SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ““રો' રિ - ત્યાર પછી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાથી પર દ્વિતીયાદિ વર્ગણા પૂર્વના જેટલી હોય છે. તે પૂર્વ સ્પર્ધકની જેમ કહેવું. તે આ પ્રમાણે પ્રથમ વર્ગણાથી પર એક વીયવિભાગથી અધિક જીવપ્રદેશોનો સમુદાય તે બીજી વર્ગણા, બે (વર્યાવિભાગ) અધિક તે ત્રીજી વર્ગણા, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે, જ્યાં સુધી શ્રેણિનો અસંખ્યયભાગગત પ્રદેશરાશિ પ્રમાણ વર્ગણા થાય, અને તેઓનો સમુદાય તે બીજું સ્પર્ધક. ફરી પણ એક-બે ત્રણ આદિ સંખ્યય કે અસંખ્યય વિર્યાવિભાગો વડે અધિક જીવપ્રદેશો મળતા નથી. પણ અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણથી અધિક પ્રાપ્ત થાય છે. તેઓનો સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. ત્યારપછી એક એક વીર્યાવિભાગ વૃદ્ધિ બીજી આદિ વર્ગણા, શ્રેણિનો અસંખ્ય ભાગગત પ્રદેશની રાશિપ્રમાણ કહેવી. તેઓનો સમુદાય તે ત્રીજું સ્પર્ધક એ પ્રમાણે અસંખ્યય સ્પર્ધકો કહેવાં. ઇતિ ૩જી- ૪થી સ્પર્ધક અંતર પ્રરૂપણા સમાપ્ત - અથ પમી સ્થાન પ્રરૂપણા - ) सेढिअसंखियमित्ताइं, फड्डगाइं जहन्नयं ठाणं । फडगपरिवुष्टि अओ, अंगुलभागो असंखतमो ॥ ९ ॥ श्रेण्यसंख्येयमात्राणि, सर्वकानि जघन्यकं स्थानम् । सर्धकपरिवृद्धिरतो, गुलभागो ऽसङ्ख्येयतमः ॥ ९ ॥ ગાથાર્થ - શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્પર્ધકોનો સમુદાય તે જઘન્ય યોગસ્થાન છે અને આગળના (દ્વિતીયાદિ) સર્વ યોગસ્થાનોમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્પર્ધકો અધિક હોય છે. - ટીકાર્થ :- આ પ્રમાણે અત્તર પ્રરૂપણા કરી, હવે (૫) સ્થાન પ્રરૂપણા - કરે છે. શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશરાશિ પ્રમાણ પૂર્વ કહેલ સ્પર્ધકો તે જઘન્ય યોગસ્થાન હોય છે, અને આ યોગસ્થાન ભવના (નિગોદના) પ્રથમ સમયે વર્તતાં અને સર્વ અલ્પ વીર્યવાળા એવા સૂક્ષ્મનિગોદ જીવને હોય છે. તેથી અધિક વીર્યવાળા અન્ય જીવના (સૂક્ષ્મ નિગોદના) જે સર્વ અલ્પતર વીર્યવાળા જીવપ્રદેશોનો સમુદાય તે (બીજા યોગસ્થાનના પ્રથમ સ્પર્ધકની) પ્રથમ વર્ગણા. પછી એક-એક વીર્યાવિભાગ અધિક વૃદ્ધિથી શ્રેણિના અસંખ્ય ભાગગત પ્રદેશરાશિ પ્રમાણ વર્ગણા થાય ત્યાં સુધી કહેવું. તેઓનો સમુદાય તે પ્રથમ સ્પર્ધક. પછી પહેલા બતાવેલ રીત પ્રમાણે બે આદિ સ્પર્ધકો કહેવાં, જયાં સુધી શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશરાશિ પ્રમાણ થાય. તેઓનો સમુદાય તે બીજું યોગસ્થાન. પછી તેથી અધિક (પૂર્વ યોગસ્થાનગત વીર્ય અપેક્ષાએ અધિક અને ઉર્ધ્વ યોગસ્થાનગત વીર્યાપેક્ષાએ હીન) વીર્યવાળા અન્ય જીવને પહેલા બતાવેલ રીતે ત્રીજું યોગસ્થાન કહેવું. એ પ્રમાણે અન્ય જીવોની અપેક્ષાએ ત્યાં સુધી યોગસ્થાન કહેવાં કે જ્યાં સુધી સર્વથી ઉત્કૃષ્ટ (અંતિમ) યોગસ્થાન આવે, આ સર્વ (યોગસ્થાનો) શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશ રાશિપ્રમાણ હોય છે. ૩૮ કોઇપણ એક સમયે એક યોગસ્થાન હોય છે. એ વખતે તે તે આત્મપ્રદેશો પર જે સમવિષમ વિર્યાણુઓ પેદા થાય છે એના કારણે વર્ગણાઓ અને સદ્ધકો રચાય છે. આવા શ્રેણિના અસંમા ભાગ પ્રમાણ રૂદ્ધ કોની રચના થવામાં બધા આત્મપ્રદેશો રોકાઇ જાય છે. અને એક યોગસ્થાન બને છે. આત્મપ્રદેશોની સંખ્યા અને દરેક સ્પર્ધકમાં રહેલ વર્ગણાઓની સંખ્યા એક-એક સ્થિર ૨કમ છે. તેથી ઉત્તરોત્તર યોગસ્થાનકોમાં રૂદ્ધકોમાં વધવાથી એક એક સ્પર્ધકમાં અને એક એક વર્ગણામાં આત્મપ્રદેશોની સંખ્યા ઓછી ઓછી થતી જાય છે. અસત્કલ્પનાથી યોગસ્થાનની સમજણ, ધારો કે સૂક્ષ્મનિગોદ જીવના જઘયોગસ્થાનમાં સર્વાલ્પ વિર્યાણુઓવાળા આત્મપ્રદેશોમાં એક એક લાખ વિર્યાણું છે. (અસં.લોક), આવા આત્મપ્રદેશો ધારો કે ૧૦૦ (અસં પ્રતર) છે. આ ૧૦૦ આત્મપ્રદેશોની પ્રથમ વર્ગના થઇ. ત્યારબાદ ૧,૦૦,૦૦૧ વિર્યાણુઓવાળા ૯૯ આત્મપ્રદેશો છે. આ બીજી વર્ગણા થઇ. ત્યારબાદ ૧,૦૦,૦૦૨ વિર્યાણુઓવાળા ૯૮ આત્મપ્રદેશો છે. આ ત્રીજી વર્ગણા થઈ. ત્યારબાદ ૧,૦૦,૦૦૩ વિર્યાણુઓવાળા ૯૭ આત્મપ્રદેશો છે, આ ચોથી વર્ગણા થઇ. આ ચાર એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ કહેવાય, એનો સમૂહએ પ્રથમ સ્પર્ધક. ત્યારબાદ ૧,૦,૦૦૪ વીર્યાસુઓ કોઇ આત્મપ્રદેશમાં હોતા નથી, એમ ૧,૦,૦૫, ૧,00,0૬.. યાવત્ ૧,૯૯,૯૯૯ વર્યાણુઓ કોઇ આત્મપ્રદેશ પર હોતા નથી. આ અંતર કહેવાય છે. તેથી અંતર ૨ લાખ - ૧,૦,૦૦૩-૧ =૯,૯૯૬ (અંસ.લોક), એ પછી ૨ લાખ વીર્યાસુઓવાળા ૯૬ આત્મપ્રદેશો છે. આ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગના થઇ. ત્યારબાદ ૨,૦૦,૦૦૧ વીર્યાસુઓવાળા ૯૫, ૨,૦૦,૦૦૦ વિર્યાણુઓવાળા ૯૪ અને ૨,૦૦,૦૦૩ વિર્યાણુઓવાળા ૯૩ આત્મપ્રદેશો છે. આ ૪ વર્ગન્નાઓનો સમૂહ એ બીજું સ્પર્ધક થયું. ત્યારબાદ ૯૯,૯૯૬ નું અંતર છે. પછી ત્રીજું સ્પર્ધક શરૂ થાય છે. એની પ્રથમ વર્ગનાના પ્રત્યેક આત્મપ્રદેશમાં ૩ લાખ વિર્યાણુઓ હોય છે. આવા ૯૨ આત્મપ્રદેશો છે. એમ ૩,૦૦,૦૦૧ વાળા ૯૧, ૩,૦૦,૦૦ર વાળા ૯૦, ૩,૦૦,૭૩ વાળા ૮૯ આત્મપ્રદેશો છે. ત્યારબાદ પાછું ૯૯,૯૯૬નું અંતર છે. પછી ચોથું સ્પર્ધક શરૂ થાય છે. એમાં પ્રથમ વર્ગલામાં ૪,૦૦,૦૦૦ વીર્યાસુઓવાળા ૮૮ આત્મપ્રદેશો, ૪,૦,૦૦૧ વીર્યાસુઓવાળા ૮૭ આત્મપ્રદેશો, ૪,૦૦,૦૦૦ વાળા ૮૬ આત્મપ્રદેશો અને ૪,૦૦,૦૦૩ વાળા ૮૫ આત્મપ્રદેશો છે. આ ૪ સ્પર્ધકોનું ધારી લ્યો કે પ્રથમ યોગસ્થાન છે. તેથી Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy