SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ (- અથ ૧૩ મું પગલવિપાકી દ્વાર:-) જે પ્રકૃતિઓ પુદ્ગલના વિષયમાં ફલ આપવાને સન્મુખ હોય તે પુદ્ગલવિપાકી, (એટલે કે જે પ્રકૃતિઓના ફલને આત્મા પુદ્ગલ દ્વારા અનુભવે, ઔદારિકાદિ નામકર્મના ઉદયથી ગ્રહણ કરેલા પુદ્ગલોમાં જે કર્મપ્રકૃતિઓ પોતાની શક્તિ બતાવે તે પુદગલવિપાકી કહેવાય છે.) તે ૩૬ છે. તે આ પ્રમાણે – આતપ, ઉદ્યોત, સંઘયણ-૬, સંસ્થાન-૬, ધ્રુવોદય-૧૨ નામકર્મની પ્રકૃતિઓ, પહેલા ત્રણ શરીર, અંગોપાંગ-૩, ઉપઘાત, પરાઘાત, પ્રત્યક, સાધારણ આ પ્રવૃતિઓ પોતાનો વિપાક પુદ્ગલને વિષે બતાવે છે. તે આ પ્રમાણે સ્પષ્ટ લક્ષણપણું છે તેથી પુદ્ગલવિપાકી છે. ' અહીં પ્રશ્ન થાય છે કે રતિ અરતિનો ઉદય પણ પુદ્ગલને પામીને થાય છે. તે આ પ્રમાણે કાંટા આદીના સ્પર્શથી અરતિ વિપાકનો ઉદય થાય, અને માળા ચંદન આદિના સ્પર્શથી રતિનો ઉદય છે. તો તે પણ પુદગલવિપ જવાબ :- એ પ્રમાણે નથી, કાંટાદિના સ્પર્શ વગર પણ પ્રિય કે અપ્રિયના દર્શન કે સ્મરણ વડે રતિ અરતિના વિપાકનો ઉદય દેખાતો હોવાથી, પુદ્ગલનો વ્યભિચાર છે. (અર્થાત્ પુદ્ગલ વગર પણ રતિ-અરતિનો વિપાક દેખાતો હોવાથી) તેથી પુદ્ગલવિપાકીપણું અસિદ્ધ છે. એ પ્રમાણે ક્રોધ આદિના પ્રશ્ર અને સમાધાનમાં વિચારવું. ઇતિ ૧૩ મું પુગલવિપાકી દ્વાર સમાપ્ત ( - અથ ૧૪ મું ભવવિપાકી વાર:-) જે કર્મપ્રકૃતિઓ નારકાદિ રૂ૫ પોતપોતાને યોગ્ય ભવમાં ફલનો અનુભવ કરાવતી હોય તે કર્મપ્રકૃતિઓ ભવવિપાકી છે, કારણ કે આયુ0 ના બે ભાગ આદિ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ બંધાવા છતાં પણ જયાં સુધી પૂર્વભવનો ક્ષય થવા વડે ઉત્તર (પછીનો) સ્વયોગ્ય ભવ પ્રાપ્ત થયો હોતો નથી. ત્યાં સુધી તે ઉદયમાં આવતું નથી માટે તે ભવવિપાકી કહેવાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આયુષ્યની જેમ ગતિ પણ સ્વયોગ્ય ભવ પ્રાપ્તિમાં જ ઉદયમાં આવે છે. તો તે પણ ભવવિપાકીનો વ્યવહાર કેમ ન કર્યો ? જવાબ :- તમારી વાત બરાબર છે, આયુષ્યનો પરભવમાં સંક્રમણ વડે પણ ઉદય નથી. સર્વથા સ્વભવના વ્યભિચારનો અભાવ હોવાથી, અર્થાતુ પોતાના ભવ સિવાય ઉદયમાં ન આવતી હોવાથી આયુષ્ય ભવવિપાકી કહેલ છે. ગતિનો વળી પરભવમાં પણ સંક્રમણથી ઉદય થાય છે. તેથી તે સ્વ ભવનો વ્યભિચાર હોવાથી ભવવિપાકી નથી. ઇતિ ૧૪ મું ભવવિપાકી દ્વારા સમાપ્ત -: અથ ૧૫ મું ક્ષેત્રવિપાકી દ્વાર :ક્ષેત્રમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં સંક્રમણ કારણ આકાશમાર્ગમાં જે વિપાક ફલ આપવાને યોગ્ય હોય તે ક્ષેત્રવિપાકિની કહેવાય છે. તે નારકાનુપૂર્વી આદિ-૪ આનુપૂર્વી જે પૂર્વની ગતિમાં થઇ નીકળીને ગત્યન્તરમાં સંક્રમણ થતા વચ્ચે ઉદયમાં આવે છે, બાકીના કાલમાં નહીં, જો કે સ્વ યોગ્ય ક્ષેત્ર વગર બીજે પણ આનો સંક્રમણ દ્વારા ઉદયનો સંભવ છે, તો પણ જેમ આનો ક્ષેત્ર હેતુક પોતાના વિપાકનો ઉદય ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે બીજી પ્રકૃતિઓનો નહીં તેથી બીજી પ્રવૃતિઓને સ્પર્યા વિના અસાધારણ ક્ષેત્રના હેતુક આ પ્રવૃતિઓનો ક્ષેત્રવિપાકિની વ્યવહાર છે. ઇતિ ૧૫ મું ક્ષેત્રવિપાકી દ્વારા સમાપ્ત (-: અથ ૧૬ મું જીવ વિપાકી દ્વાર:-) જીવના જ્ઞાનાદિ રૂ૫ સ્વરૂપને ઉપઘાતાદિ કરવારૂપ વિપાક જેઓનો હોય તે જીવવિપાકી. અર્થાતુ જે પ્રવૃતિઓ પોતાના ફળનો અનુભવ જીવના જ્ઞાનાદિ ગુણને ઉપઘાતાદિ કરવા સાક્ષાતુ જીવને જ કરાવતી હોય ( પછી શરીર હોય કે ન હોય, તેમજ ભવ કે ક્ષેત્ર ગમે તે હોય ) તે જીવવિપાકી કહેવાય છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણ-૫ દર્શનાવરણ-૯, સાતા-અસાતાવેદનીય ૨, (સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય વર્જીને ) ૨૬ મોહનીયની પ્રકૃતિઓ , અંતરાય-૫, ૨૯ આનુપૂર્વીઓ સ્વયોગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર સંક્રમવડે ઉદય હોય છે. છતાં પણ જેવી રીતે તે પ્રકૃતિઓનો આકાશ પ્રદેશરૂપ ક્ષેત્ર નિમિત્તે રસોદય થાય છે, તેમ અન્ય કોઈ પણ પ્રકતિઓનો થતો નથી. તેથી આનુપૂર્વીઓના રસોઇયમાં આકાશપ્રદેશરૂપ ક્ષેત્ર અસાધારણ હેતુ છે. એ જણાવવા માટે તેઓને ક્ષેત્રવિપાકી કહીં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy