SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કર્મપ્રકૃતિ તે જાતિનામકર્મ. અહીં પૂર્વસૂરિઓનો આ અભિપ્રાય છે. દ્રવ્યરૂપ ઇન્દ્રિય અંગોપાંગ નામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તિ નામકર્મના સામર્થ્યથી સિદ્ધ છે. અને ભાવરૂ૫ ઇન્દ્રિય સ્પર્શનાદિ ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમથી સિદ્ધ છે. “ “ક્ષારોપમાનજિયાતિવન'' ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. પરંતુ આ એકેન્દ્રિયાદિ છે. એવા શબ્દ વ્યવહારમાં કારણ તથા પ્રકારના સમાન પરિણામ રૂપ જે સામાન્ય છે અન્યથી અસાધ્ય હોવાથી તેનું કારણ જાતિનામકર્મ છે. પ્રશ્ન :- અહીં કોઇ શંકા કરે કે શબ્દ વ્યવહારના કારણ માત્રથી જાતિની સિદ્ધિ નહીં થાય ? જો એમ થાય તો હરિ આદિ શબ્દ વ્યવહારમાં કારણરૂપે હરિતાદિ જાતિની પણ સિદ્ધિ થાય માટે એકેન્દ્રિયાદિ પદનો વ્યવહાર ઔપાધિક છે, જાતિનામકર્મ માનવાનું કોઇ કારણ નથી. વળી જો એકેન્દ્રિયત્નાદિ જાતિનો સ્વીકાર કરશો તો નારકત્વાદિકને પણ તે નારકત્વ નારકાદિ વ્યવહારનું કારણ હોવાથી તે પંચેન્દ્રિયની અવાત્તર જાતિ તરીકે માનવી પડશે અને પછી તે ગતિનામકર્મ માનવાની જરૂર પડશે નહીં. જવાબ :- અપકષ્ટ ચૈત્યન્યાદિના નિયામક તરીકે એકેન્દ્રિયત્નાદિ જાતિની સિદ્ધિ થાય છે. (એટલે કે પંચેન્દ્રિય થી ચઉરિન્દ્રિયનું ચૈતન્ય અલ્પ અલ્પ એટલે અલ્પ ક્ષયોપશમ, આ પ્રમાણે ચૈતન્યની વ્યવસ્થા થવામાં એકેન્દ્રિયવાદિ જાતિ હેતુ છે.) તેમજ એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનું કારણ પણ તે જાતિ જ છે. તેથી તેના કારણ રૂપે જાતિનામકર્મ સિદ્ધ છે. નારકત્વાદિ જાતિ નથી, કેમકે તિર્યકત્વનું પંચેન્દ્રિયત્વ સાથેનું સાંકર્ય બાધક છે. (ભિન્ન ભિન્ન અધિકરણમાં રહેનાર ધર્મનો એકમાં જે સમાવેશ થાય તે સાંકર્ય કહેવાય, એટલે તે તિર્યકત્વ એકેન્દ્રિયાદિમાં છે. પંચેન્દ્રિયત્વ નરકાદિમાં છે. જ્યારે તિર્યચપંચેન્દ્રિયમાં પંચેન્દ્રિયત્વ અને તિર્યકત્વ બન્ને છે.) નારકત્વાદિ જો ગતિ છે. તે અમુક પ્રકારના સુખ દુ:ખના ઉપભોગમાં નિયામક છે. અને તેના કારણ રૂપે જાતિનામકર્મ પણ સિદ્ધ છે. ( તાત્પર્ય એ કે ગતિનામકર્મ સુખ દુઃખના ઉપભોગમાં નિયામક છે અને જાતિનામકર્મ ચૈતન્યના વિકાસમાં નિયામક છે.) અને જાતિ પાંચ છે. તે આ પ્રમાણે એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ છે. તે વિપાક વેધ કર્મપ્રકૃતિ પણ જાતિ. તે પણ પાંચ પ્રકારે છે. | (૩) શરીર ઃ- જે ક્ષય થાય, (જીર્ણ થાય) તે શરીર. તે પાંચ પ્રકારે છે. (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ, (૫) કાર્મણ. તે શરીર પ્રાપ્ત થવામાં હેતુભૂત જે કર્મ તે શરીરનામકર્મ. તે ઉપર પ્રમાણે પાંચ પ્રકારે છે. ત્યાં જે કર્મના ઉદયથી ઔદારિક શરીર યોગ્ય પગલો ગ્રહણ કરી ઔદારિકપણે પરિણમાવે અને પરિણાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જે જોડે તે ઔદારિકશરીરનામકર્મ. આ રીતે બાકીના શરીરનામકર્મની પણ વ્યાખ્યા કરી લેવી. (૪) અંગોપાંગ :- અંગો-૮ શિર વિગેરે. ‘‘સિસFરોકપિટ્ટી તો વહિં કયા ૫ મન '' મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ અને બે જંઘા એ આઠ અંગ છે. તેના અવયવરૂપી આંગળી, નાક, કાન, આદિ ઉપાંગ છે. અને તેના અવયવરૂપ પર્વરેખા, નખ, વાળ, વિગેરે અંગોપાંગ કહેવાય છે. તેથી અંગ અને ઉપાંગની સંધિ થવાથી અંગોપાંગ થાય છે. તેનો અને અંગોપાંગ શબ્દનો એક શેષ સમાસ થવાથી ““ચાયાવસય !'' (સિ-૩-૧-૧૧૧) વ્યાકરણના નિયમ ૫ અર્થાતુ જે જે શરીર નામકર્મનો ઉદય થાય છે તે શરીર યોગ્ય લોકમાં રહેલા પુદ્ગલ ગ્રહણ કરી તેને તે તે શરીર રૂપે પરિણાવવા તે શરીર નામકર્મનું કાર્ય કરે છે. જેમ કે ઘરિકનામકર્મનો ઉદય થાય ત્યારે ઘરિક વર્ગણામાંથી ૫ગલો ગ્રહણ કરી તેને એ દારિકપણે પરિસમાવે છે. કર્મ એ કારણ છે, અને શરીર એ કાર્ય છે. કર્મ એ કાર્મણ વર્ગણોનો પરિણામ છે. દારિકાદિ શરીર એ દારિકાદિ વર્ગણાઓનો પરિણામ છે. દારિક, વૈક્રિય, આહારક અને તેજસ નામકર્મનો ઉદય થાય ત્યારે દારિક, વૈક્રિય, આહારક અને તેજસ વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરી તેનું તે તે શરીર બનાવે છે. એ પ્રમાણે કાર્માણ શરીરનામકર્મ વડે કાશ્મણ વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે. અને તેને કર્મ રૂપે પરિસમાવે છે. કામર્ણ શરીરનામકર્મ એ પણ કર્મ વર્ગણાનાં પરિણામ છે. અને કાર્મા શરીર પણ કાર્મસ વર્ગણાનું જ બનેલું છે. આમ હોવાથી બન્ને ભિન્ન ભિન્ન છે. કાર્પણા શરીર નામકર્મ તે નામકર્મની ઉત્તર પ્રકૃતિ છે, અને કાર્મ વર્ગમાના પુદ્ગલોના ગ્રહણમાં હેતુ છે. જયાં સુધી કાર્પણ શરીર નામકર્મનો ઉદય છે ત્યાં સુધી કામ વર્ગણોમાંથી કર્મ યોગ્ય પુલોનું ગ્રહણ થાય છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મની અનંત વર્ગણાના પિંડનું નામ કામણ શરીર છે. કામણ શરીર એ અવયવી છે અને કર્મની દરેક ઉત્તર પ્રવૃતિઓ તેના અવયવો છે. કાર્પણ શરીર નામકર્મ બંધમાંથી ૮/૬ ભાગે ઉદયમાંથી ૧૩ મા ગુણઠાણે અને સત્તામાંથી ૧૪ ના દ્વિચરિમ સમયે જાય છે. જયારે કાશ્મણ શરીરનો સંબંધ ચૌદમાના ચરમ સમય પર્યત છે. કાશ્મણ શરીર નામકર્મનો ઉદય ૧૩ માં ગુણઠાણા સુધી જ હોય છે. માટે ત્યાં સુધીજ કર્મ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે. ૧૪ મે થતું નથી. કાશ્મણ નામકર્મનું કાર્ય કાશ્મણશરીર ૧૪માના ચરમ સમય પયંત હોય છે. Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy