________________
કર્મપ્રકૃતિ ભાગ -૨
તથા તે જ અસંજ્ઞિ પંચેન્દ્રિય પોતાના ભવ ક્ષયથી દેવભવ અથવા નારકભવની અપાન્તરાલ ગતિમાં વર્તતો દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીની યથાયોગ્ય ત્રીજા સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. ““નરા'' રિ મનુષ્યાનુપુની સર્વ અલ્પ સત્તાવાળો એકેન્દ્રિય જીવ પોતાના ભવથી નીકળીને મનુષ્યભવમાં ઉત્પન્ન થતા જીવને અન્તરાલગતિમાં ત્રીજા સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે.
समयाहिगालिगाए, पढमठिईए उ सेसवेलाए । मिच्छत्ते वेएसु य, संजलणासु वि य सम्मत्ते ।। ३९ ।। समयाधिकावलिकायां, प्रथमास्थितेस्तु शेषवेलायाम् ।
मिथ्यात्वे वेदेषु च, संज्वलनेष्वपि च सम्यक्त्वे ।। ३९ ।। ગાથાર્થ :- પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિ રહે ત્યારે મિથ્યાત્વ, વેદત્રિક, સંવલન કષાયો અને સભ્યત્વની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે,
ટીકાર્થ :- અત્તરકરણ કરે છતે નીચેની સ્થિતિને પ્રથમ સ્થિતિ કહેવાય છે, અને ઉપરની સ્થિતિને બીજી સ્થિતિ કહેવાય છે. ત્યાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ બાકી રહે મિથ્યાત્વ, વેદ-૩, સંજ્વલન-૪ અને સમ્યકત્વની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. ફક્ત (મિથ્યાત્વની સમ્યકત્વ અભિમુખ પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે,) સમ્યકત્વ અને સંજ્વલન લોભની ક્ષય અને ઉપશમ થતાં જઘન્ય સ્થિતિ ઉદીરણા કહેવી, બાકીની પ્રકૃતિઓની ક્ષકશ્રેણિમાં જ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. અને પંચસંગ્રહ ગાથા-૩૬માં કહ્યું છે કે ““વસને વિ સુ''- સમ્યક્ત્વ અને લોભની ઉપશમ થતાં અને તે શબ્દથી ક્ષય પણ અર્થ થાય છે.
पल्लासंखियभागृणुदही एगिदियागए मिस्से ।। बेसत्तभागवेउबियाइ, पवणस्स तस्संते ।। ४० ।। . पल्यासडख्येयभागोनोदधौ एकेन्द्रियागते मिश्रे ।
द्विसप्तभागवैक्रियस्य, पवनस्य तस्याऽन्ते ।। ४० ।। ગાથાર્થ :- પલ્યોપમના અસંખ્યાતમા ભાગ હીન ૧ સાગરોપમની સત્તાવાળા એકેન્દ્રિય ભવમાંથી આવેલા જીવને મિશ્રની જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ હીન ૨૭ સાગરોપમની સત્તાવાળા બાદર વાયુકાય જીવને અન્ય સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.
ટીકાર્થ :- પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન જે એક સાગરોપમ તેટલાં માત્ર મિશ્રની સત્તાવાળો એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવથી નીકળીને સંજ્ઞિ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય તેને જે સમયથી શરૂ કરીને અંતર્મુહૂર્ત પછી મિશ્રની ઉદીરણા દૂર થવાની છે તે સમયે મિશ્ર પામેલ જીવને અન્ય સમયે મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. (અર્થાત્ મિશ્ર ગુણસ્થાનકના અન્ય સમયે) એકેન્દ્રિય સંબંધી જધન્ય સ્થિતિસત્તાથી હીન સ્થિતિવાળું મિશ્રમોહનીય ઉદીરણા યોગ્ય હોતું નથી, કારણ કે તેથી હીન સ્થિતિવાળું થયે છતે અવશ્ય મિથ્યાત્વમોહનીયના ઉદયનો સંભવ હોવાથી મિશ્રમોહનીયની ઉદૂવલનાનો સંભવ છે.
તથા જે પ્રમાણના ૭ ભાગો વડે ૧ સાગરોપમ સંપૂર્ણ થાય છે, તેટલા પ્રમાણના (સાતીયા) બે ભાગ જે વૈક્રિયની = વૈક્રિયશરીર, વૈક્રિયસંઘાતન, વૈક્રિયબંધન ચતુષ્ક એ વૈક્રિયષર્કની તે દિસપ્ત ભાગવાળું વૈક્રિય, તે પણ પૂર્વની રીતથી
૫૩
૫૪
અહીં સમ્યકૃત્વમોહનીય અને સંજ્વલન લોભની બંને શ્રેણિમાં અને શેપ પ્રકૃતિઓની માત્ર ક્ષપકશ્રેણિમાં જ જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે, પરંતુ બંને શ્રેણિમાં કહી નથી, કેમ ન કહી તેનું કારણ સમજાતું નથી. કેમકે બંને શ્રેણિમાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા ઉપરની સમય પ્રમાણ સ્થિતિ એ ઓછામાં ઓછી સ્થિતિ છે, અને તેની ઉદીરણો જઘન્ય ઉદીરણા કહેવાય છે તત્ત્વ બહુશ્રુત જાણે. અહીં મિથ્યાત્વમોહનીયની તો પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા સ્થિતિ શપ રહે ત્યારે જધન્ય સ્થિતિ ઉદીરણા સંભવે છે, કેમ કે શ્રેણિમાં તો સર્વથા ઉપશમ કરતાં કે ક્ષય કરતાં તેનો રસોદય હોતો નથી. એ કેન્દ્રિયો ઓછામાં ઓછી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાગરોપમના ત્રણ ભાગ, બે ભાગ, સાગરોપમાદિ સ્થિતિ તો બાંધે છે. તેથી બંધાતી પ્રકતિઓની સ્થિતિસત્તા તેનાથી તો ઓછી હોઈ શકે નહીં, નહિ બંધાતી વૈક્રિય પટકાદિ પ્રકૃતિની તેનાથી પણ જ્યારે સ્થિતિ અંછી થાય ત્યારે તેની ઉદૂવલનાનો સંભવ હોવાથી તે ઉદય યોગ્ય રહેતું નથી. એટલે જ મિશ્રમોહનીય માટે એમ કહ્યું છે કે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાગરોપમથી પણ જ્યારે તેની સ્થિતિસત્તા ઓછી થાય ત્યારે તેની ઉદ્દલના થાય છે એટલે મિશ્રમોહનીયની પલ્યોપમના અસંખ્યાત” ભાર્ગ ન્યૂન સાગરોપમ પ્રમાણ સ્થિતિ જધન્ય ઉદીરણા યોગ્ય કહી છે, તેનાથી ન્યૂન નહીં, કેમ કે તેનાથી હીન સ્થિતિ ઉદય યોગ્ય રહેતી જ નથી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org