SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ પલ્યોપમના અસંખ્યયભાગ હીન ગ્રહણ કરવું, તેનો સ્ત્રીત્વનો નિર્દેશ પ્રાકૃત નિયમથી કરેલ છે. પવનસ્ય - બાદર વાયુકાય જીવને વૈક્રિયના અન્ય સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. અહીં તાત્પર્ય એ છે કે – પલ્યોપમના અસંખ્ય ભાગહીન ૨૭ સાગરોપમની જઘન્ય સ્થિતિસત્તાવાળો બાદર વાયુકાયનો જીવ ઘણીવાર વૈક્રિય વિદુર્વણા કરીને અન્ય વૈક્રિય વિદુર્વણા કરે ત્યાં અન્ય સમયે વર્તતો વૈક્રિયછક્કની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અને તે પછી અન્ય સમયે વૈક્રિય છક્કની. સ્થિતિસત્તા એકેન્દ્રિય સંબંધી જઘન્ય સ્થિતિસત્તા અપેક્ષાએ અલ્પતર હોય છે તેથી ઉદીરણા યોગ્ય ન થાય, પરંતુ ઉદૂવલના યોગ્ય થાય છે. चउरुवसमेत्तु पेज्जं, पच्छा मिच्छं खवेत्तु तेत्तीसा । उक्कोससंजमद्धा, अंते सुतणूउवंगाणं ।। ४१ ।। चतुरुपशमय्य प्रेम (मोहम्), पश्चान्मिथ्यात्वं क्षपयित्वा त्रयस्त्रिंशत्स्थितिकः । उत्कृष्टसंयमाद्यान्ते, सुतनूपाङ्गानाम् ।। ४१ ।। ગાથાર્થ :- મોહનીયનો ચાર વાર ઉપશમ કરી, ત્યારબાદ મિથ્યાત્વનો ક્ષય કરી ૩૩ સાગરોપમ દેવ થઈને મનુષ્યને વિષે ઉત્પન્ન થઈ ત્યાં ઉત્કૃષ્ટ - દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ સંયમ પાલીને અંતે આહારકદ્ધિકની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે. ટીકાર્ય :- ઘણીવાર સંસારમાં પરિભ્રમણ કરવાથી ૪ વાર ૧૫ ““પપ્ન'' ત્તિ મોહનીયનો ઉપશમ કરીને તદનંતર મિથ્યાત્વને અને ઉપલક્ષણથી સમ્યક્ત્વ અને મિશ્રને પણ ખપાવીને “તેરસ” ત્તિ ૩૩ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળો સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. પછી દેવભવથી ચવીને મનુષ્યને વિષે ઉત્પન્ન થાયત્યાં આઠ વર્ષ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું અનુપાલન કરે, દેશોન પૂર્વક્રોડના અત્તે આહારકશરીરને કરીને સુતનો - આહારકશરીરની તથા આહારક અંગોપાંગ, બહુવચન હોવાથી આહારકબંધન ચતુષ્ક અને આહારક સંઘાતનનું ગ્રહણ કરતાં આહારકસપ્તકની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અહીં મોહનીયનો ઉપશમ કરતાં બાકીની નામ પ્રકૃતિઓનો ઉસ્થિતિઘાત આદિથી ઘણી સ્થિતિસત્તાનો ઘાત કરે છે. અને દેવભવમાં અપવર્તનાકરણથી અપવર્તે છે, તેથી આહારકસપ્તકના બંધકાલે અતિ અલ્પ સ્થિતિસત્તા જ સંક્રમે છે, તેથી ચાર વાર મોહનીયનો ઉપશમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવભવનું ગ્રહણ કર્યું છે. અને દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધીના ચારિત્રકાલથી આહારકસપ્તકની ઘણી સ્થિતિસત્તા ક્ષય પામે છે તેથી દેશોન પૂર્વક્રોડ વર્ષનું અહીં ગ્રહણ કર્યું છે. छउमत्थखीणरागे, चउदस समयाहिगालिगठिईए । सेसाणुदीरणते, भिन्नमुहुत्तो ठिईकालो ।। ४२ ।। छद्मस्थक्षीणरागस्य, चतुर्दशानां समयाधिकावलिकास्थितौ । शेषाणामुदीरणान्ते, भिन्नमुहूर्तः स्थितिकालः ।। ४२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- છબસ્થ ક્ષીણરાછા એટલે ક્ષીણમોહ ગુણસ્થાનકવર્તી છદ્મસ્થજીવને જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫ એ ૧૪ પ્રકૃતિઓની સમયાધિક આવલિકા બાકી રહે છતે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે, અને બાકીની મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંઘયણ, ઓદારિકસપ્તક, સંસ્થાન-૬, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, અશુભવિહાયોગતિ, ત્રસાદિ-૪, સુભગાદિ-૪, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, દુઃસ્વર = એ ૩૨ પ્રકૃતિઓની અને પૂર્વ કહેલી નામ ધ્રુવોદીરણાની ૩૩ પ્રકૃતિઓ એમ સર્વ સંખ્યા ૬૫ પ્રકૃતિઓની સયોગી કેવલીના અન્ય સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે ૫૫ ચાર વાર મોહનીયનો સર્વોપશમ કરવાનું કારણ તે સ્થિતિમાં આહારકસપ્તકમાં સંક્રમનાર પ્રકૃતિઓનો સ્થિતિઘાત થાય છે, એટલે આહારકના સંક્રમ યોગ્ય સ્થાનમાં અલ્પ સ્થિતિનો સંક્રમ થાય છે. વળી તે વખતે અત્યંત વિશુદ્ધ પરિણામને યોગે તેની બંધ યોગ્ય ભૂમિમાં અલ્પ સ્થિતિ બંધાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેટલો કાળ પ્રદેશોદયે સ્થિતિ ઓછી કરે છે અને નવી બાંધતો નથી. એટલે ચાર વાર મોહનો ઉપશમ અને ત્યારબાદ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી સર્વાર્થસિદ્ધમાં ઉત્પત્તિ કહી છે. મનુષ્યભવમાં દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ ચારિત્રના પાલનનું કારણ ઉપર કહ્યું જ છે. પ૬ સ્થિતિઘાતથી અપવર્તના સર્વથા ભિન્ન નથી, કારણ કે સ્થિતિઘાત એ વ્યાઘાતાપવર્નના વિશેષ છે, અને અપવર્નના એ નિર્વાઘાતાપર્વના રૂપ છે. ૫૭ સ્થિતિઘાતથી અપવર્તના સર્વથા ભિન્ન નથી, કારણ કે સ્થિતિઘાત એ વ્યાઘાતા પવના વિશેષ છે, અને અપવર્નના એ નિર્બાધાતાપર્વના રૂ૫ છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy