SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૫૩ સ્વસ્થાનમાં તુલ્ય છે. તેથી પણ બંને બાજુના પંચસામયિક અસંખ્યયગુણ સ્વસ્થાનમાં તુલ્ય છે. તેથી પણ બંને બાજુના ચાર સામયિક સ્થાનો અસંખ્ય ગુણ સ્વસ્થાનમાં તુલ્ય છે. તેથી પણ ત્રણસામયિક અસંખ્ય ગુણ, તેથી દ્વિસામયિક અસંખ્ય ગુણ હોય છે. (ચિત્ર નંબર - ૩-૪ જુઓ) ઇતિ ૯મી સમય પ્રરૂપણા સમાપ્ત - અથ ૧૦મી જીવસ્થાનોનું અલ્પબદુત્વ પ્રરૂપણા - ) सबथोवो जोगो, साहारणसुहुमपढमसमयम्मि । बायरबियतियचउरमणसनपज्जत्तगजहण्णो ॥ १४ ॥ सर्वस्तोको योगो, साधारणसूक्ष्मप्रथमसमये । વવિદ્વિત્રિવત મનઃસંચપર્યાતગવચઃ || ૧૪ | ગાથાર્થ :- સમ સાધારણ વનસ્પતિકાયના જીવને પ્રથમ સમયે સર્વથી જઘન્ય (અલ્પ) યોગ હોય, અને બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંક્ષિપંચેન્દ્રિય અને સંશિપંચેન્દ્રિય એ સાત અપર્યાપ્ત જીવનો અનુક્રમે અસંખ્ય ગુણ યોગ હોય છે. ટીકાર્થ :- ચતુરાદિ સમયોના યોગસ્થાનોનું અલ્પબદુત્વ કહ્યું. હવે - (૧૦) જીવસ્થાનોનું જઘન્ય - ઉત્કૃષ્ટ યોગ - વિષય અલ્પબહુવં કહે છે. અહીં અસંખ્યયગુણ પદનો આગળની ગાથાથી સંબંધ છે. સાધારણ સૂક્ષ્મના લબ્ધિ અપર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ સર્વથી અલ્પ છે. તેથી બાદર એકેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્ય ગુણ છે. તેથી બેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી તે ઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી ચઉરિદ્રિય લબ્ધિ અપર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી અસંક્ષિપંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે, તેથી સંક્ષિપંચેન્દ્રિય લબ્ધિ પર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્ય ગુણ છે. आइदुगुक्कोसो सिं, पज्जत्तजहन्नगेयरे य कमा । उक्कोसजहनियरो, असमत्तियरे असंखयगुणो ॥ १५ ॥ आदिद्विकोत्कृष्टोऽनयोः, पर्याप्तजघन्येतरो च क्रमात् । ઉનવજેતરો - સનાતેતરોસંઘેયાઃ || ૧૧ / ગાથાર્થ :- તેથી પ્રથમના બે જીવભેદનો (સુક્ષ્મસાધારણ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય) ઉત્કૃષ્ટ યોગ તથા એજ બે પર્યાપ્તાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગ તથા શેષ (બેઇન્દ્રિય આદિ પાંચ) અપર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ યોગ તથા તે જ પર્યાપ્તા જીવોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યગુણો છે. ટીકાર્થ:- તેથી આદિ દ્વિક એટલે અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય રૂ૫ તેનો ઉત્કૃષ્ટ યોગ ક્રમથી અસંખ્ય ગુણ કહેવો. તે આ પ્રમાણે લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્રિયના જઘન્ય યોગથી સૂક્ષ્મ નિગોદના લબ્ધિ - અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગણ છે. તેથી બાદર એકેન્દ્રિયના લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી “સિં” તિ આ બંનેનો સુક્ષ્મ-બાદર એકેન્દ્રિયના પર્યાપ્ત જઘન્ય યોગથી ઇતર = ઉત્કૃષ્ટ યોગ ક્રમથી અસંખ્યયગુણ કહેવો. તે આ પ્રમાણે કહે છે - લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી બાદર એકેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી પણ બોદર એકેન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી અસમાપ્ત =અપર્યાપ્તા બેઇન્દ્રિય આદિ પરિશેષથી મળે છે. તેનો = અપર્યાપ્તો ઉત્કૃષ્ટ યોગથી ઈતર = પર્યાપ્ત બેઇન્દ્રિય આદિમાં જઘન્ય અને ઇતર = ઉત્કૃષ્ટ એ રીતથી અસંખ્યયગુણ કહેવો. તે આ પ્રમાણે કહે છે. - બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી બેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી તે ઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ છે. તેથી ચઉરિન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી અસંશિપંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ છે. તેથી પણ સંક્ષિપંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી બેઇન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી તે ઇન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી ચઉરિન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy