SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 20 કર્મપ્રકૃતિ (૫) સ્થિર :- જે કર્મના ઉદયથી મસ્તક, હાડકા, દાંત આદિ શરીરના અવયવોમાં સ્થિરતા નક્કરપણું થાય તે ‘સ્થિર નામકર્મ. (૫) અસ્થિરઃ- તેનાથી વિપરીત અસ્થિરનામકર્મ, જે કર્મના ઉદયથી જીભ આદિ શરીરના અવયવો અસ્થિર હોય, તે અસ્થિર નામકર્મ. (૬) શુભ :- જે કર્મના ઉદયથી નાભિથી ઉપરના અવયવો શુભ થાય, તે શુભનામકર્મ. ) અશુભ :- તેનાથી વિપરીત અશુભનામકર્મ, જે કર્મના ઉદયથી નાભી નીચેના શરીરના અવયવો અશુભ થાય તે, “અશુભનામકર્મ. તે આ પ્રમાણે મસ્તક વડે કોઇને સ્પર્શ કરીએ તો તે સંતોષ પામે છે. કેમકે તે શુભ છે. પગથી અડકીએ તો ગુસ્સે થાય છે. કેમકે તે અશુભ છે. કદાચ અહીં એમ કહેવામાં આવે કે સ્ત્રીના પગ વડે સ્પર્શ કરાયેલો પુરૂષ સંતુષ્ટ થાય છે. માટે ઉપરના લક્ષણમાં દોષ આવે છે. તેના ઉત્તરમાં કહે છે કે તે સંતોષ થવામાં તો મોહ કારણ છે. અહીં તો વસ્તુ સ્થિતિનો વિચાર થાય છે. માટે કોઇ દોષ નથી. (૭) સુસ્વર :- જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્ણ પ્રિય થાય, શ્રોતાને પ્રીતિના હેતુભૂત થાય તે સુવરનામકર્મ. (૭) દુઃસ્વર:- તેનાથી વિપરીત દુઃસ્વરનામકર્મ, જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્ણ કટુ થાય, શ્રોતાને અપ્રીતિનું કારણ થાય, તે દુઃસ્વરનામકર્મ. (૮) સુભગ :- જે કર્મના ઉદયથી ઉપકાર નહીં કરવા છતાં પણ સઘળાના મનને પ્રિય થાય તે સુભગનામકર્મ. (૮) દુર્ભગ :- તેનાથી વિપરીત તે દુર્ભગ નામકર્મ, જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ જીવોને અપ્રિય થાય, તે દુર્ભગનામકર્મ. જેમ અભવ્યના જીવને તીર્થંકર પરમાત્મા દ્વેષ અને અપ્રિય થાય છે, ત્યાં તીર્થકરમાં દુર્ભગપણું નિમિત્ત નથી. પણ તે જીવમાં રહેલ મિથ્યાત્વ દોષ છે. (૯) આદેયઃ- જે કર્મના ઉદયથી જે વચન બોલે સર્વ લોકો પ્રમાણ કરે અને દેખ્યા પછી તરત જ અભ્યસ્થાન, ઊભા થવું, સામે જવું આદિ સત્કાર કરે, તે આદેયનામકર્મ. | (૯) અનાદેય - તેનાથી વિપરીત તે અનાદેય નામકર્મ. જે કર્મના ઉદયથી યુક્તિ યુક્ત બોલવા છતાં પણ તેનું વચન લોકો માન્ય કરે નહીં, તેમજ ઉપકાર કરવાં છતાં પણ અભ્યત્થાનાદિ આચરે નહીં, તે અનાદેય નામકર્મ. (૧) યશકીર્તિ - તપ શૌર્ય અને ત્યાગાદિથી ઉપાર્જિત યશ વડે લોકોમાં જે પ્રશંસા થવી. વાહ વાહ બોલવી તે યશ-કીર્તિ. અથવા યશ એટલે સામાન્યથી ખ્યાતિ. અને કીર્તિ એટલે ગુણના વર્ણન રૂપ પ્રશંસા. અથવા “વ વિજાનિ શર્સિ, સનિદૈ થના: સન પૂમવા હર્સિ, પૂE8મ યાઃ '' એક દિશામાં : પૂણ્યથી થયેલી જે પ્રશંસા તે કીર્તિ, અને સર્વ દિશામાં પ્રસરનાર તથા પરાક્રમ કરનાર યશ તે યશકીર્તિ જેના ઉદયથી થાય, તે યશ-કીર્તિનામકર્મ. (૧૦) અયશકીર્તિ :- તેનાથી વિપરીત તે અયશકીર્તિનામકર્મ. જે કર્મના ઉદયથી મધ્યસ્થ મનુષ્યોને પણ અપ્રશંસનીય થાય તે અયશકીર્તિનામકર્મ, એ પ્રમાણે સપ્રતિપક્ષી પ્રત્યેક પ્રવૃતિઓ કહીં. અહીં ત્રસાદિ દશ પ્રકૃતિ ત્રસદશક, સ્થાવરાદિ દશ સ્થાવરદશક એ પ્રમાણે સંજ્ઞા ગ્રહણ કરાય છે. -: ૭મું ગોત્રકર્મ:-) ગોત્રકર્મની બે ઉત્તર પ્રકૃતિ છે. (૧) ઉચ્ચગોત્ર (૨) નીચગોત્ર. ૧૮ દુકર ઉપવાસાદિ તપ કરવા છતાં પણ જેના ઉદયથી અગોપાંગનું સ્થિર૫શું થાય તે સ્થિર નામકર્મ અને જેના ઉદયથી અલ્પ ઉપવાસાદિ કરવાથી સ્વલ્પ શીત કે ઉષ્ણ આદિના સંબંધથી અંગોપાંગ કૃશ થાય તે અસ્થિરનામકર્મ એમ રાજવાર્તિકકાર કહે છે. ૧૯ જે કર્મના ઉદયથી વ્યક્તિ જોનાર અથવા સાંભળનારને રમણીય થાય તે શુભ નામકર્મ અને અરમણીય થાય તે અશુભનામકર્મ તેમ રાજવાર્તિકકાર કહે છે. ૨૦ આદેય:- જેના દર્શન માત્રથી શ્રદ્ધેયપણું થાય એવો શરીરનો ગુણ પ્રભાવ જે કર્મના ઉદયથી થાય તે આદેયનામકર્મ એમ તત્ત્વાર્થવૃત્તિમાં કહેલ છે, જ્યારે જે કર્મના ઉદયથી પ્રતિભાયુક્ત શરીર મળે તે આદેયનામકર્મ અને પ્રતિભા રહિત શરીર મળે તે અનાદેયનામકર્મ એમ રાજવાર્તિકકાર કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy