશ્રયીને તો ૧-૨-૩-૪ સ્થાનક એ ચારે પ્રકારે પણ રસ પ્રાપ્ત થાય છે.
ठाणेसु चउसु अपुमं, दुट्टाणे कक्कडं च गुरुकं च । अणुपुबीओ तीसं, नरतिरिएगंतजोग्गा य ।। ४५ ।। स्थानेषु चतुष्वपुमान् , द्विस्थानके कर्कशं च गुरुकं च ।
आनुपूर्वस्त्रिंशद्, नरतिर्यगेकान्तयोग्याश्च ।। ४५ ।। ગાથાર્થ :- નપુંસકવેદનો ચારે સ્થાનકનો રસ, કર્કશ અને ગુરુસ્પર્શનો દ્રિસ્થાનક રસ, તથા આનુપૂર્વી અને એકાન્ત મનુષ્ય – તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિઓનો દ્રિસ્થાનક રસ ઉદીરણા યોગ્ય છે.
ટીકાર્થ :- નપુમાન્ - નપુંસકવેદનો અનુભાગ ઉદીરણામાં ૧-૨-૩-૪ સ્થાનકરૂપ ચારે પણ સ્થાનકનો રસ જાણવો. ત્યાં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાને આશ્રયીને ચતુઃસ્થાનક, અનુષ્ટને આશ્રયીને ૪-૩-૨ અને ૧ સ્થાનક રસ જાણવો. વળી બંધને આશ્રયીને એક સ્થાનક સિવાય ત્રણ પ્રકારનો રસ કહ્યો છે. અહીં પ્રશ્ન થાય છે કે એક સ્થાનક રસના બંધના અભાવે ઉદીરણામાં નપુંસકવેદનો એક સ્થાનક રસ કેવી રીતે પ્રાપ્ત થાય ? તો જવાબ કહે છે. - નપુંસકવેદના ક્ષયકાળે રસધાત કરતાં એક સ્થાનક રસનો પણ સંભવ છે.
તથા કર્કશનામ અને ગુરુસ્પર્શનો બંધને આશ્રયીને ૪-૩ અને ૨ સ્થાનક પ્રાપ્ત થાય છે, પરંતુ અહીં ઉદીરણામાં તો બે સ્થાનક રસ જ હોય છે.
તથા ચારે આનુપૂર્વી અને મનુષ્ય તિર્યંચને જ એકાત્તે ઉદયમાં વર્તતી જે તિર્યંચદ્ધિક, મનુષ્યદ્ધિક, પ્રથમજાતિ-૪, ઔદારિકસપ્તક, મધ્યમસંસ્થાન-૪, સંઘયણ-૬, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ૩૦ પ્રકૃતિઓ કુલ ૩૪ પ્રકૃતિઓનો બંધને આશ્રયીને એક સ્થાનક સિવાય ત્રણ પ્રકારનો રસ પ્રાપ્ત થાય છે. પણ ઉત્કૃષ્ટ અને અનુસ્કૃષ્ટ ઉદીરણાને આશ્રયીને બે સ્થાનક રસ જ જાણવો.
वेया एगट्टाणे, दुट्टाणे वा अचक्खुचक्खू य । जस्सत्थि एगमवि अक्खरं तु तस्सेगठाणाणि ।। ४६ ।। वेदावेकस्थाने, द्विस्थाने वा अचक्षुश्चक्षुश्च ।
यस्यास्त्येकमप्यक्षरं तु तस्यैकस्थानानि ।। ४६ ।। ગાથાર્થ :- સ્ત્રીવેદ, પુરુષવેદ, અચક્ષુદર્શન, ચક્ષુદર્શનનો ઉદીરણા યોગ્ય દ્વિસ્થાનક રસ છે, તથા જેને એક પણ અક્ષર સર્વ પર્યાય પૂર્વક પરિજ્ઞાત છે તેવા શ્રુતકેવલીને મતિ-શ્રુત અને અવધિદર્શન એ ત્રણનો એક સ્થાનક રસ ઉદીરણામાં પ્રાપ્ત થાય છે.
ટીકાર્ય :- રેઢી - સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાને આશ્રયીને બે સ્થાનક છે, અને અનુત્કૃષ્ટને આશ્રયીને તો બે સ્થાનક અથવા એક સ્થાનક રસ જાણવો. એ પ્રમાણે અચક્ષુદર્શનાવરણ અને ચક્ષુદર્શનાવરણમાં પણ જાણવું. સ્ત્રીવેદનો બંધને આશ્રયી તો ૪-૩ અને ૨ સ્થાનક રસ હોય છે. પુરુષવેદ, અચક્ષુદર્શનાવરણ અને ચક્ષુદર્શનાવરણનો બંધને આશ્રયી ૧-૨-૩ અને ૪ સ્થાનક ભેદથી ચારે પ્રકારે પણ હોય છે.
અહીં પ્રશ્ન થાય છે કે “સારું નવવધૂ ' રિ એ પ્રમાણે પૂર્વોક્ત ૪૪મી ગાથામાં કહ્યું છે, તો અહીં શા માટે ફરી અચક્ષુદર્શનાવરણનું ગ્રહણ કર્યું છે ? તો જવાબ કહે છે. - સદશ = સમાન પ્રકૃતિ અધિકાર હોવાથી અહીં સંપાતથી
૫૯ અહીં ચાર આનુપૂર્વ પ્રકૃતિ પ્રથમ ગણેલ છે. તેથી દ્વિક શબ્દથી આનુપૂર્વી ન લેતાં મનુષ્યગનિ - મનુષ્ઠાયુષ્ય અને તિર્યંચગતિ - તિર્યંચાયુષ્ય ગ્રહણ
કરવું. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org