SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ગતિ-૪, જાતિ-૫, વિહાયોગતિદ્ધિક, ત્રસત્રિક, સ્થાવરત્રિક, સુસ્વર, દુઃસ્વર, સુભગ દુર્ભગ, આદેય અનોદય, યશઃકીર્તિ, અયશઃકીર્તિ, તીર્થંકરનામ, ઉચ્છ્વાસ, નીચગોત્ર, ઉચ્ચગોત્ર, =૭૬ બંધ યોગ્ય ઉદ્દેશીને પંચસંગ્રહમાં કહીં છે. બીજે તો ઉદય યોગ્ય સ્વીકારીને સમ્યક્ત્વ અને મિશ્રના ગ્રહણથી ૭૮ પ્રકૃતિઓ છે. આ પ્રકૃતિઓ જીવમાં જ પોતાનો વિપાક બતાવે છે. બીજે નહીં તે આ પ્રમાણે જ્ઞાનાવરણ-૫, જીવના જ્ઞાનગુણને હણે છે. દર્શનાવ૨ણ-૯ દર્શનગુણને, મિથ્યાત્વમોહનીય સમ્યક્ત્વગુણને, ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ-ચારિત્રગુણને, દાનાંતરાયાદિ દાન આદિ લબ્ધિનેં (હણે છે ) સાતા અસાતાવેદનીય (જીવને) સુખ દુ:ખ ઉત્પન્ન કરે છે. ગતિ ૪ તે ગતિ આદિના પર્યાયને ઉત્પન્ન કરે છે. ૩૧ અહીં પ્રશ્ન એ થાય છે કે ભવવિપાકાદિ સર્વ પ્રકૃતિઓ પણ પરમાર્થથી વિચારતાં જીવવિપાકી જ છે. કારણ કે ચારે આયુ પોત-પોતાને યોગ્ય ભવમાં તે તે ભવધારણ કરવારૂપ વિપાક દેખાડે છે અને તે તે ભર્વમાં ધારણ જીવનું જ થાય છે, અન્ય કોઇનું નહીં. આનુપૂર્વીઓ પણ વિગ્રહગતિરૂપ ક્ષેત્રમાં વિપાક બતાવતી આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને ગમન કરવારૂપ સ્વભાવ જીવોને જ કરે છે. ઉદયપ્રાપ્ત આતપનામ અને સંસ્થાન નામકર્માદિ પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ પણ તે તે પ્રકારની શક્તિ જીવમાં જ ઉત્પન્ન કરે છે, કે જે વડે જીવ તેવા જ પ્રકારના પુદ્ગલો ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરાયેલાં પુદ્ગલોની તે તે પ્રકારની રચના કરે છે. માટે સર્વ જીવવિપાકી જ છે. (તો પછી અન્ય અન્ય વિપાકી શા માટે કહીં ? ) જવાબ :- તમારી વાત બરાબર છે. સર્વ પ્રકૃતિઓ જીવવિપાકી જ છે. જીવ વિના વિપાક ફળનો અનુભવ હોતો નથી. પણ ફક્ત ભવાદિ પ્રાધાન્ય બતાવવા માટે ભવિપાકીથી ભિન્નરૂપમાં જીવવિપાકી કહેવાય છે. વિપાકને આશ્રયીને આનો બીજી રીતે અનુયોગ છે. તે આ પ્રમાણે કહે છે - વિપાકને આશ્રયીને બે પ્રકારે પ્રકૃતિઓ છે. (૧) હેતુવિપાકા (૨) ૨સવિપાકા ત્યાં હેતુ અધિકારીને વિપાક બતાવે, તે હેતુવિપાકી તે પુદ્ગલ, ક્ષેત્ર, ભવ, જીવ, હેતુભેદથી ચાર પ્રકારે પહેલાં જ કહી છે. રસને મુખ્ય કરીને વિપાક બતાવાય છે જેઓમાં તે રસવિપાક :- તે ચાર પ્રકારે - એકસ્થાનક૨સ, દ્વિસ્થાનકરસ, ત્રિસ્થાનકરસ, ચતુઃસ્થાનકરસ - ત્યાં શુભપ્રકૃતિઓનો ૨સ તે દૂધ-ખાંડ જેવો છે અને અશુભપ્રકૃતિઓનો રસ લીમડા અને કડવા પટોળની ઉપમા જેવો તે સ્વાભાવિક એક સ્થાનક૨સ કહેવાય છે. બે ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે દ્વિસ્થાનકરસ, અને ત્રણ ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે ત્રિસ્થાનકરસ, અને ચાર ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે ચતુઃસ્થાનકરસ કહેવાય છે. એક સ્થાનકરસથી બે સ્થાનક આદિ રસ યથાક્રમે અનંતગુણ રસ છે. અહીં મતિ - શ્રુત - અવિધ - મન:પર્યાયજ્ઞાનાવરણ, ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શનાવરણ, પુરુષવેદ, સંજ્વલન-૪, અંતરાય-૫ =૧૭ પ્રકૃતિઓનો એક-બે-ત્રણ-ચાર સ્થાનક બંધને આશ્રયીને પ્રાપ્ત થાય છે. ત્યાં જ્યાં સુધી શ્રેણીનો સ્વીકાર ન કરે ત્યાં સુધી ત્યાં ૧૭ પ્રકૃતિઓનો જેવા પ્રકારનો અધ્યવસાયને ૨-૩-૪ સ્થાનક ૨સ બંધ કરે છે. શ્રેણીના સ્વીકારમાં તો અનિવૃત્તિબાદર અહ્વાના સંખ્યાતા ભાગ ગયે છતે પછી તુરત આ પ્રકૃતિઓ અશુભપણાથી અત્યંત વિશુદ્ધ અધ્યવસાય યોગી એકસ્થાનક જ રસ બંધ હોય છે. એ પ્રમાણે બંધને આશ્રયીને ચાર સ્થાનક પ્રાપ્ત થાય છે. બાકીની તો શુભ કે અશુભપ્રકૃતિઓનો ૨-૩-૪ સ્થાનક ૨સ પ્રાપ્ત થાય છે. કયારેક પણ એક સ્થાનક રસ હોતો નથી જે કારણથી કહેલી ૧૭ પ્રકૃતિઓ સિવાય હાસ્ય વિગેરે અશુભપ્રકૃતિઓનો એક સ્થાનક૨સ બંધ યોગ્ય શુદ્ધિ અપૂર્વકરણ, પ્રમત્ત, અપ્રમત્તને હોતી નથી, જ્યારે એક સ્થાનક૨સ બંધ યોગ્ય અતિ ઉત્કૃષ્ટ શુદ્ધિ અનિવૃત્તિબાદરઅદ્ધાના સંખ્યેયભાગ પછી ઉત્પન્ન થાય છે. ત્યારે તે પ્રકૃતિઓનો બંધ જ થતો નથી. તેથી તે પ્રકૃતિઓનો એક સ્થાનક૨સ બંધ નથી. અહીં પ્રશ્ન થાય છે કે જેમ શ્રેણીમાં ચઢે ત્યારે અનિવૃત્તિબાદરઅદ્ધાના સંખ્યેયભાગ ગયે છતે પછી અતિ વિશુદ્ધપણું' હોવાથી મતિજ્ઞાનાવરણ વિગેરેનો એક સ્થાનકરસ, તેમ ક્ષપકશ્રેણિએ ચઢે ત્યારે સૂક્ષ્મસં૫રાયના દ્વિચરમાદિ (છેલ્લા બે) સમયમાં વર્તમાન જીવને અત્યંત વિશુદ્ધપણાથી કેવલદ્ધિકની સંભાવના બંધનો એક સ્થાનક૨સબંધ સંભવ કેમ થતો નથી ? એ પ્રમાણે શંકા છે તે બરાબર નથી. જવાબ :- કેવલદ્વિકનો રસ સર્વઘાતિ હોવાથી સર્વઘાતિનો ૨સ જઘન્યપદે પણ બે સ્થાનકરસનો જ સંભવ હોવાથી શુભપ્રકૃતિઓનો મિથ્યાદષ્ટિ સંશ્લિષ્ટ એક સ્થાનક૨સ બાંધે નહીં, સ્હેજ વિશુદ્ધિવાળાને જ તે પ્રકૃતિઓના બંધનો સંભવ હોવાથી અતિ સંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ જીવને વિષે નરકગતિ પ્રાયોગ્ય વૈક્રિય - તેજસ આદિ શુભ પ્રકૃતિઓ બંધમાં આવે છે. તે પ્રકૃતિઓનો પણ તથા સ્વભાવથી જઘન્યથી પણ બે સ્થાનક જ, ૨સબંધમાં આવે છે. એક સ્થાનક નહીં. અહીં પ્રશ્ન એ થાય છે કે દરેક ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્લેશના ઉત્કર્ષ વડે થાય છે. તેથી જે અધ્યવસાયો વડે શુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે જ (અધ્યવસાયો વડે) એક સ્થાનક રસ પણ કેમ ન થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy