SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૯ (૩) અપર્યાપ્ત :- જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં અસમર્થ થાય તે અર્થાતું અધૂરી પર્યાપ્તિ એજ મરણ થાય, તે અપર્યાપ્તનામકર્મ. (૪) પ્રત્યેક - જે કર્મના ઉદયથી એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેકનામકર્મ. અહીં પ્રશ્ન થાય છે કે, આગમમાં જો કોઠ, પીપળો, પીલું વિગેરે વૃક્ષોમાં મૂળ, સ્કંધ, છાલ, શાખા વિગેરે દરેક અસંખ્યય જીવો કહ્યા છે. પરંતું દેવદત્તના શરીરના જુદા જુદા અવયવો પણ અખંડ એક શરીર રૂપે દેખાય છે તેમ મૂળ અંધ વગેરે પણ અવયવો જુદા જુદા હોવા છતાં અખંડ એક શરીર કોઠ-પીપળા આદિ રૂપે દેખાય છે. તો તેઓનું પ્રત્યેક શરીરત્વ કેમ કહેવાય ? કારણ કે દરેક જીવોનું પોતાનું શરીર હોય તો જ પ્રત્યેક શરીરત્વ કહેવાય. અહીં તો દરેક જીવમાં શરીર ભેદ તો છે જ નહીં ? જવાબ :- એવી વાત નથી, કોઠના મુળ આદિને વિષે અસંખ્યય જીવોના જુદા જુદા શરીર સ્વીકાર્યા છે. તેથી પ્રતિ જીવમાં શરીરભેદ છે જ અહીં વળી પ્રશ્ન થશે કે જો તે મૂળ આદિ દરેકના જુદા જુદા શરીર સ્વીકાર્યા છે તો તે દરેક દેખાતા કેમ નથી ? તેના જવાબમાં કહે છે કે જેમ ચીકાશવાળા દ્રવ્યથી ભેગી થયેલ સરસવની વાટમાં દ્રવ્યો જુદા જુદા હોવા છતાં વાટરૂપે એક જ દેખાય છે તેમ કોઇ એવા પ્રબળ રાગ દ્વેષરૂ૫ હેત વડે બાંધેલા તથા પ્રકારના પ્રત્યેક નામકર્મના પુદગલોના ઉદયથી તે સઘળાં જીવોનું શરીર ભિન્ન ભિન્ન છે. છતાં પરસ્પર વિમિશ્ર એકાકાર શરીરવાળા સંભવે છે. (૪) સાધારણ - જેના ઉદયથી અનંતા જીવોનું એક શરીર થાય તે સાધારણનામકર્મ. ૧૫ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે ““uf{ મૂતા સ્થિ% વહુવીનવૃત અપનાવતરે ગાંવન્ન વીડિવા ના વિ ઉંઘા વિસા વિ સાતા પિતાના પિતા જોવ વિયા'' ઇત્યાદિ એકાસ્થિક = બીજવાળા અને બહુબીજવાળા વૃક્ષની પ્રરૂપણ પ્રસંગે કહ્યું છે કે તે વૃક્ષોના મૂળ અસંખ્ય જીવોવાળા છે. એટલે કે મૂળમાં અસંખ્ય જીવો હોય છે. એ પ્રમાણે કંદ (ભૂળિયા ઉપર જમીનમાં રહેલા ભાગને કદ કહે છે.) અને જમીન બહાર નીકળેલા ભાગને સ્કંધ કહે છે. તે અંધ છાલ મોટી ડાળીઓ અને પ્રવાલ = (નવી કુંપળો) માં પણ અસંખ્ય જીવોવાળા છે. અને પાંદડા એક એક જીવવાલા છે. १६ सपना सूत्रमा छजह सगलसरिसवाणं सिलेस मिस्साण वट्टिया बट्टी । पत्तेय सरीराणं तह हंति सरीर संघाया । जह वा विल पपडिया बहएहि तिलेहि કાસિયા સંતી જય શીરા તe તિ શર-સંવાલા ) અર્થ:- શ્લેષ દ્રવ્યથી મિશ્ર થયેલા ઘણા સરસવોની બનાવેલી વાટ જેમ એકાકાર જણાય છે. તેમ પ્રત્યેક શરીરી જીવોના શરીરનો સંઘાત એકાકાર જણાય છે. અથવા ઘણાં તલમાં તેને મિશ્ર કરનાર ગોળ વિગેરે નાંખી તેની તલપાપડી કરવામાં આવે તે જેમ એકાકાર દરેક તલ તેમાં ભિન્ન હોવા છતાં એક પિંડરૂપ જણાય છે. તેમ વિચિત્ર પ્રત્યેક નામકર્મના ઉદયથી મુળ આદિ દરેકને ભિન્ન ભિન્ન શરીર હોવા છતાં એકાકાર જણાય છે. અહીં બન્ને ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે. જેમ કોઇ સંયોજક દ્રવ્યથી ઘણાં સરસવોની વાળેલી વર્સિ = વાટ અથવા સંયોજક દ્રવ્યથી ઘણાં તલ વડે વિમિશ્ર થયેલી તલ પાપડી થાય છે. તેમ પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત શરીરના પિંડો થાય છે. ૧૭ પ્રબ - અનંત જીવો વચ્ચે એક શરીર કેમ ઉત્પન્ન થાય ? ન થવું જોઇએ ? કારણકે જે જીવ પહેલો ઉત્પન્ન થયો તેણે તે શરીર બનાવ્યું અને તેની સાથે પરસ્પર જોડાવા વડે સંપૂર્ણપણે પોતાનું કર્યું. તેથી તે શરીરમાં પ્રથમ ઉત્પન્ન થયેલ જીવોનો જ અવકાશ હોવો જોઇએ. અન્ય જીવોનો અવકાશ કેમ હોઇ શકે ? દેવદત્તના શરીરમાં દેવદત્તનો જીવ પોતાના સંપૂર્ણ શરીર સાથે સંબંધ ધરાવે છે તેમ બીજા જીવો તેના સંપૂર્ણ શરીર સાથે કંઇ સંબંધ ધરાવતાં ઉત્પન્ન થતાં નથી. વળી કદાચ અન્ય જીવોને ઉત્પન્ન થવાનો અવકાશ હોવા છતાં પણ જે જીવે તે શરીર ઉત્પન્ન કરીને પરસ્પર જોડાવા વડે પોતાનું કર્યું. તે જીવ જ તે શરીરમાં મુખ્ય છે. માટે તેના સંબંધે જ પર્યાપ્ત-અપર્યાપ્ત વ્યવસ્થા પ્રાણાપાનાદિ યોગ્ય પુદગલોનું ગ્રહણ વિગેરે હોવું જોઇએ પરંતુ અન્ય જીવોના સંબંધે તે કંઇ હોવું જોઇએ નહીં. સાધારણમાં તો તેમ નથી કારણકે તેમાં પ્રાણાપાનાદિ વ્યવસ્થા જે એકની તે અનંતાની અને જે અનંતાની તે એકની હોય છે. તો તે કઇ રીતે હોઇ શકે ? જવાબ :- ઉપર જે કહ્યું તે જિનવચનના જ્ઞાનનો અભાવ હોવાથી યોગ્ય નથી. કારણકે સાધારણનામકર્મના ઉદયવાળા અનંતા જીવો તથા પ્રકારના કર્મોદયના સામર્થ્યથી એક સાથે જ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય છે. એક સાથે જ તે શરીરનો આશ્રય લઇ પર્યાપ્તિઓ કરવાનો આરંભ કરે છે. એક સાથે જ પર્યાપ્ત થાય છે. એક સાથે જ પ્રાણાપાનાદિ યોગ્ય પુલોને ગ્રહણ કરે છે. એકનો જે આહાર તે બીજા અનંતાનો, અને અનંતાનો જે આહાર તે વિવક્ષિત એક જીવનો હોય છે. શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અનંતાની અને અનંતાની જે ક્રિયા તે એક જીવની. એ પ્રમાણે સમાન જ હોય છે, તેથી અહીં કોઇ અસંગતિ નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે એક સાથે અનંત જીવો ઉત્પન્ન થાય છે. એક સાથે તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે. એક સાથે શ્વાસોચ્છવાસાદિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે. અને એક સાથે શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા પણ કરે છે. એક જીવનું ગ્રહણ તે અનંતાનું સાધારણ હોય છે. અનંતા જીવોનું જે ગ્રહણ તે એકનું પણ હોય છે. આહાર, શ્વાસોચ્છવાસ, યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ એ વિગેરે શરીરને લગતી સઘળી ક્રિયા સાધારણ એટલે અનંતાઇવની તે એક જીવની, અને એક જીવની તે અનંતા જીવની હોય છે. સાધારણ જીવોનું એ લક્ષણ છે. જો કે શરીરની લગતી સઘળી ક્રિયા સમાન હોય છે. પરંતુ કર્મનો બંધ ઉદય, આયુષ્યનું પ્રમાણ એ કંઇ સઘળા સાથે ઉત્પન્ન થયેલા ને સરખા જ હોય છે. એમ નથી સરખાયે હોય તેમ ઓછાવત્તા પણ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy