SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૫ - માલાગ. પ્રમાણે એક અંગોપાંગ શબ્દનો લોપ થઇ અંગોપાંગ શબ્દ સિદ્ધ થાય છે. તેના નિમિત્ત કર્મ અંગોપાંગ તે ત્રણ પ્રકારે (૧) ઔદારિક અંગોપાંગ (૨) વૈક્રિય અંગોપાંગ (૩) આહારક અંગોપાંગ.. ત્યાં જે કર્મના ઉદયથી ઔદારિક શરીરપણે પરિણામ પામેલાં પૂગલનો ઔદારિક શરીરને યોગ્ય અંગ-ઉપાંગ અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગ રૂપે પરિણામ થાય તે ઔદારિક અંગોપાંગ નામકર્મ એ પ્રમાણે વૈક્રિય આહારક અંગોપાંગ વિષે સમજી લેવું. તેજસ-કાશ્મણ :- શરીર જીવ પ્રદેશની આકૃતિને અનુસરતાં હોવાથી તેને અંગોપાંગનો સંભવ નથી. (ઔદારિકાદિ ત્રણ શરીરની આકૃતિને આત્મા અનુસરતો હોવાથી તે તે અંગોપાંગ ઘટી શકે છે.) (૫) બંધન :- જેના વડે બંધાય - જોડાય તે બંધન, જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલો અને ગ્રહણ કરાતા ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય છે. જેમકે કાષ્ટને એકાકાર કરવામાં રાળ કારણ છે તેમ. તે ઔદારિકબંધન આદિ ભેદે પાંચ પ્રકારે છે. () સંઘાતન :- જેના વડે દારિકાદિ પુદ્ગલો પિંડ રૂપે કરાય તે સંધાતન. તે પણ દારિક સંઘાતન આદિ પાંચ પ્રકારે છે. હવે આનો વ્યાપાર કયો ? પુગલો ભેગા કરવા માત્ર બરાબર નથી. પુદ્ગલોમાં ભેગા થવાપણું તો ગ્રહણ માત્રથી જ સિદ્ધ થાય છે. ત્યાં સંઘાતન નામકર્મનો ઉપયોગ નથી. ઔદારિકાદિ શરીર રચના કરનાર સંઘાત વિષે તેનો વ્યાપાર છે. એ પ્રમાણે સંપ્રદાયનો મત છે. તે પણ બરોબર નથી. જેમ તંતુ ભેગા થવાથી પટ થાય તેમ ઔદારિકાદિ વર્ગણામાંથી ઉત્પન્ન થયેલ પુદ્ગલોનો સમૂહ જ દારિક શરીરાદિમાં હેતુ છે. ત્યાં અધિક વિશેષનો આશ્રય ન હોવાથી સત્ય વાત ઠીક છે. પ્રતિ નિયત પ્રમાણ જેટલા પ્રમાણમાં જોઇએ તેટલા પ્રમાણાનુસાર ઔદારિકાદિ શરીર રચના માટે સમૂહ વિશેષનો અવશ્ય આશ્રય કરવા યોગ્ય હોવાથી તગ્નિમિતક તરતમતાના કારણરૂપે સંઘાતન નામકર્મની સિદ્ધિ થાય છે. આ પ્રમાણે પ્રાચીન આચાર્યોનો અભિપ્રાય જ યુક્ત છે. (૭) સંઘયણ :- અસ્થિની રચના વિશેષને સંઘયણ કહે છે. તે છ પ્રકારે છે. (૧) વજ8ષભનારાચ, (૨) ઋષભનારાચ, (૩) નારાએ, (૪) અર્ધનારાચ, (૫) કલિકા, (૬) છેવટું-સેવાર્ત. (૧) વજઋષભનારાચસંઘયણ :- તેમાં વજ શબ્દનો અર્થ ખીલી, ઋષભનો અર્થ હાડકાને વીંટાડનાર પાટો, નારાયણે 'અર્થ મર્કટબંધ, જેની અંદર બે હાડકા બન્ને બાજુ મર્કટબંધ વડે બંધાયેલ હોય, અને તે પાટાની આકૃતિવાળા ત્રીજા હાડકા વડે વીંટળાયેલા હોય અને તેના ઉપર તે ત્રણ હાડકાને ભેદનાર ખીલીરૂપ હાડકું હોય. (આવા પ્રકારના હાડકાના બંધને વજઋષભનારાચસંઘયણ કહે છે.) - (૨) ઋષભનારાચસંઘયણ :- જે સંઘયણ ખીલી સરખા હાડકા રહિત છે. (મર્કટબંધ અને પાટો જેની અંદર હોય છે, તે ઋષભનારાચસંઘયણ નામકર્મ કહેવાય છે. (૩) નારાચસંઘાણ :- જેની અંદર બે હાડકા માત્ર મર્કટબંધથીજ બંધાયેલા હોય, તે નારાચસંઘયણ નામકર્મ છે. (૪) અર્ધનારાચસંઘયણ - જેની અંદર એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ હાડકારૂપ ખીલીનો બંધ હોય, તે અર્ધનારાચ સંઘયણ નામકર્મ છે. (૫) કીલિકા સંઘયણ - જેની અંદર હાડકાઓ માત્ર કાલિકા - ખીલીથી બંધાયેલા હોય, તે કલિકાસંઘયણ નામકર્મ કહેવાય છે. પ્રશ્ન :- સંઘાતન નામકર્મ માનવાનું શું પ્રયોજન છે ? માત્ર પુદ્ગલનો સમૂહ કરવો તેની અંદર તે કર્મ કારણ છે. એવો ઉત્તર આપતા હો તો તે યોગ્ય નથી. કેમકે પુદ્ગલનો સમૂહ તો દારિક નામકર્મના ઉદયથી જે પુદગલો ગ્રહણ કરે છે તે ગ્રહણ કરવા માત્રથી જ સિદ્ધ છે. તેમાં તો સંઘાત નામકર્મનો કંઇ ઉપયોગ નથી. તથા દારિકાદિ શરીરની રચના પ્રમાણે સંધાત સમૂહ વિશેષ કરવો તેમાં સંઘાતન નામકર્મ કારણ છે. આવો પૂર્વાચાર્યનો અભિપ્રાય પણ યુક્ત નથી, કારણકે જેમ તંતુનો સમૂહ પટ પ્રત્યે કારણ છે તેમ દારિકાદિ પુદ્ગલોનો સમૂહ ઔદારિકાદિ શરીરોનું કારણ છે. અને સમૂહ તો ગ્રહણ માત્રથી સિદ્ધ છે. તેમાં સંઘાતનને વિશેષ કારણરૂપે માનવાની શી આવશ્યકતા છે ? ઉત્તર :- અમુક પ્રમાણમાં જ લંબાઇ, જાડાઇ નિશ્ચિત પ્રમાણ વાળા દારિકાદિ શરીરની રચના માટે સમૂહ વિશેષની દારિકાદિ શરીરને અનુસરતી રચનાની આવશ્યકતા છે. અને તેથીજ શરીરનું તારતમ્ય થાય છે. માટે સમૂહ વિશેષના કારણરૂપે સંઘાતન નામકર્મ અવશ્ય માનવું જોઇએ. એ રીતે પૂર્વાચાર્યોનો અભિપ્રાય જ યુક્ત છે. તાત્પર્ય એ કે દારિકાદિ નામકર્મના ઉદયથી જે દારિકાદિ પુદ્ગલો ગ્રહણ કરે તેની નિયત પ્રમાણ વાળી રચના થવામાં સંઘાતન નામકર્મ હેતુ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy