SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ (૫) આતપ:- જે કર્મના ઉદયથી જીવોના શરીરો સ્વરૂપે ઉષ્ણ નહીં છતાં ઉષ્ણ પ્રકાશ રૂપે આતપ કરે તે આતપનામકર્મ.* તેનો વિપાક સૂર્યના વિમાનની નીચે રહેલાં બાદર પૃથ્વીકાયના જીવોને જ હોય છે. અગ્નિકાય જીવોને હોતો નથી. કારણ કે સિદ્ધાંતમાં તેનો ઉદય નિષેધ્યો છે. તે જીવોના શરીરમાં જે ઉષ્ણતા છે તે ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે. અને જે પ્રકાશત્વ છે તે ઉત્કૃષ્ટ રક્તવર્ણનામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું છે. (૬) ઉદ્યોત - જે કર્મના ઉદયથી જંતુઓના શરીરો શીત પ્રકાશ રૂ૫ ઉદ્યોત કરે તે ઉદ્યોતનામકર્મ. તેનો ઉદય યતિ અને દેવના ઉત્તર વૈક્રિય શરીરમાં અને ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, અને તારાના વિમાનની નીચે રહેલાં પૃથ્વીકાયના શરીરમાં તેમજ કેટલીક વનસ્પતિ વિગેરેમાં હોય છે. (૭) નિર્માણ :- જે કર્મના ઉદયથી જંતુઓના શરીરમાં પોત-પોતાની જાતિને અનુસાર અંગ-પ્રત્યંગની નિયત સ્થાન વર્તિતા વ્યવસ્થા જે સ્થળે જે અંગ-ઉપાંગ કે અંગોપાંગ જોઇએ તેની ત્યાં ગોઠવણ થાય તે નિર્માણનામકર્મ. આ કર્મ સુથાર જેવું છે. જો આ કર્મ ન હોય તો તેના નોકર જેવા અંગોપાંગ નામકર્મ આદિ વડે થયેલ મસ્તક અને પેટ વિગેરે અવયવોની નિયત સ્થળે રચના થવામાં કોઇ નિયમ ન રહે, તેથી નિયત સ્થળે રચના થવામાં નિર્માણનામકર્મ કારણ છે. | (૮) તીર્થકર :- જે કર્મના ઉદયથી આઠ મહાપ્રાતિહાર્ય આદિ ૩૪ અતિશયો ઉત્પન્ન થાય, તે તીર્થંકરનામકર્મ. એ પ્રમાણે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ કહી. હવે સપ્રતિપક્ષ પ્રકૃતિ કહે છે. તે (૧) ત્રસ, (૨) બાદર, (૩) પર્યાપ્ત, (૪) પ્રત્યેક, (૫) સ્થિર, (૬) શુભ, (૭) સુસ્વર, (૮) સુભગ, (૯) આદેય, (૧૦) યશકીર્તિ તે ત્રસદશક (૧) સ્થાવર, (૨) સૂક્ષ્મ, (૩) અપર્યાપ્ત, (૪) સાધારણ, (૫) અસ્થિર, (૬) અશુભ, (૭) દુઃસ્વર, (૮) દુર્ભગ, (૯) અનોદય, (૧૦) અયશ-કીર્તિ એ સ્થાવરદશક. (૧) ત્રસ - તાપ, આદિથી પીડિત થયા છતાં જે સ્થાને રહ્યા છે તે સ્થાનથી બીજે સ્થાને જાય છે, તે બેઇંદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય ત્રસ કહેવાય છે. તેના હેતુભૂત જે કર્મ તે ત્રસનામકર્મ. (૧) સ્થાવર :- તેનાથી વિપરીત સ્થાવરનામકર્મ ઉષ્ણતા આદિથી તપ્ત થવા છતાં પણ તે સ્થાનનો ત્યાગ કરવા માટે જેઓ અસમર્થ છે. તે પૃથ્વી-અપ-તેઉ-વાઉ અને વનસ્પતિ સ્થાવર કહેવાય છે. તેના હેતુભૂત જે કર્મ તે , સ્થાવરનામકર્મ. (૨) બાદરઃ- જેના ઉદયથી જીવોને ચક્ષુથી જોઇએ તેવા શરીરપણાનું લક્ષણ તે બાદર પણ થાય. તે બાદર નામ પૃથ્વીકાયાદિ એક એક શરીરને ચક્ષુ વડે ગ્રહણના અભાવે પણ બાદરપણાના પરિણામ વિશેષથી ઘણાં સમુદાય થાય ત્યારે ચક્ષુ વડે ગ્રહણ થાય તે છે. તેના હેતુભૂત જે કર્મ, તે બાદરનામકર્મ.* (૨) સુક્ષ્મ - તેનાથી વિપરીત તે સૂક્ષ્મ જેના ઉદયથી ઘણાં જીવોનો સમુદાય ભેગો થાય છતાં ચક્ષુ વડે ગ્રહણ ન થાય તે સૂક્ષ્મનામકર્મ. (૩) પર્યાપ્ત - જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં સમર્થ થાય, તે પર્યાપ્તનામકર્મ. ૧૨ આતપનું લક્ષણ અગ્નિમાં ઘટતું નહીં હોવાથી પણ તેને આતપનો ઉદય હોતો નથી. આતપનું લક્ષણ પોતે અનુણ હોઇ દૂર રહેલી વસ્તુ પર ઉષ્ણ પ્રકાશ કરે એ છે. જ્યારે અગ્નિ સ્વયં ઉષ્ણ છે. અને માત્ર થોડે દૂર રહેલ વસ્તુ પર જ ઉષ્ણ પ્રકાશ કરી શકે છે. ૧૩ જેમ સુથાર પુતળી વિગેરમાં હાથ વિગેરે અવયવોની વ્યવસ્થા કરે છે. ૧૪ બાદર નામકર્મ એ જીવવિપાકી પ્રકૃતિ છે. એટલે જીવનો કંઇક બાદર પરિણામ ઉત્પન્ન કરી પુદ્ગલ ઉપર અસર કરે છે. જેને લઇ એક અથવા અસંખ્ય શરીરનો પિંડ ચલુનો વિષય થાય છે. જીવ વિપાકી પ્રકૃતિ પુદ્ગલ ઉપર જરૂ૨ અસર કરે છે. જેમ ક્રોધ, નિદ્રા વિગેરે જીવવિપાકી છતાં તેની અસર પુગલ પર થાય છે. તેમ બાદર અને સૂક્ષ્મ જીવ વિપાકી છતાં પુદ્ગલ પર અસર થાય છે. એમ ન હોય તો બાદરનું પણ ઘરિક શરીર છે. સનું શરીર પણ ઘરિક શરીર છે. બન્નેના શરીર અનંતાનંત વર્મશાના બનેલા છે. છતાં ગમે તેટલા સુક્ષ્મ જીવોના શરીરો એકઠા થવા છતાં તે દેખાય જ નહીં અને બાદર જીવોના એક અથવા અસંખ્ય શરીરનો પિંડદેખાય તેનું કારણ શું? કારણ એજ કે બાદર અને સૂક્ષ્મનામકર્મ જીવ પર પોતાની અસર ઉત્પન્ન કરી પુદગલ પર અસર કરે છે તેથી જ એવો અર્થ કરવામાં આવ્યો છે કે જે કર્મના ઉદયથી ચલુથી દેખી શકાય એવા સ્થળ શરીરની પ્રાપ્તિ થાય તે બાદરનામકર્મ અને તેનાથી વિપરીત સૂક્ષ્મનામકર્મ, બાદરનામકર્મ જો જીવ વિપાકી ન હોત તો ૧૪ મે ગુણસ્થાનકે તેનો ઉદય હોઇ શકે જ નહીં કેમ કે ૧૪ મે ગુણસ્થાનકે માત્ર જીવવિપાકી પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. For Personal Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy