SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ (૬) સેવાર્તસંઘયણ :- જેની અંદર હાડકાના છેડાઓ પરસ્પર સ્પર્શીને જ રહેલા હોય અને જે હંમેશા તૈલાદિનું મર્દન ચંપી આદિ સેવાની અપેક્ષા રાખે, તે સેવાર્તાસંઘયણ નામકર્મ કહેવાય છે. તેના હેતુભૂત જે કર્મ તે સંઘયણ નામકર્મ છ પ્રકારે છે. (હાડકાનો મજબૂત કે શિથિલ બંધ થવામાં સંઘયણ નામકર્મ કારણ છે.) (૮) સંસ્થાન :- એટલે આકાર વિશેષ ગ્રહણ કરાયેલી શરીરની રચનાને અનુસરી ગોઠવાયેલ અને પરસ્પર સંબંધ થયેલા ઔદારિકાદિ પુદ્ગલોમાં સંસ્થાન નામકર્મ (શરીરમાં આકાર વિશેષ જે કર્મના ઉદયથી ઉત્પન્ન થાય તે સંસ્થાન નામકર્મ કહે છે.) તે છ પ્રકારે છે. (૧) સમચતુરસ (૨) યોગ્રોધ પરિમંડલ (૩) સાદિ (૪) કુબ્જ (૫) વામન (૬) હુંડક ૧૬ (૧) સમચતુરસ્ત્રસંસ્થાન :- ત્યાં જેના ઉદયથી સમચતુરસ્ર સંસ્થાન થાય તે સમચતુરસ્ર સંસ્થાન. તેમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણ અને પ્રમાણને અવિસંવાદિ મળતા ૪ ખૂણા ૪ દિક્ વિભાગ વડે ઉપલક્ષિત ઓળખતા શરીરના અવયવો જેની અંદર હોય તે સમચતુરસ સંસ્થાન કહેવાય છે. (૨) ન્યોગ્રોધ પરિમંડલસંસ્થાન :- ન્યુગ્રોધ વડના જેવો પરિમંડલ આકાર જેની અંદર હોય છે તે ન્યગ્રોધ પરિમંડલસંસ્થાન કહેવાય છે. (૩) સાદિ સંસ્થાન :- અહીં સાદિ શબ્દથી ઉત્સેધ જેની સંજ્ઞા છે. તેવો નાભિના નીચેનો દેહભાગ ગ્રહણ ક૨વો. તેથી આદિ નાભિની નીચેના દેહભાગ યુક્ત જે હોય તે સાદિ કહેવાય. વિશેષણ બીજી રીતે ન ઘટે તેથી વિશિષ્ટ અર્થનો લાભ થાય છે. અન્ય આચાર્યો સાદિ શબ્દને બદલે સાચી એવું નામ બોલે છે. ત્યાં સાચી એટલે શાલ્મલી વૃક્ષ એમ સિદ્ધાંત રહસ્યને જાણનાર બોલે છે. જેમ શાલ્મલી વૃક્ષનો સ્કંધભાગ અતિપુષ્ટ અને સુંદર હોય છે અને ઉપરના ભાગમાં તેના અનુરૂપ મહાન વિશાળતા હોતી નથી, તેમ જે સંસ્થાનમાં શરીરનો અધોભાગ પરિપૂર્ણ હોય, ઉપરનો ભાગ તથા પ્રકારનો ન હોય તે સાદિસંસ્થાનનામકર્મ કહેવાય છે. (૪) કુખ્તસંસ્થાન :- જ્યાં માથું ડોક અને હાથ પગ વિગેરે અવયવો પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય, અને પેટ આદિ અવયવો પ્રમાણ અને લક્ષણયુક્ત ન હોય, તે કુઞ્જસંસ્થાનનામકર્મ કહેવાય છે. (૫) વામનસંસ્થાન – જ્યાં છાતી અને ઉદરાદિ અવયવો પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય - અને હસ્ત પાદાદિ અવયવો હીન હોય, તે વામનસંસ્થાનનામકર્મ કહેવાય છે. (૬) હુંડકસંસ્થાન :- જેની અંદર શરીરના સઘળા અવયવો પ્રમાણ અને લક્ષણ હીન હોય તે હુંડકસંસ્થાનનામકર્મ કહેવાય છે. (૯) વર્ણ :- જે કર્મના ઉદયથી શરીર શોભાયુક્ત થાય તે વર્ણ. તે પાંચ પ્રકારે છે. (૧) શ્વેત, (૨) પીત, (૩) રક્ત, (૪) નીલ, (૫) કૃષ્ણ. તે પ્રકારનો વર્ણ થવામાં હેતુભૂત કર્મ પણ પાંચ પ્રકારે છે. જેના ઉદયથી જીવોના શરીરમાં બગલા વિગેરે જેવો શ્વેત વર્ણ થાય, તે શ્વેતવર્ણનામકર્મ. આ રીતે બીજા વર્ણનામકર્મનો પણ અર્થ સમજી લેવો. (૧૦) ગંધ :- જે સુંધી શકાય તે ગંધ તેના બે ભેદ છે. (૧) સુરભિગંધ, (૨) દુરભિગંધ તે હેતુભૂત જે કર્મ તે પણ બે પ્રકારે છે. જે કર્મના ઉદયથી શતપત્ર અને માલતી આદિના પુષ્પની જેમ જીવોના શરીરની સુંદર ગંધ થાય, તે સુરભિગંધનામકર્મ તેનાથી વિપરીત (એટલે કે જે કર્મ ના ઉદયથી જીવોના શરીરમાં લસણ, હીંગ જેવી ખરાબ ગંધ ઉત્પન્ન થાય તે દુરભિગંધનામકર્મ સારી કે ખરાબ ગંધ થવામાં ગંધનામકર્મ કારણ છે.) (૧૧) રસ ઃ- ૮ સ ગ્રાસ્તાવનસ્નેહનો '' જેનો આસ્વાદ લઇ શકાય તે ૨સ, તે પાંચ પ્રકારે છે. (૧) તિક્ત = તિખો, (૨) કટુ = કડવો, (૩) કષાય = તુરો, (૪) આમ્લ = ખાટો, (૫) મધુર = મીઠો. તેવો ૨સસ્વાદ થવામાં ૭ ८ એટલે કે જેની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં જે પ્રમાણે શ૨ી૨નું પ્રમાણ અને લક્ષણ કહ્યું છે. તે પ્રમાણે શરીરનું પ્રમાણ અને લક્ષણ થાય. તથા જેની અંદર જમણો ઢીંચણ અને ડાબો ખભો, ડાબો ઢીંચણ અને જમણો ખભો બન્ને ઢીંચણ તથા મસ્તક અને પલાંઠી એ ચારે ખૂણાનું અંતર સરખું હોય તે સમચતુરસ સંસ્થાન. જેમ વડનો ઉપરનો ભાગ શાખા પ્રશાખા અને પાંદડાઓથી સંપૂર્ણ પ્રમાણવાળો સુશોભિત હોય છે અને નીચેનો ભાગ હીન સુશોભિત હોતો નથી તેમ જેની અંદર નાભિની ઉપરના અવયવો સંપૂર્ણ લક્ષણ અને પ્રમાણ હોય અને નાભિની નીચેના લક્ષણ અને પ્રમાણ યુક્ત ન હોય, તે ન્યગ્રોધપરિમંડલસંસ્થાન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy