SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ હેતભૂત જે કર્મ તે પણ પાંચ પ્રકારે છે. તેમાં જે કર્મના ઉદયથી જીવોના શરીરમાં મરીની જેમ તિક્ત રસ થાય, તે તિક્તરસનામકર્મ એ પ્રમાણે અન્ય રસનો અર્થ સમજી લેવો. (૧૨) સ્પર્શ - “છા સં ' જેનો સ્પર્શ થઇ શકે તે સ્પર્શ આઠ પ્રકારે છે. (૧) કર્કશ = કઠોર, (૨) મૃદુ = કોમળ, (૩) લઘુ =હલકો, (૪) ગુરૂ =ભારે, (૫) સ્નિગ્ધ =ચીકણો, (૬) રૂક્ષ =લુખો, (૭) શીત, (૮) ઉષ્ણ તેના હેતુભૂત જે કર્મ તે પણ આઠ પ્રકારે છે. જે કર્મના ઉદયથી જીવોના શરીરમાં પથ્થર આદિના જેવો કઠોર સ્પર્શ થાય તે કર્કશસ્પર્શનામકર્મ એ પ્રમાણે બાકીનાં સઘળા સ્પર્શનામકર્મનો અર્થ સમજી લેવો. (૧૩) આનુપૂર્વી - વિગ્રહ ગતિએ એક ભવમાંથી બીજા ભવમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને જે ગતિ થાય તે આનુપૂર્વી તેવા વિપાક વડે વેદ્ય એટલે તે પ્રકારના રૂપનો અનુભવ કરાવનારી જે કર્મપ્રકૃતિ તે આનુપૂર્વીનામકર્મ. તે ૪ પ્રકારે છે. નરકગયાનુપૂર્વી, તિર્યગુગત્યાનુપૂર્વી, મનુષ્યગત્યાનુપૂર્વી, દેવગત્યાનુપૂર્વી. (૧૪) વિહાયોગતિ :- તથા “વિદાય'' આકાશ વડે જે ગતિ થાય તે વિહાયોગગતિ કહેવાય છે. તે બે પ્રકારે (૧) શુભવિહાયોગતિ, (૨) અશુભવિહાયોગતિ. જે કર્મના ઉદયથી હાથી અને બળદના જેવી સુંદર ગતિ ચાલ પ્રાપ્ત થાય, તે શુભવિહાયોગતિનામકર્મ. જે કર્મના ઉદયથી ગધેડું, ઊંટ, પાડો, આદિના જેવી અશુભ ગતિ પ્રાપ્ત થાય તે અશુભવિહાયોગતિનામકર્મ. આ પ્રમાણે ૧૪ પિંડ પ્રકૃતિઓના અવાન્તર ૬૫ ભેદો થાય છે. હવે પ્રત્યેક પ્રવૃતિઓ કહે છે. તે બે ભેદે છે. (૧) સપ્રતિપક્ષ. (૨) અપ્રતિપક્ષ. તેમાં પહેલાં ઓછું કહેવા યોગ્ય હોવાથી તે અપ્રતિપક્ષ કહે છે. તે અગુરુલઘુ , ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, તીર્થંકર એ ૮ પ્રકૃતિઓ છે. (૧) અગુરુલઘુ :- જે કર્મના ઉદયથી જીવોનું શરીર ન ભારે , ન લઘુ કે ન ગુરુલઘુ થાય, પરંતુ અગુરુલઘુ | પરિણામ પરિણત થાય તે અગુરુલઘુનામકર્મ કહેવાય છે. (૨) ઉપઘાત :- જે કર્મના ઉદયથી પોતાના શરીરના અવયવો વડે જે પ્રતિજીદ્દવા = જીભ ઉપર થયેલી બીજી જીભ, ગલવૃદલક, રસોળી અને ચોરદંત = દાંત પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત એ આદિ વડે હણાય, દુઃખી થાય, અથવા પોતે કરેલા ઉદ્દબંધન, ઝાડ પર ઊંધે માથે લટકવું, પર્વત પરથી ઝંપાપાત કરવો, એ આદિ વડે હણાય, તે ઉપઘાતનામકર્મ કહેવાય છે. (૩) પરાઘાત - જે કર્મના ઉદયથી ઓજસ્વી પ્રતાપી પોતાના દર્શન માત્રથી તેમજ વાણીની પટુતા વડે (મહારાજાઓની) સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યોને ત્રાસ ઉત્પન્ન કરે ક્ષોભ પેદા કરે અને પ્રતિવાદી સામા પક્ષની પ્રતિભાને દબાવે, તે પરાઘાતનામકર્મ કહેવાય છે. (૪) ઉચ્છવાસ - જે કર્મના ઉદયથી ઉચ્છવાસ- નિચ્છવાસ લબ્ધિ ઉત્પન્ન થાય તે ઉચ્છવાસનામકર્મ કહેવાય છે.' ૯ તે કર લાંગલ અને ગોમૂત્રિકાના આકારે અનુક્રમે બે-ત્રણ-ચાર સમય પ્રમાણ વિગ્રહગતિ હોય છે. ૧૦ પ્રશ્ન :- આકાશ સર્વ વ્યાપક હોવાથી આકાશ સિવાય ગતિનો સંભવ જ નથી, તો પછી વિહાયસ્ એ વિશેષણ શા માટે ગ્રહણ કર્યું ? કારણ કે વ્યવચ્છેદ પૃથક કરવા લાયક વસ્તુનો અભાવ છે. વિશેષણ લગભગ એક વસ્તુથી બીજી વસ્તુને જુદી પાડવી હોય ત્યાં મૂકાય છે. આકાશ વિના ગતિનો સંભવ જ નહીં હોવાથી અહીં કોઈ વ્યવચ્છેદ્ય નથી તેથી વિહાયસ્ એ વિશેષણ નકામું છે. જવાબ:- અહીં વિહાયસ્ એ વિશેષણ નામકર્મની પ્રથમ પ્રકૃતિ જે ગતિનામકર્મ છે. તેનાથી પૃથક્ કરવા માટે મૂકેલ છે. કારણ કે અહીં માત્ર ગતિ નામકર્મ એટલું જ કહેવામાં આવે તો પહેલું ગતિનામકર્મ તો આવી ગયું છે. ફરી શા માટે મુકેલ છે. ? એવી શંકા થાય તે શંકા ન થાય તે માટે વિહાયસ્ એ વિશેષણ સાર્થક છે. તેથી આપણે જે ચાલીએ છીએ તે ગતિમાં વિહાયોગતિ નામક હેતુ છે. પરંતુ નારકત્વાદિ પર્યાય થવામાં હેતુ નથી. ૧૧ અહીં એમ શંકા થાય કે સઘળી લબ્ધિઓ ક્ષયોપશમ ભાવે એટલેકે વિયાંતરાયકર્મના ક્ષયોપશમ થવાથી કહી છે. વાસોચ્છવાસ લબ્ધિમાં શ્વાસોચ્છવાસનામકર્મનો ઉદય માનવાનું શું પ્રયોજન ? તેના જવાબમાં સમજવું કે કેટલીક લબ્ધિઓમાં કે જેની અંદર લોકમાં રહેલા પુદ્ગલો ગ્રહણ કરવાના હોય, અને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસદિ રૂપે પરિણાવવાના હોય ત્યાં કર્મનો ઉદય પણ માનવો પડે છે. કારણકે કર્મના ઉદય વિના લોકમાં રહેલ પુદ્ગલો ગ્રહણ કરી પરિણાવી શકાતાં નથી. જેમ કે આહારક લબ્ધિ જેને થઇ હોય તેને જ્યારે આહારક શરીર કરવું હોય ત્યારે લોકમાં રહેલી આહારક વર્ગણામાંથી પુદગલો ગ્રહણ કરી તેને આહારક પણ પરિણામાવે છે. આ ગ્રહણ અને પરિણામ કર્મના ઉદય વિના થતો નથી. જો કે તદનુકુળ વિયાંતરાયકર્મનો ક્ષયોપશમ તો થવો જ જોઇએ જોતું ન હોય તો લબ્ધિ ફોરવી શકે નહીં. જો કે વૈક્રિય શરીર નામકર્મ લગભગ દરેક સંક્ષિપંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યોને સત્તા હોય છે. છતાં સઘળા મનુષ્ય-તિર્યંચ વૈશ્યિ શરીર કરી શકતા નથી. પરંતુ જેને તદનુકૂળ લયોપશમ થયો હોય તે જ કરી શકે છે. તેમ અહીં શ્વાસોચ્છુવાસ પુદ્ગલોનું ગ્રહણ તેમજ પરિણમન કરવાનું હોવાથી શ્વાસોચ્છવાસનામકર્મ માનવાની આવશ્યકતા રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy