SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ( - અથ ત્રીજું ધ્રુવોદયી દ્વાર:-) ઉદયકાલના વિચ્છેદ પહેલાં જે નિરંતર ઉદય થાય તે ધ્રુવોદયી તે નિર્માણ - સ્થિર - અસ્થિર - તેજસ-કાશ્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ-શુભ-અશુભરૂ૫ નામકર્મની ૧૨ પ્રકૃતિ, જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, મિથ્યાત્વ એ ૧૫ ઘાતિ પ્રકૃતિઓ સર્વસંખ્યા-૨૭. ત્યાં મિથ્યાત્વને મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક સુધી ધ્રુવોદયી, ઘાતિ પ્રકૃતિઓ ક્ષીણમોહના ચરમ સમય સુધી, નામકર્મ-૧૨નો સયોગી કેવલી ચરમ સમય સુધી. (યંત્ર નં. ૨ જુઓ). ઇતિ ત્રીજું ધ્રુવોદય દ્વાર સમાપ્ત. - અથ ચતુર્થ અધૂવોદયી દ્વાર :-) વ્યવચ્છિન્ન (વિચ્છેદ) અટકી ગયેલ ઉદયવાળી છતાં પણ જે પ્રકૃતિ હેતુ (કારણ)ની પ્રાપ્તિ થવાથી ફરીથી પણ ઉદયમાં આવે છે તે અધૂવોદયી, તે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ રહિત અધુવબંધિની = ૬૯ અને મિથ્યાત્વ વિના મોહનીયની ધ્રુવબંધિની-૧૮, નિદ્રાદિક-૫, ઉપઘાત, મિશ્ર, સમ્યકત્વ =૯૫ પ્રશ્ન :- ખરેખર એ પ્રમાણે છે તો મિથ્યાત્વ પણ કેમ અધૂવોદયી નથી ? સમ્યકત્વ લાભમાં તેનો વિચ્છેદ થાય - છતાં ઉદયનો મિથ્યાત્વમાં જવાથી ફરી સંભવ છે. જવાબ :- જે પ્રકૃતિઓનો ગુણ નિમિત્તકથી ઉદયવિચ્છેદ જે ગુણસ્થાનકે નથી, દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષાએ તે જ ગુણસ્થાનકોને વિષે ક્યારેક હોય ક્યારેક ન હોય તે અધૂવોદયી - જેમ ક્ષીણમોહ સુધી અવિચ્છેદ ઉદય હોવા છતાં પણ નિદ્રાનો ક્યારેક જ ઉદય હોય. મિથ્યાત્વનો સ્વ-ઉદય વિચ્છેદ સુધી સતત ઉદયમાં જ આવે છે તેથી અધૂવોદયી નથી - પણ ધ્રુવોદયી છે. પ્રશ્ન :- અહીં પ્રશ્ન થાય છે કે એ પ્રમાણે મિશ્રપણું મિશ્ર ગુણસ્થાનકે સતત ઉદય આવે તે ધ્રુવોદય થાય ? જવાબ :- એવું નથી. ગુણ પ્રત્યય ઉદયવિચ્છેદની પહેલા ઉદયનો ભાવ (હોય), અથવા અભાવ (ન હોય) એટલે કે મિશ્રના ઉદયનો વિચ્છેદ ૩જા ગુણસ્થાનકના અંતે હોય છે. તે પહેલાના પ્રથમ, બીજા ગુણસ્થાનકે અભાવ હોય છે. અને ત્રીજા ગુણસ્થાનકે ભાવ હોય છે. તેથી તેનું અધુવોદયપણે કહેલું છે. જો એક ગુણસ્થાનક અવચ્છેદથી એક ગુણસ્થાનને આશ્રયીને ઉદયના ભાવ - અભાવ પ્રતિયોગિત્ત્વ અર્થાતુ એકજ ગુણસ્થાનકમાં ભાવાભાવ = અભાવ અને અભાવાભાવ =ભાવ એટલે ભાવ અને અભાવ બન્ને હોય તો અધૂવોદયત્વ કહેવાય. અને કહીએ તો ત્રીજે ગુણસ્થાનકે મિશ્રનો ભાવ જ છે. અભાવ નથી. તેથી ભાવ અને અભાવ બન્ને ન હોવાથી અધ્રુવોદયત્વ રહેશે નહીં પણ મિશ્રનું ધ્રુવોદયત્વ રૂ૫ દોષ થશે. ઇતિ ૪થું અધ્રુવોદયી દ્વારા સમાપ્ત ( ધ્રુવોદયી ૨૭ પ્રકૃતિઓમાં કાલભાંગાનું યંત્ર નંબર-૨ પ્રકૃતિઓ અનાદિ અનંત કયા જીવને ? અનાદિ સાંત કયા જીવને ? સાદિ અનંત કયા જીવને ? કયા જીવને ? ઉદયનું સાતપણું ક્યાં ? ઉદયની આદિ ક્યાં ?' | 0 | સાદિ સાંત અભવ્ય ૧ | ભવ્ય ૦ | ૧૨માના અને જ્ઞાનાપ વિનpપ દર્શના૦ - ૪, (એ ૧૪) | મિથ્યાત્વ ૦ ૧ ભવ્ય ૧લાના અન્ને ૨-૩-૪-૫-૬થી પડી આવતાં ૦ | 0 | 0 |૧૩માના અત્તે શેષ ૧૨ ધ્રુવોદયમાં | ૧ ” | ૦ o Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy