SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - અથ ધ્રુવબંધિ આદિ ૩૧ ધારોનું સ્વરૂપ :-) હવે આઠ કર્મનું (૧) ધ્રુવબંધિપણું, (૨) અધૃવબંધિપણું, (૩) ધ્રુવોદયપણું, (૪) અધુવોદયપણું, (૫) ધ્રુવસત્તાપણું, (૬) અધ્રુવસત્તાપણું, (૭) સર્વઘાતિપણું, (૭) A દેશઘાતિપણું =ઘાતિપણું, (૮) અધાતિપણું (૯) પરાવર્તમાનપણું, (૧૦) અપરાવર્તમાનપણું, (૧૧) અશુભપણું, (૧૨) શુભપણું, (અહીં સુધી ૬ X ૨ = ૧૨ ધારો સપ્રતિપક્ષ છે.) (૧૩) પુદ્ગલવિપાકિપણું, (૧૪) ભવવિપાકિપણું, (૧૫) ક્ષેત્રવિપાકિપણું, (૧૬) જીવવિપાકિપણું, (૧૭) સ્વાદયબંધી, (૧૮) સ્વ ઉદયબંધી, (૧૯) ઉભયબંધી, (૨૦) સમકવ્યચ્છિઘમાનબંધોદય, (૨૧) ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદય, (૨૨) ઉત્ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદય, (૨૩) સાંતરબંધ, (૨૪) સાંતરનિરંતરબંધ, (૨૫) નિરંતરબંધ, (૨૬) ઉદયસંક્રમ ઉત્કૃષ્ટ, (૨૭) અનુદયસંક્રમ ઉત્કૃષ્ટ, (૨૮) ઉદયબંધ ઉત્કૃષ્ટ, (૨૯) અનુદયબંધ ઉત્કૃષ્ટ, (૩૦) ઉદયવતી (૧૧) અનુદયવતી. એ ૩૧ દ્વારોનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. (- અથ પ્રથમ ધ્રુવબંધિ દ્વાર :-) ત્યાં પોતાના હેતુ (કારણ) સંભવે જેઓનો અવશ્યભાવી બંધ થાય તે ધ્રુવબંધિની (બંધવિચ્છેદ કાળપર્યત દરેક સમયે દરેક જીવોને જેઓનો બંધ હોય તે ધ્રુવબંધિની) તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૯, ૧૬ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, એ પ્રમાણે ૩૮ ઘાતિ પ્રકૃતિઓ અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તૈજસ, વર્ણાદિ-૪, કાર્મણ, તે નામકર્મની ૯ પ્રકૃતિઓ સર્વ સંખ્યા ૪૭ ‘‘આનો અબંધકાલ વ્યવચ્છેદથી ધ્રુવબંધિ. ત્યાં મિથ્યાત્વ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક સુધી નિરંતર બાંધે પછી તો ઉદયના અભાવથી તેનો બંધ ન થાય તે મિથ્યાત્વે જ્યાં સુધી વેદાય ત્યાં સુધી બંધાય, ““ને વેરૂ સે વ ત્તિ વવનાત્'' અનંતાનુબંધિ-૪, થીણદ્વિત્રિક, એટલે કે નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ કુલ = ૭ પ્રકૃતિઓનો સાસ્વાદન ગુણસ્થાનક સુધી બંધ થાય, પછી અનંતાનુબંધિ અનુદયે તેના બંધનો અભાવ છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણ-૪ તે સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક સુધી. પ્રત્યાખ્યાનાવરણ-૪ દેશવિરતિ ગુણસ્થાનક સુધી, નિદ્રા - પ્રચલા = ૨નો અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી, પછી તે બંધયોગ્ય અધ્યવસાયના અભાવથી ન બાંધે એ પ્રમાણે ૯ નામકર્મની ધ્રુવબંધિની અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધી, અને ભય જુગુપ્સા ચરમ સમય ૮૭ સુધી, સંજ્વલન ક્રોધ (૯૨), માન (૯૩), માયા (૯૪), લોભ (૯૫), અનિવૃત્તિનાદર સુધી પછી બાદર કપાયના ઉદયનો અભાવ હોવાથી તેનો બંધ સંભવતો નથી. જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ = ૧૪ પ્રકૃતિઓ સૂક્ષ્મસં૫રાય સુધી પછી કષાયના ઉદયનો અભાવ હોવાથી તેનો બંધ અયોગ્ય છે. (યંત્ર નંબર-૧ જુઓ). ઇતિ પ્રથમ ધ્રુવબંધિ દ્વાર સમાપ્ત (- અથ રજું અધુવબંધિ દ્વાર :-) પોતાના બંધનો હેતુ (કારણ) હોવા છતાં પણ ભજનાથી બાંધે તે અધવબંધિની તે ઔદારિક, વૈક્રિય, આહારક, વિહાયોગતિ, ગોત્ર, વેદનીય, યુગલદ્ધિક =હાસ્ય-રતિ, શોક-અરતિ = ૮ X ૨ = ૧૬, વેદત્રિક, આયુષ્ય ગતિ આનુપૂર્વ ૪ X ૩ = ૧૨, જાતિ-૫, સંસ્થાન-૬, સંઘયણ-૬, ત્રસાદિ-૨૦, ઉચ્છવાસ, તીર્થકર, આતપ, ઉદ્યોત, પરાઘાત એ ૭૩ પ્રકૃતિઓ આ સ્વબંધ હેતુ સામ્રાજ્યમાં પણ અવશ્ય બંધમાં આવતી નથી. પરાઘાત ઉચ્છવાસ અવિરતિ આદિ સ્વહેતુ હોવા છતાં અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધકાલે બંધ અભાવથી, પર્યાપ્ત પ્રાયોગ્ય બંધ કાલે જ બંધ કરે. આપ પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ બંધમાં જ બાંધે તે ઉદ્યોતનો પણ તિર્યંચગતિ પ્રાયોગ્ય પ્રકૃતિ બંધમાં જ બાંધે. જિનનામ સમ્યકત્વમાં અને આહારદ્ધિક સંયમમાં બંધનું કારણ હોવા છતાં ક્યારેક જ બાંધે, બાકીની ઔદારિકદ્ધિકાદિ સપ્રતિપક્ષપણું હોવાથી ગમે તે એક જ બાંધે. જો કે યત્કિંચિત્ = કંઇક પણ બંધનો હેતુ રહે છતે જે ન બંધાય તે પ્રકૃતિ અધૂવબંધિ એમ કહીએ તો તેવો બંધનો અભાવ અતિપ્રસક્ત થશે. જેમકે કર્મબંધ હેતુ યોગ હોવા છતાં ૧૩મે ગુણઠાણે કેવલજ્ઞાનાવરણીયનો કર્મબંધ થતો નથી તેથી તેને અધવબંધિ કહેવાની આપત્તિ આવશે. એ દોષ નિવારણ માટે યાવત્ - અર્થાત્ બધાજ બંધના હેતુ રહે છતે જે ન બંધાય તે કર્મપ્રકૃતિ અધ્રુવબંધિ એમ કહીએ તો તેવા પ્રકારનો બંધનો અભાવ માનવામાં અસંભવદોષ આવશે, કારણકે નરકાયુ - દેવાયુ વગેરે વિરુદ્ધ પ્રકૃતિના બંધના હેતુઓ એક જીવમાં એક સાથે સંભવી શકતા નથી. તેથી ૨૨ પંચસંગ્રહ ભાગ-૧ ત્રીજા દ્વારની ગાથા ૧૫માં કહ્યું છે કે નાતરીયર્લસન ઘુવવા સામજીમયછી ગગુરુપુનિના કવથા વણવડન્મ | અર્થ :- ટીકામાં કહેવા પ્રમાણે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy