SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૩૩ એટલે કે સર્વઘાતિ છે. અને વિપાકોદય હોય અને ક્ષાયોપશમિક ભાવ હોય ત્યારે સહેજ માલિન્ય કરતી હોવાથી દેશઘાતિ છે. બહુ કહેવાથી સર્યું. ઇતિ ૧૬મું જીવવિપાકી દ્વારા સમાપ્ત - અથ ૧૭મું સ્વાનુદયબંધી દ્વાર:-) પોતાનો અનુદય હોય (અર્થાતુ પોતાનો ઉદય ન હોય) ત્યારે જે પ્રકૃતિઓનો બંધ થાય તે સ્વાનુદયબંધી અને તે દેવાયુ, નરકાયુ, દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, આહારકદ્ધિક, જિનનામ એ ૧૧ પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે દેવદ્વિકનો દેવગતિના ઉદયમાં, નરકત્રિકનો નરકગતિના ઉદયમાં, વૈક્રિયદ્ધિક બન્ને ગતિના ઉદયમાં - દેવ કે નારકો આ પ્રવૃતિઓ બાંધે નહીં. તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી. તીર્થંકર નામ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં ઉદયયોગ્ય થાય ત્યારે તેનો બંધ હોતો નથી. કારણકે અપૂર્વકરણ ગુ0 સુધી જ બંધ થાય. ત્યારપછી તેનો બંધ વિચ્છેદ થવાથી આહારકટ્રિક તે આહારક કરવાના સમયે લબ્ધિ ફોરવવારૂપ પ્રમાદથી તેના ઉત્તર કાલે – આહારક શરીર થયા બાદ મંદ સંયમ સ્થાનવર્તી છે તેથી આહારકદ્ધિક ઉદયમાં તેનો બંધ નથી. એ પ્રમાણે તે સર્વ પણ સ્વાનુદયબંધી છે. ઇતિ ૧૭મું સ્વાનુદયબંધ દ્વાર સમાપ્ત. - અથ ૧૮મું સ્વોદયબંધી દ્વાર :-) પોતાનો જ ઉદય હોય ત્યારે જે પ્રકૃતિઓનો બંધ થાય તે સ્વોદયબંધી. તે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫, મિથ્યાત્વ, નિર્માણ, તેજસ, કામણ, સ્થિર, અસ્થિર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, શુભ, અશુભ લક્ષણવાળી ૨૭ પ્રકૃતિઓનો હંમેશા ઉદય હોવાથી ધવોદયી છે. | ઇતિ ૧૮મું સ્વોદયબંધી દ્વાર સમાપ્ત. -: અથ ૧૯મું સ્વોદયાનુદયબંધી = ઉભયબંધી દ્વાર:-) જે પ્રકૃતિઓ ઉદયે અથવા અનુદયે બંધ થાય તે ઉભયબંધી, તે નિદ્રાપંચક-૫, જાતિ-૫, સંસ્થાન-૬, સંઘયણ-૬, કષાય-૧૬, નોકષાય-૯, પરાઘાત, ઉપઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, અસતાવેદનીય, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, નીચગોત્ર, મનુષ્યત્રિક, તિર્યંચત્રિક, ઔદારિકદ્ધિક, શુભ - અશુભવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, સુસ્વર, સુભગ, આદેય, યશકીર્તિ, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અયશ-કીર્તિ. આ ૮૨ પ્રકૃતિઓ તિર્યંચ કે મનુષ્યને યથાયોગ્ય ઉદયમાં કે અનુદયમાં બંધનો સંભવ છે. ઇતિ ૧ભું ઉભયબંધી દ્વારા સમાપ્ત. (-: અથ ૨૭મું સમકવ્યવચ્છિદ્યમાન બંધોદયી દ્વાર:-) - જે પ્રકતિઓનો સાથે એક કાલે બંધ- ઉદયનો વિચ્છેદ થાય તે સમકવ્યવચ્છિદ્યમાન બંધોદયી. તે સંજ્વલન લોભ વિના ૧૫ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, હાસ્ય, રતિ, મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મત્રિક, આતપ, પુરુષવેદ એ ૨૬ પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વનો - મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે, અનંતાનુબંધિનો. સાસ્વાદન ગુણસ્થાનકે, મનુષ્યાનુપૂર્વી બીજા કષાયનો (અપ્રત્યાખ્યાનાવરણ) - અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનકે, પ્રત્યાખ્યાનાવરણનો દેશવિરતિ ગુણસ્થાનકે, હાસ્ય રતિ, ભય, જુગુપ્સાનો અપૂર્વકરણગુ0માં, સંજ્વલનત્રિક, અને પુરૂષવેદ - અનિવૃત્તિ બાદરગુ0માં બંધ-ઉદય સાથે જ વિચ્છેદ થાય તેથી આ પ્રવૃતિઓ સમકવ્યવચ્છિદ્યમાન બંધોદયી. (- અથ ૨૧મું ક્રમવ્યવચ્છિદ્યમાન બંધોદયી દ્વાર:-) જે પ્રકૃતિઓનો ક્રમથી પૂર્વ બંધ પછી ઉદય એ પ્રમાણે જે બંધ ઉદયમાં વિચ્છેદ થાય તે ક્રમવ્યવચ્છિદ્યમાન બંધોદયી તે પૂર્વે કહેલી અને જે આગળ કહેવાશે તે સિવાયની ૮૬ પ્રકૃતિઓ છે. તે નીચે યંત્ર દ્વારા જ ટીકાનો અર્થ છે. ૩૧ અહીં મનુષ્ય તિર્યંચોને ઉદય હોય કે ન હોય ત્યારે બંધાય છે. એમ કહેવાનું કારણ ઉક્ત પ્રવૃતિઓમાંથી લગભગ સઘળી પ્રવૃતિઓ તેઓ બાંધે છે તે છે. દેવ નારકીઓ પણ ઉક્ત પ્રકૃતિઓમાંથી તેને જેનો ઉદય સંભવી શકે છે. તેનો ઉદય હોય ન હોય છતાં ઉક્ત પ્રકૃતિઓમાંથી સ્વયોગ્ય પ્રવૃતિઓ બાંધે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy