SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૩ જ તેઓનો (નવ નોકષાયનો) ક્ષય કરવા માટે ક્ષપક પ્રવૃત્તિ કરે, અથવા ઉત્પન્ન થતાં જે અવશ્ય કષાયોની ઉદીરણા કરે તેથી કષાય સાથે રહેનારા છે. તું 7-‘વૃષાયસત્તાષાયપ્રેરળાવનિ હાસ્યાધિ નવજ્યોત્તા નોષાયષાયતા || ’’ કષાય સાથે રહેનાર અને કષાયને પ્રેરણા કરનારા હોવાથી હાસ્યાદિ નવની નોકષાય રૂપ કષાયતા કહી છે. અને તે નોકષાય ૯ ભેદે છે. વેદત્રિક, હાસ્યાદિષક. વેદત્રિક ઃ- (૧) સ્ત્રીવેદ (૨) પુરુષવેદ (૩) નપુંસકવેદ (૧) સ્ત્રીવેદ :- જેના ઉદયથી સ્ત્રીને પુરુષની ઇચ્છા થાય. જેમ પિત્તના ઉદયે મધુર ગળ્યા પદાર્થો ખાવાની ઇચ્છા થાય તેમ સ્ત્રીવેદ છે. (૨) પુરુષવેદ : :- જેના ઉદયથી પુરુષને સ્ત્રીની ઇચ્છા થાય. તે શ્લેષ્મના ઉદયથી ખટાશવાળા પદાર્થો ખાવાની ઇચ્છા થાય તેમ પુરુષવેદ છે. (૩) નપુંસકવેદ :- જેના ઉદયથી સ્ત્રી-પુરુષ બન્નેની ઇચ્છા થાય તે જેમ પિત્ત - શ્લેષ્મના ઉદયથી ‘‘ખિજા’’ જેની અંદર ખટાશ અને ગળપણ બન્ને હોય એવી રાબ ખાવાની ઇચ્છા થાય તેમ નપુંસકવેદ છે. હાસ્યાદિષટ્ક ઃ- (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા. (૧) હાસ્ય :- જેના ઉદયથી. નમિત્ત કે નિમિત્ત વિના હસે, તે હાસ્યમોહન ય. (૨) રત ઃ- .જેના ઉદયથી બાહ્ય-અત્યંતર વસ્તુને વિષે પ્રીતિ આનંદ થાય, તે રતિમોહનીય. (૩) અતિ :- જેના ઉદયથી તેઓને વિષે અપ્રીતિ થાય, તે અરતિમોહનીય. પ્રીતિ અપ્રીતિ સાતા અસાતાત્મકમાં છે. વેદનીયકર્મ વડે જે તે બન્ને રતિ-અરુતિની અન્યથા સિદ્ધિ છે. તેમ શંકા ન કરવી. તેનાથી પ્રાપ્ત થતાં સુખ-દુઃખનું કારણ સમીપ હોવા છતાં પણ ચિત્તનું ફે૨ફા૨ી એ તેનો વ્યાપાર છે. (૪) શોક :- જેના ઉદયથી પ્રિયનો વિયોગ થાય તો આક્રંદ કરે, (૨ડે) જમીન પર આળોટે, નિઃશ્વાસ મૂકે, તે શોકમોહનીય. (૫) ભય :- જેના ઉદયથી નિમિત્ત કે નિમિત્ત વિના અથવા પોતાના સંકલ્પથી ભય પામે તે ભયમોહનીય. . (૬) જુગુપ્સા :- જેના ઉદયથી શુભ કે અશુભ વસ્તુ ૫૨ દુર્ગંચ્છા થાય, તે જુગુપ્સામોહનીય. કે આ ૧૬ કષાય અને ૯ નોકષાયની ચારિત્રમોહનીય સંજ્ઞા છે. -: ૫ મું આયુષ્યકર્મ : તે ૪ ભેદો છે. (૧) દેવાયુ, (૨) મનુષ્યાયુ, (૩) તિર્યંચાયુ, (૪) નરકાયુ. -: ૬ હું નામકર્મ : ૧૪ પિંડ પ્રકૃતિઓ, ૮ અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને ત્રસાદિ દશ પ્રતિપક્ષ. ૨૦ =૪૨ નામકર્મની પ્રકૃતિઓ છે. ત્યાં (૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, (૪) અંગોપાંગ, (૫) બંધન, (૬) સંઘાતન, (૭) સંઘયણ, (૮) સંસ્થાન, (૯) વર્ણ, (૧૦) ગંધ, (૧૧) રસ, (૧૨) સ્પર્શ, (૧૩) આનુપૂર્વી, (૧૪) વિહાયોગતિ અવાન્તર ભેદ સહિત હોય તે પિંડપ્રકૃતિ કહેવાય. (૧) ગતિ :- ત્યાં તથા પ્રકારના કર્મરૂપી મંત્રી દ્વારા જીવ વડે જે પ્રાપ્ત કરાય તે ગતિ નારકત્વાદિ પર્યાયથી પરિણતિ તે ૪ પ્રકારે છે. (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિ. તે વિપાક વેદ્ય કર્મપ્રકૃતિ છે. તે ઉપર મુજબ ૪ પ્રકારે જાણવી. (૨) જાતિ :- એકેન્દ્રિયાદિ જીવોનો એકેન્દ્રિયત્પાદિરૂપ જે સમાન એક સરખો પરિણામ કે જેને લઇ અનેક પ્રકારના એકેન્દ્રિયાદિ જીવોનો એકેન્દ્રિયાદિ રૂપે વ્યવહાર થાય એવું જે સામાન્ય તે જાતિ. અને તેના કારણભૂત જે કર્મ ૪ જે કર્મના ઉદયથી આત્માનો દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરક પર્યાય અમુક નિયત કાલ પર્યંત ટકી રહે તે આયુકર્મ કહેવાય. આયુષ્યકર્મ અમુક ગતિમાં કાલ પર્યંત આત્માની સ્થિતિ થવામાં તેમજ તે તે ગતિને અનુરૂપ કર્મ ઉપભોગ થવામાં હેતુ છે. આ પ્રમાણે આયુષ્યકર્મના ઉત્તર ભેદો કહ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy