SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ કર્મપ્રકૃતિ જવાબ :- અહીં પ્રથમ સ્થિતિથી શરૂ કરીને સમયવૃદ્ધિ વડે અસંય સ્થિતિ વિશેષ હોય છે. અને એક એક સ્થિતિમાં અસંખ્યય રસસ્પર્ધકના સમૂહ વિશેષ હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા દરેક સ્થિતિ વિશેષે અસંખ્યય જે રસસ્પર્ધક સંઘાત વિશેષો છે તે તેટલા બે સ્થાનકરસને જ ઘટે છે. પણ એક સ્થાનકરસને ઘટતો નથી. એટલે શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પણ એક સ્થાનકરસ બંધ નથી. કહ્યુ છે કે - ““વોટિવસાહિં ટાગો હોરી સમયમાં તે ન ન સિલળિયાનો મામા' '' ઉત્કૃષ્ટ સ્થિતિ અધ્યવસાયમાં શુભ ઠાણિયો રસ હોતો નથી. સ્થિતિ કરતાં અસંખ્યયગુણ અનુભાગ હોય છે. અહીં સર્વઘાતિની કે દેશઘાતિની પ્રકૃતિઓનો ચાર - ત્રણ સ્થાનક રસના સ્પર્ધકો હોય તો નિયમા સર્વઘાતિ હોય છે. (એટલે કે દેશઘાતિ પ્રકૃતિ ૩ -૪ સ્થાનક જે રસ હોય તો તે દેશઘાતિ પ્રકૃતિ પણ સર્વઘાતિ થાય છે.) બે સ્થાનકરસ તો સર્વઘાતિનો સર્વઘાતિ જ હોય છે. દેશધાતિનો કેટલોક દેશઘાતિ, કેટલોક સર્વઘાતિ એ પ્રમાણે મિશ્ર હોય અને એક સ્થાનકરસ દેશઘાતિનો જ હોય છે અને તે દેશઘાતિ જ છે. અહીં દેશઘાતિ અવધિજ્ઞાનાવરણ વિગેરેના સર્વાતિ રસસ્પર્ધકોમાં વિશુદ્ધ અધ્યવસાયથી દેશઘાતિ રૂપે પરિણમાવી નિહત કરેલાં અતિ સ્નિગ્ધ અલ્પ રસવાળા દેશઘાતિ રસસ્પર્ધકમાં ઉદયાવલિકામાં પ્રવેશ કરેલ તેમાંના કેટલાક રસસ્પર્ધક ભાગનો ક્ષય કરે અને બાકી રહેલાંનો વિપાક ઉદયને અટકાવવારૂપ ઉપશમ કરે છે. તે જીવને અવધિ - મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અવધિદર્શન આદિ ગુણો ક્ષાયોપથમિક ભાવે ઉત્પન્ન થાય છે. ત્યારે અવધિજ્ઞાનાવરણાદિના કેટલાક દેશઘાતિ રસસ્પર્ધકના ક્ષયોપશમથી અને કેટલાક દેશઘાતિ રસસ્પર્ધકોના ઉદયથી ક્ષયોપશમયુક્ત ઔદાયિક ભાવ ફક્ત હોય છે. મતિ-શ્રતાવરણ, અચદર્શનાવરણ, અંતરાય = ૮ પ્રકૃતિનો હંમેશા દેશઘાતિના જ રસસ્પર્ધકોનો ઉદય હોય છે. સર્વઘાતિનો નહીં. તેથી હંમેશા તે પ્રકૃતિઓનો ઔદાયિક +લાયોપથમિક બન્ને ભાવ મિશ્રપણે પ્રાપ્ત થાય છે. પણ ફક્ત ઔદાયિક ભાવ પ્રાપ્ત થતો નથી. તેથી આ પ્રમાણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના ઉદયમાં પણ લાયોપથમિકભાવ અવિરુદ્ધ છે અર્થાત્ સંભવે છે. મોહનીયનો તો અનંતાનુબંધિ આદિ પ્રકૃતિઓનો પ્રદેશના ઉદયે ક્ષાયોપથમિકભાવ સંભવે છે પણ વિપાકોદયમાં નહીં, કારણકે અનંતાનુબંધિ આદિ પ્રવૃતિઓ સર્વઘાતિ છે. અને સર્વઘાતિના રસસ્પર્ધકો સર્વઘાતિ જ છે, તે (પ્રકૃતિઓનો) વિપાકોદયમાં ક્ષયોપશમભાવનો સંભવ નથી. પણ પ્રદેશના ઉદયમાં સંભવ છે. અહીં પ્રશ્ન થાય છે કે સર્વઘાતિના રસસ્પર્ધક પ્રદેશો પણ સર્વઘાતિગુણોનો ઘાત કરવાના સ્વભાવવાળા છે. તેથી તેના પ્રદેશોદયે પણ કેવી રીતે ક્ષાયોપશમિક ભાવ સંભવે ? એ પ્રમાણે કહેવું ન જોઇએ. જવાબ :- તે સર્વઘાતિ રસસ્પર્ધક પ્રદેશોના અધ્યવસાય વિશેષથી જ સ્ટેજ મંદાનુભાવ કરેલ સામાન્ય વેદાતી દેશઘાતિ રસસ્પર્ધકની અંદર પ્રવેશ કરેલના યથાસ્થિત પોતાના બળને પ્રગટ કરવામાં અસમર્થ થાય છે. મિથ્યાત્વ અને પહેલાના બાર કષાય સિવાયની બાકી મોહનીયકર્મની પ્રકૃતિઓના પ્રદેશોદયમાં કે વિપાકોદયમાં ક્ષયોપશમ ભાવનો સંભવ છે, તે પ્રકૃતિઓ દેશઘાતિ છે. પરંતુ તે પ્રકૃતિઓ અધૂવોદયી છે. તેથી તેના વિપાકોદયના અભાવમાં ક્ષાયોપથમિકભાવ અટકાવે છતે પ્રદેશોદયવાળી પણ તે પ્રકૃતિઓ સહેજ પણ દેશાતિ નથી. વિપાકોદય વર્તતે છતે ક્ષાયોપથમિક ભાવ સંભવે ત્યારે સહેજ માલિન્ય માત્ર કરવા વાલી છે. માટે દેશઘાતિની થાય છે. અર્થાત્ વિપાકોદય ન હોય, ક્ષયોપશમ ભાવ અટકાવેલ હોય ત્યારે પ્રદેશોદયવાળી તે પ્રકૃતિઓ સહેજપણ દેશઘાતિ નથી. ૩૦ દેશઘાતિની સર્વ કર્મપ્રકૃતિઓ બંધાતી વખતે સર્વઘાતિ રસથી જ બંધાય છે. અને ઉદયમાં મતિ-શ્રુત જ્ઞાનાવરણ અચકુદર્શનાવરણ અને અંતરાય. એટલી પ્રકૃતિઓનો હંમેશા દેશઘાતિનો જ રસ હોય છે. અને બાકીની પ્રવૃતિઓનો સર્વઘાતિ રસ પણ ઉદયમાં હોય છે, દેશધાતિ પણ હોય છે. જ્યારે જ્યારે સર્વઘાતિ રસ ઉદયમાં હોય ત્યારે ત્યારે તે રસ સ્વઆવર્ય = (ઢાંકનાર) ગુણને સર્વથા દબાવતો હોવાથી ચક્ષુદર્શન, અવધિજ્ઞાનાદિ ગુણો ખુલ્લા હોતા નથી, દેશઘાતિ રસસ્પર્ધકનો ઉદય હોય ત્યારે જ ગુણો ઉઘાડા થાય છે. તેથી જ્યારે સર્વઘાતિ રસસ્પર્ધકનો ઉદય હોય ત્યારે કેવળ દાયિક ભાવ જ પ્રવર્તે છે. તથા સર્વઘાતિ રસસ્પર્ધકોને અધ્યવસાય વડે દેશઘાતિ રૂપે કરી અને તેને પણ હીન શક્તિવાળા કરે અને તેનો અનુભવ કરે અર્થાતુ ઉદયમાં આવે ત્યારે દાયિક અને ક્ષયોપશમ એ બંને ભાવો પ્રવર્તે છે. માટે ઉદયાનુવિદ્ધ યોપશમભાવ પ્રવર્તે છે. એમ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy