SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ કર્મપ્રકૃતિ (૬) વેક્રિય-કાશ્મણબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વૈક્રિય પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરાયેલા અને ગ્રહણ કરાતાં કાર્પણ પુદ્ગલો સાથે જે સંબંધ, તે વૈક્રિય-કાર્પણબંધન. (૭) આહારક-આહારકબંધન - ત્યાં પૂર્વે ગ્રહણ કરેલાં આહારક પુદ્ગલોનું ગ્રહણ કરાતાં આહારક પુદ્ગલો સાથે જે સંબંધ, તે આહારક-આહારક બંધન. (૮) આહારક-તેજસબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં તૈજસ પુલો સાથે જે સંબંધ, તે આહારક-તૈજસ બંધન. (૯) આહારક-કાશ્મણબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક યુગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલો સાથે જે સંબંધ, તે આહારક-કાશ્મણબંધન. (૧૦) દારિક-તેજસ-કાશ્મણબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદારિક પગલો તેજસ પુદ્ગલો અને કાશ્મણ પુદ્ગલોનો જે પરસ્પર સંબંધ, તે ઔદારિક-તૈજસ-કામણબંધન. (૧૧) વેક્રિય-તેજસ-કાશ્મણબંધન :- અને (૧૨) આહારક-તેજસ-કાશ્મણબંધન માં પણ ઉપર પ્રમાણે જાણવું. (૧૩) તેજસ-તેજસ-બંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં તૈજસ પુદગલોનો અને ગ્રહણ કરાતાં પોતાના જ તૈજસ પુગલો સાથે જે સંબંધ, તે તૈજસ-તૈજસબંધન. (૧૪) તેજસ-કાર્મબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલો સાથે જે સંબંધ, તે તૈજસ-કાશ્મણબંધન. (૧૫) કાર્મણ-કાશ્મણબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં કામણ પુદ્ગલોનો અને ગ્રહણ કરાતાં પોતાના જ કાર્પણ પગલો સાથે જે સંબંધ તે કાર્મણ-કાર્પણબંધન. અહીં પ્રશ્ન થાય છે કે જેઓ પાંચ બંધનો ઇચ્છે છે (માને છે) પરપુગલોના સંયોગરૂ૫ બંધન હોવા છતાં પણ અવિવક્ષા કરવાથી તેના મતે સંઘાતનો પણ પાંચ થાય છે. જે ૧૫ બંધનો માને છે તેના મતે “વાસંદતર વં તિ '' એટલે કે અસંત (ભેગા નહીં થયેલા) પુદ્ગલોનું બંધન સંભવતું નથી. એવો ન્યાય હોવાથી સંઘાતનો પણ ૧૫ પ્રાપ્ત થાય. તેથી કહેલી સંખ્યાનો વિપ્લવ =વિરોધ થશે ? ઉત્તર :- એ પ્રમાણે નથી. તેઓના મતે સંઘાતનનું કામ બંધનને અનુરૂપ પુદ્ગલોનું એકીકરણ (સમૂહ થવું) માત્ર નથી પરંતું દારિકાદિ શરીરની રચનાને અનુસરી પુદ્ગલોનું એકીકરણ (ભેગું થવું) એ લક્ષણ છે. એ પ્રમાણે દોષ નથી. તે પ્રમાણે સર્વ કર્મની ઉત્તરપ્રવૃતિઓ કહી. इति अष्टकर्मनुं स्वरूप समाप्त । ૨૧ પ્રશ્ન:- જેઓ ૧૫ બંધનને માને છે તેના મતે અસંહત પુદગલોનો બંધ થતો નથી. એવો ન્યાય હોવાથી સંઘાતનો પણ ૧૫ હોવા જોઇએ. કેમ કે જેવા જેવા પ્રકારનો પુલોનો પિંડ થાય તે પ્રમાણે તેનું બંધન થાય. હવે ૧૫ માનવામાં પ્રવાપર વિરોધ કેમ ન આવે ? કેમ કે સંઘાતનો તો કઇ ૧૫ માનતા જ નથી. સઘળા આચાર્યો પાંચ જ માને છે. ઉત્તર :- ઉપર કહેલ દોષ ઘટતો નથી, કારણ કે તેઓએ સંઘાતનનું લક્ષણ જ બીજું કર્યું છે. સંધાતન નામકર્મના લક્ષણનું તેઓ આ પ્રમાણે વર્ણન કરે છે. માત્ર પુદગલોની સંહતિ - સમુહ થવામાં સંઘાતનનામકર્મ હોતું નથી. કારણકે સમુહ તો પ્રકા માત્રથી જ સિદ્ધ છે. તેથી માત્ર સંહતિમાં હેતુભૂત સંઘાતનનામકમ માનવાની આવશ્યકતા નથી. પરંતુ દારિકાદિ શરીરની રચનાને અનુસરી સંઘાત વિશેપ પિંડ વિરપ તે તે પુદ્ગલોની રચના વિરોષ થવામાં સંઘાતનનામકર્મ નિમિત્ત છે અને રચના તો દારિક, વંક્રિય. આહારક, તંજસ અથવા કાર્ય વર્ગણાના ૫ગલોની થાય છે. કારણ કે જગતમાં દારિકાદિ શારીર યોગ્ય પુદગલો છે અને તેના હેતુભૂત આંદારિકાદિનામ કર્યો છે, ઘરિક તૈજસ વાંસા કે આંદારિક કાર્મસ વર્ગણાદિ નથી. તેમજ તેના હેતુભૂત આંદારિક તેજસનામકર્મ આદિકર્મો પણ નથી. જેથી તેવા પ્રકારની વર્ગણા ગ્રહણ કરી રચના થાય. પરંતુ આંઘરિક વર્ગણા છે, અને તેના હેતુભૂત ઘરિકનામકર્મ છે. દારિકનામકર્મના ઉદયથી શરીર યોગ્ય વર્ગણાનું પ્રમાણ અને આંદારિક સંઘાતનનામકર્મના ઉદયથી આંદારિક શરીરને યોગ્ય રચના થાય છે. અને દારિકટિબંધન નામકર્મના ઉદયથી તેનો દારિકાદિ શરીર સાથે સંબંધ થાય છે. એટલે જે શરીરનામકર્મના ઉદયથી જે પુદગર્જા ગ્રહણ કરે તે શરીરને અનુસરીને જ થાય છે. પછી સંબંધ ભલે ગમે તેની સાથે થાય. તેથી સંઘાતનનામકર્મ તો પાંચ જ પ્રકાર છે. અને જુદા જુદા શરીરો સાથે સંબંધ થતો હોવાથી બંધન પંદર પ્રકારે છે. જેઓ પાંચ બંધન અને પાંચ સંઘાતન માને છે. તેઓના મતે તો ઉપર કહેલ શંકાને અવકાશ જ નથી. તે સંઘતાન નામકર્મ પાંચ પ્રકારે છે. આંધરિક સંઘાતન નામ, આદિ ૫. તેમાં ઘરિક શરીરની રચનાને અનુસરી આંદારિક પુદ્ગલોની સંહતિ રચના થવામાં નિમિત્તભૂત જે કર્મ તે દારિક સંઘાતને નામકર્મ એમ શેષ ચાર સંઘાતન કમનો અર્થ જાણી લેવો. આ લક્ષણ ઘટતું હોવાથી કોઇ દોષ પ્રાપ્ત થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy